AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: આહારમાં આ ખોરાકનો સમાવેશ કરશો તો બ્લડ પ્રેશર સામાન્ય રહેશે

ખરાબ જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ આહાર અને તણાવને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ઘણી વખત હાઈ અને લો બ્લડ પ્રેશરની સમસ્યા પણ થાય છે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે તમે ડાયટમાં ઘણા પ્રકારના ખોરાકનો પણ સમાવેશ કરી શકો છો.

Health Tips: આહારમાં આ ખોરાકનો સમાવેશ કરશો તો બ્લડ પ્રેશર સામાન્ય રહેશે
Health Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 10:15 AM
Share

હાઈ બ્લડ પ્રેશર (Blood pressure) ને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ બમણું થઈ જાય છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે  (Health Tips) વિવિધ દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ તમે સ્વસ્થ જીવનશૈલીને અનુસરીને તમારા બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખી શકો છો. તમે ઘણા પ્રકારના યોગાસનો કરી શકો છો. તમારા આહારમાં તંદુરસ્ત ખોરાકનો (Diet)  સમાવેશ કરી શકાય છે. જે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તમે કયા ખોરાકનું સેવન કરી શકાય.

ખાટા ફળો

નારંગી, લીંબુ, ગ્રેપફ્રૂટ જેવા ખાટાં ફળો બ્લડ પ્રેશરનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ફળોમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તે તમારા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

કઠોળ અને દાળ

કઠોળ અને દાળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક અભ્યાસ મુજબ કઠોળ અને દાળમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાવાળા ગુણ હોય છે.

કોળાંના બીજ

કોળાના બીજ પોટેશિયમ, એમિનો એસિડ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. તે રક્તવાહિનીઓને આરામ આપવા અને બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવાનું કામ કરે છે. કોળાના બીજનું તેલ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ સારો ઉપાય માનવામાં આવે છે.

માછલી

માછલી એ ઓમેગા 3 ફેટી એસિડ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે. માછલીમાં ગુડ ફેટ હોય છે. તે બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રણમાં રાખે છે.

ગાજર

તમે ગાજરને કાચા પણ ખાઈ શકો છો. ગાજર ક્લોરોજેનિક, પી-કૌમેરિક અને કેફીક એસિડ જેવા ફિનોલિક તત્વોથી ભરપૂર હોય છે. જે રક્તવાહિનીઓને આરામ આપવામાં અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

ખજૂર

ખજૂરમાં વિટામિન A, B1, B2, B5 અને વિટામિન C હોય છે. તેમાં પોટેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે. તેઓ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે નિયમિત રીતે 2-3 ખજૂરનું સેવન કરી શકો છો.

કિસમિસ

કિસમિસમાં ફાઈબર અને પોટેશિયમ મળી આવે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. રાત્રે સૂતા પહેલા એક કપ પાણીમાં થોડી માત્રામાં કિસમિસ પલાળી દો. કિશમિશનું આ પાણી સવારે ખાલી પેટ પીવો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Health Tips : કલાકો સુધી બેસીને કામ કરવાથી વધે છે આ બીમારીઓનું જોખમ !

આ પણ વાંચો-

Health Tips: શું તમે આખો દિવસ વ્યસ્ત રહો છો ? તો આ પદ્ધતિઓ અપનાવીને વજન ઘટાડી શકો છો

g clip-path="url(#clip0_868_265)">