AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો ભારતની આ 10 ઐતિહાસિક ધરોહર વિશે, જેની પ્રવેશ ફી ભારતીયો અને વિદેશીઓ માટે છે અલગ

ભારતમાં આજે પણ આવી અનેક ઐતિહાસિક ધરોહર છે, જેને જોઈને જ દિલ ખુશ થઇ જાય. તમારામાંથી મોટાભાગના લોકોએ દેશની આ ઐતિહાસિક ઈમારતો જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય તેમની એન્ટ્રી ફીનું રેટ લિસ્ટ જોયું છે ?, ભારતીયો અને વિદેશીઓની એન્ટ્રી ફી કેટલી છે હોય છે ? તો ચાલો જણાવીએ

જાણો ભારતની આ 10 ઐતિહાસિક ધરોહર વિશે, જેની પ્રવેશ ફી ભારતીયો અને વિદેશીઓ માટે છે અલગ
historical heritage of India (symbolic image )Image Credit source: ALL coutresy- scoopwhoop
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 6:53 PM
Share

ભારત તેના ઇતિહાસ અને પ્રાચીન સંસ્કૃતિ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. વિશ્વભરમાંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવે છે. આ દરમિયાન વિદેશી મહેમાનો આપણા દેશની વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ભારત (India)માં આજે પણ આવી અનેક ઐતિહાસિક ધરોહર છે, જેને જોઈને જ દિલ ખુશ થઇ જાય. તમારામાંથી મોટાભાગના લોકોએ દેશની આ ઐતિહાસિક ઈમારતો જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય તેમની એન્ટ્રી ફીની રેટ લિસ્ટ જોયું છે ?, ભારતીયો અને વિદેશીઓની એન્ટ્રી ફી કેટલી છે હોય છે ? તો ચાલો જણાવીએ. (Indian Historical Places Entry Fee For Indian And Foreigner)

1- તાજમહેલ (ઉત્તર પ્રદેશ)

યુપીના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આવેલો તાજમહેલ વિશ્વની 7 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાંનો એક છે. તે 1632 માં મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા તેની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવવામાં આવ્યું હતું. દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ તાજમહેલની સુંદરતા જોવા આવે છે. તાજમહેલની એન્ટ્રી ફીની વાત કરીએ તો ભારતીયો માટે 50 રૂપિયા અને વિદેશીઓ માટે 1100 રૂપિયાની ટિકિટ છે.

Source: britannica

2- લાલ કિલ્લો (દિલ્હી)

દેશના મુખ્ય ઐતિહાસિક સ્મારકોમાંથી એક, લાલ કિલ્લો 1648 માં મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક કિલ્લાને યુનેસ્કો દ્વારા વર્ષ 2007માં ‘વર્લ્ડ હેરિટેજ’ સાઈટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. લાલ કિલ્લાની પ્રવેશ ફીની વાત કરીએ તો, ભારતીયો માટે ટિકિટ 35 રૂપિયા અને વિદેશીઓ માટે 500 રૂપિયા છે.

3- કુતુબ મિનાર (દિલ્હી)

વર્ષ 1198માં કુતુબ-ઉદ્દ-દીન ઐબક દ્વારા કુતુબ મિનારનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. 1215 માં તેમના મૃત્યુ પછી, તેમના અનુગામી ઇલ્તુત્મિશે તેનું બાંધકામ પૂર્ણ કર્યું. કુતુબમિનારની એન્ટ્રી ફીની વાત કરીએ તો ભારતીયો માટે ટિકિટ 35 રૂપિયા અને વિદેશીઓ માટે 500 રૂપિયા છે.

Source: theprin

4- હુમાયુનો કિલ્લો (દિલ્હી)

હુમાયુનો મકબરો, ભારતના સૌથી સુંદર ઐતિહાસિક સ્મારકોમાંથી એક છે, જેનું નિર્માણ 1558માં મુઘલ સમ્રાટ હુમાયુની મુખ્ય પત્ની મહારાણી બેગા બેગમ દ્વારા કરવામાં આવ્યું હતું. હુમાયુના કિલ્લાની પ્રવેશ ફી ભારતીયો માટે રૂ. 35 અને વિદેશીઓ માટે રૂ. 550 છે.

Source: viator

5- હવા મહેલ (જયપુર)

જયપુરનો હવા મહેલ તેની સુંદર અને આકર્ષક ડિઝાઇન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ઐતિહાસિક સ્મારકની સ્થાપના 1799માં મહારાજા સવાઈ પ્રતાપ સિંહ દ્વારા કરવામાં આવી હતી. હવા મહેલની એન્ટ્રી ફીની વાત કરીએ તો ભારતીયો માટે 50 રૂપિયા અને વિદેશીઓ માટે 200 રૂપિયાની ટિકિટ છે.

