AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ક્યા વિટામીનની ઉણપથી વારંવાર મોં સુકાવા લાગે છે? શું પીવાથી રાહત મળી શકે?

વારંવાર મોં સુકાઈ જતુ હોય તો શું પીવું જોઈએ? તમે જ્યારે સૂઈનો ઉઠો છો તો તમારુ ગળુ સુકાઈ જાય છે. ઘણીવાર તો રાત્રે પણ જ્યારે તમારી આંખ ખૂલે છે તો તમને તરસ લાગે છે. ખરેખર મોં સુકાવાનો મતલબ એ નથી કે તમને તરસ નથી લાગી છે. તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે.

Health Tips: ક્યા વિટામીનની ઉણપથી વારંવાર મોં સુકાવા લાગે છે? શું પીવાથી રાહત મળી શકે?
| Updated on: Nov 07, 2025 | 6:32 PM
Share

ઠંડુ પાણી પીધા બાદ પણ જો તમારુ ગળુ સુકાતુ હોય તો અને રાત્રિના સમયે વારંવાર પાણીની જરૂર પડતી હોય તો આ ઋતુગત નથી. અનેક લોકો તેને સામાન્ય ગણીને નજરઅંદાજ કરે છે. પરંતુ સતત ગળુ સુકાવુ એ શરીરમાં ડ્રિહાઈડ્રેશન, લાળ ઓછી બનવા કે કોઈ ઈન્ટરનલ હેલ્થ પ્રોબ્લેમનો સંકેત હોઈ શકે છે. દિવસભર જેઓ બોલવાનું કામ કરે છે, ઓછુ પાણી પીવાની આદત કે કેફિનનું સેવન કરનારા લોકોમાં આ સમસ્યા સામાન્ય છે. ક્યારેક ધૂળ પ્રદૂષણને કારણે પણ ગળુ સુકાય છે પરંતુ જો આ સમસ્યા વારંવાર થતી હોય તો તેની પાછળનું અસલી કારણ જાણવુ જરૂરી છે. જેથી યોગ્ય સમયે સારવાર લઈ શકાય.

ક્યા વિટામીનની કમીથી સુકાય છે ગળુ?

વારંવાર ગળુ સુકાવુ એ માત્ર હાઈડ્રેશનની કમી ને કારણે નથી. પરંતુ ચોક્કસ વિટામિન અને ખનિજોની ઉણપ સાથે પણ જોડાયેલા છે. વિટામિન A ની ઉણપ ગળા અને મ્યુકોસ મેમ્બ્રેનમાં શુષ્કતાનું કારણ બની શકે છે. વિટામિન B કોમ્પ્લેક્સની ઉણપ લાળ ગ્રંથીઓની પ્રવૃત્તિ ઘટાડે છે. આયર્ન અને ઝીંકની ઉણપ પણ ગળામાં બળતરા અને શુષ્કતાનું કારણ બની શકે છે. આ ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો, બદામ અને પૂરતા પ્રમાણમાં પાણીનો સમાવેશ કરો.

મોં સુકાય ત્યારે શું પીવુ જોઈએ?

જો તમારુ મોં સુકાઈ જાય અને પાણી પીવાથી પણ તમારી તરસ છીપાતી નથી, તો તમારે દિવસભર એક કે બે ગ્લાસ નાળિયેર પાણી પીવું જોઈએ. આ એક કુદરતી, ઇલેક્ટ્રોલાઇટ યુક્ત પીણું છે જે મોં ના સુકાવામાંથી રાહત આપી શકે છે.

વારંવાર મોં સુકાવાના કારણો

વારંવાર મોં સુકાઈ જવુ એ માત્ર તરસનો સંકેત નથી. એ ઘણીવાર શરીરની અંદર થતા ફેરફારોનો સંકેત પણ આપે છે. એન્ટિહિસ્ટામીન, બ્લડ પ્રેશરની દવાઓ અથવા એન્ટીડિપ્રેસન્ટ્સ જેવી દવાઓ પણ મોં સુકાવાનું કારણ બની શકે છે. જો તમે ધૂમ્રપાન કરો છો અથવા દિવસભર બોલવાનું કામ કરો છો, જેમ કે શિક્ષક કે વક્તા, તો સતત બોલવાથી લાળનું ઉત્પાદન પણ ઘટી શકે છે અને મોં સુકુ થઈ શકે છે.

સાપ્તાહિક ભાગ્યશાળી રાશિફળ: 10 થી 16 નવેમ્બર દરમિયાન હંસ રાજયોગથી મેષ સહિત આ 5 રાશિઓને મળશે ડબલ લાભ

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">