AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂર્યાસ્ત પછી રાત્રિ ભોજનમાં આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, જાણો શું છે કારણ ?

આયુર્વેદના આ બધા નિયમોને સંપૂર્ણપણે સમજીને તેનું પાલન કરવું આપણા માટે શક્ય નથી. પરંતુ જો આપણે આમાંથી એક પણ વસ્તુને જીવનમાં અનુસરી શકીએ તો સ્વાસ્થ્ય પર ઘણી હદ સુધી સકારાત્મક અસર જોવા મળે છે.

સૂર્યાસ્ત પછી રાત્રિ ભોજનમાં આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, જાણો શું છે કારણ ?
Do not eat these things at nightImage Credit source: Pixabay
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 9:40 PM
Share

ભારતીય ચિકિત્સા વિજ્ઞાન એટલે કે આયુર્વેદમાં (Ayurveda) દરેક ખાણી-પીણી માટે એક સમય નક્કી કરવામાં આવ્યો છે. સૂર્યાસ્ત પહેલા કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને સૂર્યાસ્ત પછી કઈ વસ્તુઓ ખાવી જોઈએ તે પણ એક સંપૂર્ણ વિજ્ઞાન છે. દિવસના કયા સમયે શેનું સેવન કરવું શ્રેષ્ઠ છે? સૂર્યાસ્ત પછી શું ન ખાવું જોઈએ અને સૂર્યોદય પછી શું ખાવું જોઈએ. આધુનિક જીવનશૈલીમાં, લોકો આ વસ્તુઓને જાણતા નથી તેમજ તેઓ તેને જીવનમાં અનુસરતા નથી. આયુર્વેદના આ બધા નિયમોને સંપૂર્ણપણે સમજીને તેનું પાલન કરવું આપણા માટે શક્ય નથી. પરંતુ જો આપણે આમાંથી એક પણ વસ્તુને જીવનમાં અનુસરી શકીએ તો સ્વાસ્થ્ય પર ઘણી હદ સુધી સકારાત્મક અસર જોવા મળે છે. જો આપણે માત્ર એટલું જ ઓળખી શકીએ કે રાત્રે સૂતા પહેલા અને રાત્રિભોજનમાં કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

કાકડી – કાકડી ગુણમાં ઠંડી છે. તેથી રાત્રે કાકડી વગેરેનું સેવન ન કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં પણ નહીં. આયુર્વેદમાં કહેવાયું છે કે સૂર્યાસ્ત પછી કાકડી ન ખાવી જોઈએ.

દહીં – દહીંનો સ્વાદ પણ ઠંડો હોય છે. તેથી, રાત્રિ ભોજનમાં અને મોડી રાત્રે દહીંનું સેવન ન કરવું સારું રહેશે.

કોફી – કોફીમાં હાજર નિકોટિન ઊંઘને ​​અસર કરે છે. તેનું કારણ એ છે કે તે મગજની નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે. જેના કારણે આખું શરીર સક્રિય થઈ જાય છે અને ઊંઘ આવતી નથી. તેથી સૂર્યાસ્ત પછી ચા, કોફી વગેરેનું સેવન ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

જંક ફૂડ – જંક ફૂડ દિવસના કોઈપણ સમયે ખાવું નુકસાનકારક છે, પરંતુ જો તમે મોડી રાત્રે જંક ફૂડ ખાતા હોવ તો તે ખાસ કરીને નુકસાનકારક છે કારણ કે તેમાં રહેલું પ્રોસેસ્ડ રિફાઈન્ડ કાર્બ પચવામાં ખૂબ જ ભારે હોય છે. લાંબા સમય સુધી પેટમાં રહે છે અને કબજિયાત થાય છે.

ચિકન – રાત્રિ ભોજનમાં ચિકનનું પણ સેવન ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રોટીન પચવામાં ભારે હોવાથી ચિકન લંચમાં ખાઈ શકાય છે. રાત્રે મોટી માત્રામાં ચિકન ખાવું નુકસાનકારક હોઈ શકે છે કારણ કે તે સરળતાથી પચી શકતું નથી.

હાઈ પ્રોટીન ડાઈટ – જેમાં પણ પ્રોટીનની માત્રા વધારે હોય અથવા જેમાં મુખ્યત્વે પ્રોટીન હોય તેવી કોઈપણ વસ્તુને રાત્રે ટાળવી જોઈએ. કારણ એ છે કે પ્રોટીન પચવામાં ભારે હોય છે અને રાત્રે ખાવામાં આવેલો ભારે ખોરાક ચરબી બનીને શરીરમાં જમા થાય છે.

પ્રોટીન શેક – બોડી બિલ્ડર્સ અને જીમમાં જનારા ઘણીવાર જીમ પછી પ્રોટીન શેકનું સેવન કરે છે. પરંતુ જો તમે રાત્રે જિમ જતા હોવ તો રાત્રે પ્રોટીન શેક ન પીવો. સવારે બ્લડ સુગર વધવાનું જોખમ પણ રહે છે.

મસાલેદાર ખોરાક – રાત્રિ ભોજનમાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, તે પચવામાં ભારે હોય છે.

ફળો – ફળો રાત્રે ન ખાવા જોઈએ કારણ કે તેમાં ઘણી બધી સુગર હોય છે અને સુગર પચવામાં ભારે હોય છે. આ બધી વસ્તુઓનો સાર એ છે કે આપણું રાત્રિ ભોજન ખૂબ જ હલકું અને સુપાચ્ય હોવું જોઈએ.

આ પણ વાંચો :  જાણો ભારતની આ 10 ઐતિહાસિક ધરોહર વિશે, જેની પ્રવેશ ફી ભારતીયો અને વિદેશીઓ માટે છે અલગ

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">