Source: makemytrip

6- ફતેહપુરી સિકરી (ઉત્તર પ્રદેશ)

ફતેહપુરી સિકરીનું નિર્માણ મુઘલ સમ્રાટ અકબર દ્વારા 1569માં કરવામાં આવ્યું હતું. અકબરના શાસન દરમિયાન, ફતેહપુર સિકરી મુઘલ કાળની રાજધાની હતી. આજે તે ભારતના મુખ્ય ઐતિહાસિક પ્રવાસન સ્થળોમાંનું એક છે. ફતેહપુરી સિકરીની એન્ટ્રી ફી ભારતીયો માટે 40 રૂપિયા અને વિદેશીઓ માટે 550 રૂપિયા છે.

Source: istockphoto

7- ખજુરાહો (મધ્ય પ્રદેશ) ના મંદિરો

ખજુરાહો મંદિરોનું નિર્માણ ચંદેલ રાજાઓ દ્વારા ઇ.સ 950 અને ઇ.સ 1050 વચ્ચે કરવામાં આવ્યું હતું. મંદિરોના નિર્માણ પછી, ચંદેલોએ તેમની રાજધાની મહોબામાં સ્થાનાંતરિત કરી. પરંતુ આ પછી પણ ખજુરાહોનું મહત્વ જળવાઈ રહ્યું. ખજુરાહો મંદિરોની પ્રવેશ ફી ભારતીયો માટે 40 રૂપિયા અને વિદેશીઓ માટે 600 રૂપિયા છે.

Source: timesofindia

8- વિક્ટોરિયા મેમોરિયલ (કોલકાતા)

વિક્ટોરિયા મેમોરિયલ એ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સ્થિત બ્રિટિશ યુગનું સ્મારક છે. 1906 અને 1921 ની વચ્ચે બાંધવામાં આવેલ આ સ્મારક ઈંગ્લેન્ડની તત્કાલીન રાણી વિક્ટોરિયાને સમર્પિત છે. આ સ્મારકમાં વિવિધ કારીગરીનું સુંદર મિશ્રણ છે. તેની અંદર એક અદ્ભુત મ્યુઝિયમ પણ છે. વિક્ટોરિયા મેમોરિયલની પ્રવેશ ફી ભારતીયો માટે રૂ. 20 અને વિદેશીઓ માટે રૂ. 200 છે.

Source: timesofindia

9- આમેરનો કિલ્લો (જયપુર)

શાહી ઈતિહાસ માટે પ્રખ્યાત જયપુરમાં એકથી વધુ ઐતિહાસિક કિલ્લા છે, પરંતુ અંબર કિલ્લો શહેરનું ગૌરવ છે. તે 1592 માં રાજા માન સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને બાદમાં તે સવાઈ જય સિંહ દ્વારા પણ બનાવવામાં આવ્યું હતું. આમેર ફોર્ટની પ્રવેશ ફી ભારતીયો માટે રૂ. 100 અને વિદેશીઓ માટે રૂ. 550 છે.

Source: travelwithcg

10- સાંચી સ્તૂપ (મધ્ય પ્રદેશ)

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં સાંચી (સાંચી સ્તૂપા)માં ઘણા પ્રખ્યાત બૌદ્ધ સ્મારકો અસ્તિત્વમાં છે, જે 3જી સદી પૂર્વેના છે. બારમી સદી વચ્ચેના સમયગાળા સાથે સંબંધિત છે. સાંચી સ્તૂપ, મઠો, મંદિરો અને સ્તંભો માટે જાણીતું છે. તે બૌદ્ધ સમુદાય માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. સાંચી સ્તૂપની પ્રવેશ ફી ભારતીયો માટે 40 રૂપિયા અને વિદેશીઓ માટે 600 રૂપિયા છે.

Source: wikipedia

આ પણ વાંચો :શું તમે જાણો છો પ્રેગ્નન્સીમાં સ્ટ્રેચ માર્ક્સ ફેલાય છે ? જાણો તેના વિશે કેટલીક ગેરસમજ

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીર: ગુરેઝ સેક્ટરમાં ‘સૈન્ય હેલિકોપ્ટર’ ક્રેશ, બર્ફીલા વિસ્તારમાં સૈન્યે હાથ ધરી બચાવ-રાહત કામગીરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">