AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: આ લાલ ખોરાક તમારા લોહીને વધુ લાલ કરવા કરશે મદદ, શરૂ કરી દો સેવન

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે સફરજન ખાવાથી તમે ડોક્ટરોથી દૂર રહો છો , જે બિલકુલ સાચું છે. સફરજનમાં આયર્ન હોય છે જે તમારા હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.

Health: આ લાલ ખોરાક તમારા લોહીને વધુ લાલ કરવા કરશે મદદ, શરૂ કરી દો સેવન
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 9:05 AM
Share

એનિમિયા (Anemia ) એક એવી સ્થિતિ છે, જેમાં શરીરમાં લોહીની (blood )ઉણપ હોય છે. આ સ્થિતિમાં, શરીરમાં લાલ રક્તકણો અને હિમોગ્લોબિનનું(Hemoglobin )  સ્તર ઘણું ઓછું થઈ જાય છે. ઘણી સ્ત્રીઓ અને બાળકો આ રોગનો શિકાર બને છે કારણ કે તેઓ તેમના શરીરમાં આયર્ન સપ્લાય કરી શકતા નથી. આયર્નની માત્રા પૂરી કરવા માટે તમારે આયર્નથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું પડશે.

આ તત્વની ઉણપ મોટાભાગના લોકોના શરીરમાં જોવા મળે છે કારણ કે મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે કઈ વસ્તુમાં આયર્ન હોય છે અને કઈ વસ્તુ શરીરમાં લોહી વધારી શકે છે. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ તમે ખાઈ શકો છો જેનાથી આયર્નની માત્રા પૂરી થઈ શકે છે.

દાડમ દાડમમાં આયર્ન, વિટામીન A, E અને C ભરપૂર માત્રામાં મળે છે અને આ ફળ શરીરમાં લોહીનું સ્તર વધારવામાં ખૂબ જ સક્ષમ છે. તેમાં હાજર વિટામિન સી, જેને એસ્કોર્બિક એસિડ પણ કહેવામાં આવે છે, તે શરીરમાં લોહીનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે. જો કે દાડમના દાણા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, પરંતુ જો તમે તેનો જ્યુસ બનાવવા માંગતા હોવ તો તેનો જ્યુસ ઘરે જ કાઢી લો અને તેને પીવો જેથી કરીને તમે તેનું શુદ્ધ સ્વરૂપમાં સેવન કરી શકો છો.

બીટરૂટ  જે જોવામાં આટલું લાલ છે તે તમારા શરીરને અંદરથી ખૂબ જ લાલ કરી શકે છે. બીટરૂટમાં આયર્ન પણ વધુ માત્રામાં હોય છે. જો તમે એનિમિયાથી પીડિત છો તો તેનું રોજ સેવન કરવું જોઈએ. આનાથી માત્ર હિમોગ્લોબિનનું સ્તર જ નથી વધતું પરંતુ તમારો ચહેરો પણ લાલાશથી ભરાઈ જાય છે અને ત્વચામાં એક અલગ જ ચમક જોવા મળે છે.

એપલ તમે આ કહેવત તો સાંભળી જ હશે કે સફરજન ખાવાથી તમે ડોક્ટરોથી દૂર રહો છો , જે બિલકુલ સાચું છે. સફરજનમાં આયર્ન હોય છે જે તમારા હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. દરરોજ એક સફરજન ખાવાથી ન માત્ર શરીરમાં લોહીની માત્રા પર્યાપ્ત રહેશે, પરંતુ તમે તમારી જાતને ઘણી બીમારીઓથી બચાવી શકો છો. સફરજનમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે શરીરને અનેક પ્રકારના નુકસાનથી બચાવે છે.

લાલ માંસ માંસાહારી પ્રેમીઓ માટે લાલ માંસ પણ આયર્નનો ખૂબ સારો સ્ત્રોત છે. 100 ગ્રામ લાલ માંસનું સેવન કરવાથી તમે દરરોજની આયર્નની 15% જરૂરિયાત પૂરી કરી શકો છો. રેડ મીટમાં માત્ર આયર્ન જ નહીં પરંતુ પ્રોટીન, સેલેનિયમ, વિટામિન બી પણ હોય છે. પરંતુ લાલ માંસનું વધુ માત્રામાં સેવન કરવાથી કેટલીક આડઅસર પણ જોવા મળે છે, તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો.

આ પણ વાંચો : Health In Winter : શિયાળાની રાત્રે ગરમ કપડાં પહેરીને સુઈ જવાથી પણ થઇ શકે છે નુકશાન ?

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">