AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરીરમાં Uric Acid વધવાની સમસ્યા છે તો આજથી જ આ શાકભાજી ખાવાથી રહો દુર

તમારે કેટલાક શાકભાજી ખાવાથી બચવાની જરૂર છે, જેના કારણે તમારા શરીરમાં યુરિક એસિડ (Uric Acid)વધી શકે છે. આ આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું કે કયા શાકભાજી ખાવા જોઈએ નહીં.

શરીરમાં Uric Acid વધવાની સમસ્યા છે તો આજથી જ આ શાકભાજી ખાવાથી રહો દુર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 11:56 AM

ઘણા લોકો શરીરમાં યુરિક એસિડ વધવાની ફરિયાદ કરતા રહે છે. યુરિક એસિડ (Uric Acid)એ શરીરનો કુદરતી કચરો છે, જે શરીરમાંથી બહાર આવતો રહે છે. જો કે, પ્યુરીનથી ભરપૂર વસ્તુઓ ખાવાથી આ એસિડ વધી શકે છે. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાથી સાંધામાં દુખાવો, હાથ-પગમાં સોજો આવી શકે છે. આવી સ્થિતિમાં તમારે કેટલાક શાકભાજી ખાવાથી બચવું જોઈએ, જેના કારણે તમારા શરીરમાં યુરિક એસિડ વધી શકે છે. આ આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું કે ક્યાં શાકભાજી ન ખાવા જોઈએ.

યુરિક એસિડના દર્દીઓએ આ શાકભાજીથી દુર રહેવું જોઈએ

આ પણ વાંચો : Health Tips: ડાયાબિટીસના દર્દીઓ માટે ચમત્કારિક છે આ 3 શાકભાજી! તમારા બજેટમાં પણ થશે ફિટ

પાલક : શિયાળામાં લોકો પાલક ખૂબ ખાય છે. પાલકને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ સાથે પાલકમાં પ્રોટીન અને પ્યુરિન બંને મળી આવે છે. યુરિક એસિડના દર્દીએ આ બે તત્વોથી દૂર રહેવું જોઈએ, કારણ કે પાલકમાં રહેલા આ તત્વો યુરિક એસિડના દર્દીને સોજો અને સાંધાનો દુખાવો કરી શકે છે.

સારા તેંડુલકર અને સના ગાંગુલીમાંથી નાનું કોણ છે?
દુનિયાનો આ દેશ, જ્યાં મંગળવાર અને શુક્રવારે નથી થતા લગ્નો ! જાણો કેમ?
પંડિત અને બ્રાહ્મણ વચ્ચે શું તફાવત છે?
Vastu tips: ઘર બનાવતી વખતે નવા દરવાજા પર શું બાંધવામાં આવે છે?
સવાર-સવારમાં કબૂતરને જોવું કઈ વાતનો સંકેત આપે છે?
Health Tips : પિરામિડ વોક કરવાથી થાય છે અઢળક ફાયદા, જાણો આ શું છે

અરબી :  અરબી એક રેસાવાળું શાક છે, જેને મોટાભાગના લોકો ખાવાનું પસંદ કરે છે. લોકો વિવિધ કોમ્બિનેશનથી પ્રકારના સ્વાદિષ્ટ શાક બનાવે છે.પરંતુ અમે તમને જણાવી દઈએ કે જે લોકોને યુરિક એસિડની સમસ્યા હોય તેમણે ભૂલથી પણ આ શાક ન ખાવું જોઈએ. તેનાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી શકે છે.

કઠોળ : કઠોળમાં યુરિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઘણીવાર યુરિક એસિડના દર્દીઓએ કઠોળ ખાવાનું ટાળવું જોઈએ. જો યુરિક એસિડના દર્દીઓ કઠોળ ખાય તો તેમને સોજાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કોબીજ : લોકો ફૂલકોબીને ખૂબ જ ખાય છે. શાકની સાથે લોકોને તેના પરાઠા અને પકોડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.શિયાળાની ઋતુમાં આ એક પ્રિય શાક છે, પરંતુ યુરિક એસિડમાં વધારો થવાથી આ શાક બિલકુલ ન ખાવું જોઈએ. આ તે શાકભાજીમાંથી એક છે જેમાં પ્યુરિન વધુ પડતું જોવા મળે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
Tv9 ના અહેવાલ બાદ તંત્ર હરક્તમાં, RTO સર્વિસ રોડ પરના ખાડા બુરાયા
Tv9 ના અહેવાલ બાદ તંત્ર હરક્તમાં, RTO સર્વિસ રોડ પરના ખાડા બુરાયા
Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ
Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ
જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video
જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video
ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video
ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video
મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ
મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ
ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી
ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી
જામનગરમાં એક પુલ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા, છતાં નથી બન્યો પુલ
જામનગરમાં એક પુલ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા, છતાં નથી બન્યો પુલ
બનાસકાંઠાનું નાગલા ગામ બેટમાં ફેરવાયું !
બનાસકાંઠાનું નાગલા ગામ બેટમાં ફેરવાયું !
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">