AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે નાસ્તાની આ રેસીપી, જાણો હેલ્ધી રેસીપીની રીત

Diabetes Breakfast:ડાયાબિટીસ એ મેટાબોલિક ડિસઓર્ડર છે, જેમાં વ્યક્તિએ તેની બ્લડ સુગરને જાતે મેનેજ કરવું પડે છે. આવો જાણીએ કે ઉનાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓએ કેવો નાસ્તો લેવો જોઈએ તમને આ અહેવાલમાં વિગતે જાણી શકશો.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે નાસ્તાની આ રેસીપી, જાણો હેલ્ધી રેસીપીની રીત
Breakfast
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 11:54 AM
Share

Diabetes Breakfast:ઉનાળાની ઋતુમાં ભોજન બનાવવું એ એક મુશ્કેલ ટાસ્ક બરાબર છે.આખા ઘરમાં કિચન એકમાત્ર એવી જગ્યા છે,રસોઇ ને કારણે સૌથી ગરમ રહે છે. એટલા માટે લોકો નાસ્તામાં બ્રેડ ટોસ્ટ જેવી ફાસ્ટ મેડ વસ્તુઓ ખાય છે. પરંતુ ડાયાબિટીસ જેવી બીમારીનો સામનો કરી રહેલા લોકોને તેનાથી સમસ્યા થઈ શકે છે. પરંતુ એનો અર્થ એ નથી કે ડાયાબિટીસના લોકો Breakfast સ્કિપ કરે, માત્ર હેલ્ધી ડાયટ ફોલો કરવીને ડાયાબિટીસ સ્વસ્થ જીવનશૌલી જીવી શકે છે.

ડાયાબિટીસ એ મેટાબોલિક ડિસઓર્ડર છે, જેમાં વ્યક્તિએ તેની બ્લડ સુગરનું મેનેજ કરવું પડે છે. ડાયાબિટીસને કારણે હૃદય, કીડની, આંખના રોગ અને અન્ય રોગોનું જોખમ પણ રહેલું છે. આજે અમે તમને જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓએ કેવો નાસ્તો ખાવો જોઈએ.

દહીં ફળ Parfait

આ એક ખૂબ જ સરળ ફૂડ રેસીપી છે, જે ફળો, દહીં અને ગ્રેનોલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સાદા દહીંનો ઉપયોગ કરી શકાય છે. ઉનાળામાં દરેક વ્યક્તિને ફળ ખાવાનું પસંદ હોય છે.ફળને કારણે નાસ્તાનો સ્વાદ પણ વધી જાય છે, આ રેસીપીમાં ગ્રેનોલાને બદલે શેકેલા બદામ અને સીડ્સ ઉમેરી શકાય છે.

પનીર પરાઠા

પૌવા અથવા ઉપમા જેવા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર નાસ્તો કરવાને બદલે, દિવસની શરૂઆત પ્રોટીનથી સમૃદ્ધ વસ્તુ સાથે કરો. દાળ ચિલ્લા, ઈંડા, સાંભાર અને ચટણી સાથે ઈડલી, પનીરથી બનેલા પરાઠા, ચણાનો લોટ અને મેથી મિક્સ કરી સારો વિકલ્પ બની શકે છે. ડાયાબિટીસને મેનેજ કરવા માટે,દરેક ભોજનમાં પ્રોટીનનો સમાવેશ કરો.

ફાઇબર વાળો નાસ્તો

નાસ્તામાં ફાઈબરનો સમાવેશ કરો. ફાઈબરયુક્ત ખોરાકમાં તાજા ફળો અને શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો. જો તમને ડાયાબિટીસ છે, તો પ્રોટીનયુક્ત નાસ્તામાં ફળોનો સમાવેશ કરવો વધુ સારું રહેશે. મિક્સ ફળ અને શાકભાજીનો રસ પણ સામેલ કરી શકાય છે.

લીંબુ પાણી

તમે એક ગ્લાસ લીંબુ પાણીમાં બ્લેક અથવા પિંક સોલ્ડ ઉમેરીને તમારા નાસ્તા બાદ લઇ કરી શકો છો. લીંબુના પાણીની સાથે, મીઠામાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ મળે છે જે વિટામિન સીથી ભરપૂર હોય છે. લીંબુનો રસ ખોરાકમાંથી આયર્નના શોષણમાં પણ મદદ કરશે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">