AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: યુરિક એસિડ બનાવાથી થતા નુકશાન અને તેને રોકવાના ઉપાયો, રાજીવ દીક્ષિતે જણાવ્યો આ ઘરેલું ઉપાય

આપણા શરીરમાં 103 ટોક્સિન્સ બને છે, બધા જ ટોક્સિન્સ બનવાનું કારણ ખોરાકનું પચતું નથી. જ્યારે ખોરાક પચતો નથી ત્યારે શરીરમાં યુરિક એસિડ બને છે. યુરિક એસિડ વધવાને કારણે સાંધા અને પગમાં દુખાવો અને સોજાની ફરિયાદ રહે છે.

Rajiv Dixit Health Tips: યુરિક એસિડ બનાવાથી થતા નુકશાન અને તેને રોકવાના ઉપાયો, રાજીવ દીક્ષિતે જણાવ્યો આ ઘરેલું ઉપાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 6:09 PM
Share

યુરિક એસિડએ ખોરાકના પાચનમાંથી પેદા થતો કુદરતી કચરો છે. આપણા બધાના શરીરમાં યુરિક એસિડ હોય છે, જેને કિડની દ્વારા ફિલ્ટર કરીને શરીરમાંથી દૂર કરવામાં આવે છે. જ્યારે કિડની શરીરમાંથી યુરિક એસિડને ફિલ્ટર કરવામાં અસમર્થ હોય છે, ત્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે. વધેલા યુરિક એસિડ સાંધામાં ક્રિસ્ટલના રૂપમાં જમા થાય છે, જેનાથી સાંધા અને પગમાં દુખાવો થાય છે. યુરિક એસિડ વધવાને કારણે સાંધા અને પગમાં દુખાવો અને સોજાની ફરિયાદ રહે છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: આ 3 જડીબુટ્ટીઓ પેટનો દુખાવો, ગેસ કે બળતરા કરશે દૂર, રાજીવ દીક્ષિતે જણાવ્યો ઘરેલું ઉપાય

જો યુરિક એસિડ વધી રહ્યું છે તો આયુર્વેદિક નિષ્ણાત રાજીવ દીક્ષિતે તેને નિયંત્રિત કરવા માટે કેટલાક ઉપાયો આપ્યા છે, જેને અપનાવીને વ્યક્તિ આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે. તેમણે આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા શારીરિક બિમારીઓને સુધારવા માટેના ઉપાયો આપ્યા છે.

રાજીવ દીક્ષિતનું 30 નવેમ્બર 2010ના રોજ અવસાન થયું પરંતુ તેમના આયુર્વેદિક ઉપચાર પુસ્તકોમાં હાજર છે. ચાલો જાણીએ કે યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે નિષ્ણાતો દ્વારા કયા ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

યુરિક એસિડ કેમ બને છે

આપણા શરીરમાં 103 ટોક્સિન્સ બને છે, બધા જ ટોક્સિન્સ બનવાનું કારણ ખોરાક ન પચવાનું હોય છે. જ્યારે ખોરાક પચતો નથી ત્યારે શરીરમાં યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ, એલડીએલ બને છે, જે શરીરને બીમાર બનાવે છે. જો આપણે આ પ્રકારના ઝેરી પદાર્થોથી બચવું હોય તો સૌ પ્રથમ આપણે ખોરાકનું પચાવવાનું ધ્યાન રાખવું પડશે.

ખોરાક પચવા માટે ખાધા પછી શું કરવું જોઈએ

જો તમે 100 ગ્રામ ખાધા પછી માત્ર 100 ગ્રામ જ પચે તો તમારું હેલ્થ રિપોર્ટ કાર્ડ સારું છે. ખોરાક ખાધા પછી તેને કેવી રીતે પચાવી શકાય તેનું ધ્યાન રાખવું પડશે. જો આપણે ખોરાક ખાધા પછી તેને પચાઈ લઈએ તો તેમાંથી લોહી, માંસ, મલ, મૂત્ર, ચરબી બને અને જો પચાવી ન શકીએ તો તેમાંથી ઝેર બને છે. ચાલો જાણીએ કે ખોરાક પચવા માટે ખાધા પછી શું કરવું જોઈએ.

દોઢ કલાક પછી જ પાણીનું સેવન કરવું

ખોરાક ખાધા પછી શરીરમાં ઘન અને લિક્વિડ પેસ્ટ બને છે. ઘન અને પ્રવાહી બનવાની આ પ્રક્રિયા પેટમાં એક કલાક અને ત્રીસ મિનિટ સુધી થાય છે. એક કલાક અને ત્રીસ મિનિટ પછી, ખોરાકનો રસ બનવા લાગે છે, જેના માટે પાણીની જરૂર પડે છે. એટલા માટે ભોજન કર્યાના દોઢ કલાક પછી જ પાણીનું સેવન કરવું જરૂરી છે. જો તમે ભોજન કર્યાના દોઢ કલાક પછી પાણી પીશો તો ખોરાક સરળતાથી પચી જશે અને શરીરમાં ઝેરી તત્વો બનતા નથી.

48 મિનિટ પછી તમે જેટલું ઈચ્છો તેટલું પાણી પી શકો છો

તમે ભોજન કર્યાના 48 મિનિટ પહેલા પાણી પી શકો છો. 48 મિનિટ સુધી પાણી પીવાનું કહેવામાં આવે છે કારણ કે પાણી પીધા પછી પેશાબમાં 48 મિનિટનો સમય લાગે છે, તેથી 48 મિનિટ પછી પાણી પીવો. 48 મિનિટ પછી તમે જેટલું ઈચ્છો તેટલું પાણી પી શકો છો, જો તમને ભોજનની વચ્ચે ખાંસી આવે, જો ખોરાક અટકી જાય અથવા જો ઠંડી લાગે તો તમે જમતી વખતે પાણી પી શકો છો.

થોડું પાણી પીવાથી તમારા શરીરને ફાયદો થશે

જો તમે બે પ્રકારના ખોરાક ખાઓ છો, જેમ કે ઘઉંના દાણામાંથી બનેલી રોટલી ખાધા પછી ભાત ખાઓ છો, તો વચ્ચે થોડું પાણી ચોક્કસ પીવો. દરેક પ્રકારના ખોરાકને પચાવવા માટે આપણા શરીરમાં વિવિધ પ્રકારના એન્જાઈન હોય છે. જો તમે બે અનાજનું સેવન કરી રહ્યા છો તો વચ્ચે વચ્ચે થોડું પાણી ચોક્કસ પીવો. બે અનાજ જમતી વખતે વચ્ચે થોડું પાણી પીવાથી તમારા શરીરને ફાયદો થશે.

જમ્યા પછી તમે દૂધ, જ્યુસ કે લસ્સી પી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">