AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Care : ગર્ભાવસ્થા દરમ્યાન ખુશ રહેવાથી આવનાર બાળકનો વિકાસ વધુ સારો થશે

ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બીપીની સમસ્યા ખૂબ જ ખતરનાક પરિસ્થિતિનું કારણ બની શકે છે. ક્યારેક હાઈ બીપીને કારણે કસુવાવડ થવાની પણ શક્યતા રહે છે. હાઈ બીપીનું મુખ્ય કારણ તણાવ પણ છે.

Pregnancy Care : ગર્ભાવસ્થા દરમ્યાન ખુશ રહેવાથી આવનાર બાળકનો વિકાસ વધુ સારો થશે
Being happy during pregnancy will help the baby to develop better (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 9:00 AM
Share

ગર્ભાવસ્થા(Pregnancy )  દરમિયાન, સ્ત્રીને ઘણી સમસ્યાઓનો (Problems ) સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જો કોઈ ખુશ(Happy) રહેવાની વાત કરે છે, તો ખૂબ ગુસ્સો આવે છે. પરંતુ જો તમને ગર્ભાવસ્થા દરમિયાન ખુશ રહેવાના ફાયદાઓ વિશે ખબર પડશે, તો પછી તમે કોઈપણ સંજોગોમાં તમારી જાતને ખુશ રાખવાની કોશિશ કરશો. ખુશ રહેવાથી તમને બેવડો ફાયદો મળે છે. તે ન માત્ર તમારા સ્વાસ્થ્યને જાળવી રાખે છે, પરંતુ તમારી અંદરના હોર્મોનલ ફેરફારોને કારણે થતી તમામ સમસ્યાઓથી પણ રાહત આપે છે. જો તમે ખુશ છો, તો તમારા બાળકને પણ તેનાથી ઘણો ફાયદો થાય છે. અહીં જાણો ગર્ભાવસ્થા દરમિયાન ખુશ રહેવાના તમામ ફાયદાઓ વિશે.

તણાવથી છુટકારો મેળવો

સગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ ફેરફારોને કારણે, સ્ત્રીને વારંવાર મૂડ સ્વિંગની સમસ્યા રહે છે. જેના કારણે ગુસ્સો, તણાવ અને ડિપ્રેશનની સમસ્યા રહે છે. પરંતુ જો સ્ત્રી ખુશ હોય તો તેની અંદર ખુશીના હોર્મોન્સ બહાર આવે છે. આ રીતે, તે તણાવની સમસ્યાથી છુટકારો મેળવે છે.

હાઈ બીપીનું જોખમ ઘટે છે 

ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બીપીની સમસ્યા ખૂબ જ ખતરનાક પરિસ્થિતિનું કારણ બની શકે છે. ક્યારેક હાઈ બીપીને કારણે કસુવાવડ થવાની પણ શક્યતા રહે છે. હાઈ બીપીનું મુખ્ય કારણ તણાવ પણ છે. જો તમે સ્ટ્રેસને કંટ્રોલ કરી શકશો તો હાઈ બીપીની સમસ્યાનું જોખમ પણ ઘણું ઓછું થઈ જશે.

આ પરેશાનીઓમાંથી પણ લાભ મેળવો

ગર્ભાવસ્થા દરમિયાન, ઘણી વખત ગર્ભવતી સ્ત્રીને કમરનો દુખાવો, માથાનો દુખાવો, પગમાં દુખાવો, થાક વગેરે, શરીરમાં સોજો અને થાક જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં, જો તમે ખુશ રહેશો, તો તમારું ધ્યાન આવી સમસ્યાઓ પર ઓછું રહેશે. આ સિવાય તમારા શરીરમાં એનર્જી જળવાઈ રહેશે. આ સાથે નોર્મલ ડિલિવરીની શક્યતાઓ પણ ઘણી વધી જાય છે.

બાળકનો વધુ સારો વિકાસ

એવું કહેવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાની પ્રવૃત્તિઓ બાળકના માનસિક વિકાસ પર પણ અસર કરે છે. આવી સ્થિતિમાં બાળકના મગજનો સારી રીતે વિકાસ થાય છે અને તે ખૂબ જ કુશળ બુદ્ધિ સાથે જન્મે છે. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન સ્ત્રીને સારા કાર્યો કરવા માટે કહેવામાં આવે છે.

ખુશ રહેવાની રીત

ખુશ રહેવાનું શીખવા માટે, ગર્ભાવસ્થાની તમામ સમસ્યાઓને બાયપાસ કરીને, એ મહત્વનું છે કે તમે તમારી જાતને તમને ગમતી વસ્તુઓમાં વ્યસ્ત રાખો, જેથી તમને સારું લાગે અને તમારું મન તેની પરેશાનીઓથી દૂર થઈ શકે. તમારી સાથે જે કંઈ થઈ રહ્યું છે તે કુદરતી પ્રક્રિયાનો એક ભાગ છે. તેને સ્વીકારો, પરંતુ તેને તમારા પર વર્ચસ્વ ન થવા દો. સારા પુસ્તકો વાંચો, જોક્સ વાંચો કે સાંભળો. આ ઉપરાંત, તમે સંગીત સાંભળી શકો છો, કોઈ સાધન વગાડી શકો છો અથવા પુસ્તકો વાંચી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.

આ પણ વાંચો :

Health: પેશાબમાં બળતરા થવા પાછળ આ કારણ હોય શકે છે જવાબદાર, છુટકારો મેળવવા કરો આ ઉપાય

Health: આ લાલ ખોરાક તમારા લોહીને વધુ લાલ કરવા કરશે મદદ, શરૂ કરી દો સેવન

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">