AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: આ લાલ ખોરાક તમારા લોહીને વધુ લાલ કરવા કરશે મદદ, શરૂ કરી દો સેવન

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે સફરજન ખાવાથી તમે ડોક્ટરોથી દૂર રહો છો , જે બિલકુલ સાચું છે. સફરજનમાં આયર્ન હોય છે જે તમારા હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.

Health: આ લાલ ખોરાક તમારા લોહીને વધુ લાલ કરવા કરશે મદદ, શરૂ કરી દો સેવન
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 9:05 AM
Share

એનિમિયા (Anemia ) એક એવી સ્થિતિ છે, જેમાં શરીરમાં લોહીની (blood )ઉણપ હોય છે. આ સ્થિતિમાં, શરીરમાં લાલ રક્તકણો અને હિમોગ્લોબિનનું(Hemoglobin )  સ્તર ઘણું ઓછું થઈ જાય છે. ઘણી સ્ત્રીઓ અને બાળકો આ રોગનો શિકાર બને છે કારણ કે તેઓ તેમના શરીરમાં આયર્ન સપ્લાય કરી શકતા નથી. આયર્નની માત્રા પૂરી કરવા માટે તમારે આયર્નથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું પડશે.

આ તત્વની ઉણપ મોટાભાગના લોકોના શરીરમાં જોવા મળે છે કારણ કે મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે કઈ વસ્તુમાં આયર્ન હોય છે અને કઈ વસ્તુ શરીરમાં લોહી વધારી શકે છે. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ તમે ખાઈ શકો છો જેનાથી આયર્નની માત્રા પૂરી થઈ શકે છે.

દાડમ દાડમમાં આયર્ન, વિટામીન A, E અને C ભરપૂર માત્રામાં મળે છે અને આ ફળ શરીરમાં લોહીનું સ્તર વધારવામાં ખૂબ જ સક્ષમ છે. તેમાં હાજર વિટામિન સી, જેને એસ્કોર્બિક એસિડ પણ કહેવામાં આવે છે, તે શરીરમાં લોહીનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે. જો કે દાડમના દાણા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, પરંતુ જો તમે તેનો જ્યુસ બનાવવા માંગતા હોવ તો તેનો જ્યુસ ઘરે જ કાઢી લો અને તેને પીવો જેથી કરીને તમે તેનું શુદ્ધ સ્વરૂપમાં સેવન કરી શકો છો.

બીટરૂટ  જે જોવામાં આટલું લાલ છે તે તમારા શરીરને અંદરથી ખૂબ જ લાલ કરી શકે છે. બીટરૂટમાં આયર્ન પણ વધુ માત્રામાં હોય છે. જો તમે એનિમિયાથી પીડિત છો તો તેનું રોજ સેવન કરવું જોઈએ. આનાથી માત્ર હિમોગ્લોબિનનું સ્તર જ નથી વધતું પરંતુ તમારો ચહેરો પણ લાલાશથી ભરાઈ જાય છે અને ત્વચામાં એક અલગ જ ચમક જોવા મળે છે.

એપલ તમે આ કહેવત તો સાંભળી જ હશે કે સફરજન ખાવાથી તમે ડોક્ટરોથી દૂર રહો છો , જે બિલકુલ સાચું છે. સફરજનમાં આયર્ન હોય છે જે તમારા હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. દરરોજ એક સફરજન ખાવાથી ન માત્ર શરીરમાં લોહીની માત્રા પર્યાપ્ત રહેશે, પરંતુ તમે તમારી જાતને ઘણી બીમારીઓથી બચાવી શકો છો. સફરજનમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે શરીરને અનેક પ્રકારના નુકસાનથી બચાવે છે.

લાલ માંસ માંસાહારી પ્રેમીઓ માટે લાલ માંસ પણ આયર્નનો ખૂબ સારો સ્ત્રોત છે. 100 ગ્રામ લાલ માંસનું સેવન કરવાથી તમે દરરોજની આયર્નની 15% જરૂરિયાત પૂરી કરી શકો છો. રેડ મીટમાં માત્ર આયર્ન જ નહીં પરંતુ પ્રોટીન, સેલેનિયમ, વિટામિન બી પણ હોય છે. પરંતુ લાલ માંસનું વધુ માત્રામાં સેવન કરવાથી કેટલીક આડઅસર પણ જોવા મળે છે, તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો.

આ પણ વાંચો : Health In Winter : શિયાળાની રાત્રે ગરમ કપડાં પહેરીને સુઈ જવાથી પણ થઇ શકે છે નુકશાન ?

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">