Brain food: ભણતા વિદ્યાર્થી અને વારંવાર વસ્તુ ભૂલી જતા લોકો માટે ખાસ, આ ફૂડથી વધશે યાદશક્તિ અને એકાગ્રતા

આજકાલના જીવનમાં ભૂલી જવું એક સામાન્ય બીમારી થઇ ગઈ છે. પરંતુ તમને પણ જો યાદશક્તિની આવી સમસ્યા હોય તો તમે પણ આ ઘરેલું ઉપાય અજવામી જુઓ છો.

Brain food: ભણતા વિદ્યાર્થી અને વારંવાર વસ્તુ ભૂલી જતા લોકો માટે ખાસ, આ ફૂડથી વધશે યાદશક્તિ અને એકાગ્રતા
To increase your Memory power include this food in your diet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 10:04 AM

આપણામાંના ઘણા નાની નાની બાબતો અને વસ્તુઓ ભૂલી જતા હોય છે. ઘણીવાર એવું બને છે કે થોડીવાર પહેલાં જ મુકેલી કોઈ વસ્તુ લોકો ભૂલી જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે થાય છે, તેની પાછળનું કારણ શું છે? જો કે આ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. નિષ્ણાતોના મતે લોકોના આહારમાં પૌષ્ટિક આહારનો (Nutritious diet) અભાવ હોય છે અથવા યોગ્ય વસ્તુઓનો વપરાશ ન કરવો પણ એક કારણ છે. આ કારણે તમે વસ્તુઓ યાદ રાખી શકતા નથી, તેમ જ મગજની કામ કરવાની ક્ષમતા (Brain Ability) પણ ઓછી થાય છે. આ બધી બાબતોને લીધે, આપણે આપણા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.

આવી સ્થિતિમાં આજે ચાલો અમે તમને આવા જ કેટલાક ફૂડ (Food) વિશે જણાવી દઈએ, જેના સેવનથી મગજની યાદશક્તિ (Memory Power) તીવ્ર બનશે, સાથે જ તમારી કામ કરવાની ક્ષમતામાં પણ સુધારો થશે. ચાલો આ વિશે જાણીએ.

બીટનો કંદ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બીટનો કંદ (Beetroot) ખાવાથી, ધ્યાન કેન્દ્રિત થાય છે, તેમજ તમારું તેના સ્તરમાં સુધારો આવે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બીટરૂટ ખાવાથી શરીરમાં લોહીની કમી નથી રહેતી. આ રક્ત પરિભ્રમણને સુધારે છે, જે તમારા હૃદય અને દિમાગ માટે સારું છે.

પાણી

પાણી આપણા શરીર માટે ખૂબ મહત્વનું છે. તે તમારું ધ્યાન કેન્દ્રિત કરવાના સ્તરને વધારવાનું કામ કરે છે અને દિવસભર તમને હાઇડ્રેટેડ રાખે છે. દરરોજ 2 થી 3 લિટર પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે.

પાલક

પાલકમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ હોય છે જે કોષોને સુધારવાની સાથે સાથે વિચારવાની ક્ષમતામાં વધારો કરે છે. કોઈપણ કામ કરવા માટે તમારું મન તીવ્ર હોવું જોઈએ. પાલક ખાવાથી મગજની યાદશક્તિ વધે છે.

ઓટમીલ

સ્વસ્થ શરૂઆત માટે, સવારના નાસ્તામાં ઓટ્સ ખાઓ. આ તમને દિવસભર ઉર્જા આપશે. યાદશક્તિ પણ તીવ્ર બનાવે છે. ઓટ્સમાં એન્ટીઓકિસડન્ટો ભરપૂર હોય છે. આ સિવાય અનેક પ્રકારની પૌષ્ટિક ચીજોનો સમાવેશ થાય છે.

કેળા

કેળા એક સુપરફૂડ છે જે વિટામિન અને પોષક તત્ત્વોથી ભરપુર છે. તે તમારા શરીરને ઉર્જા આપે છે. જો તમે ક્યાંક જવામાં જલ્દીમાં છો તો ફક્ત એક કેળું ખાવ. કેળામાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે તમારા મગજ માટે ખૂબ મહત્વનું છે. તે ફોકસ વધારવામાં પણ મદદ કરે છે. દરરોજ આ ખાવાથી તમારી યાદશક્તિ વધે છે.

આ પણ વાંચો: એક આદત બદલી દેશે તમારું જીવન, વહેલા ઉઠવાના લાભ જાણીને તમે પણ તમારું એલાર્મ કરી દેશો સેટ

આ પણ વાંચો: મોંઘા હોય કે સસ્તા, આ સમયે ભૂલથી પણ ન ખાવા જોઈએ કેળા, નહીંતર ઉભી થઇ જશે મુસીબત

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">