Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે દરરોજ ચાલવું કેટલું ફાયદાકારક છે ? જાણો નિષ્ણાંત પાસેથી જવાબ

Diabetes control Tips: લોકો ડાયાબિટીસને બહુ ગંભીરતાથી લેતા નથી, પરંતુ તે એક એવો રોગ છે જેનો કોઈ ઈલાજ નથી. ફક્ત આને નિયંત્રિત કરી શકાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે શું ચાલવાથી આ રોગને નિયંત્રણમાં રાખી શકાય છે ?

Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે દરરોજ ચાલવું કેટલું ફાયદાકારક છે ? જાણો નિષ્ણાંત પાસેથી જવાબ
Diabetes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 5:40 PM

ભારતમાં ડાયાબિટીસ(Diabetes)ની બિમારી દિનપ્રતિદિન વધી રહી છે. 10 કરોડથી વધુ લોકો આ રોગથી સંક્રમિત છે. વડીલો હોય કે બાળકો, દરેક જણ તેનો શિકાર બને છે. ડાયાબિટીસને રોકવા માટે, ખોરાકને યોગ્ય રાખવા અને સારી જીવનશૈલીને અનુસરવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક લોકોના મનમાં એવો પણ સવાલ છે કે શું રોજ ચાલવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકાય છે. આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દીઓને ચાલવાથી ઘણો ફાયદો થાય છે, પરંતુ તેના માટે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ક્યા સમયે ચાલવું અને રોજ કેટલા સ્ટેપ ચાલવું.

આ પણ વાંચો : Pineapple Benefits And Side Effects: અનાનસ ખાવાથી વધી શકે છે ડાયાબિટીસ? જાણો પાઈનેપલના ફાયદા અને નુકસાન

નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસના દર્દીઓએ દિવસમાં ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ ચાલવું જોઈએ. દરરોજ લગભગ 5 હજાર સ્ટેપ્સ ચાલવાનો પ્રયાસ કરો. તમારા શરીરની ક્ષમતા અનુસાર, તમે આ સંખ્યાને વધારી અથવા ઘટાડી શકો છો. પણ ધ્યાન રાખો કે બહુ ધીમે ન ચાલો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

કયા સમયે ચાલવું જોઈએ

એન્ડોક્રિનોલોજિસ્ટ ડો.સ્વપ્નીલ કુમાર કહે છે કે ડાયાબિટીસના દર્દીઓ સવારે કે સાંજે ગમે ત્યારે ચાલી શકે છે. જો કે, આ સમય દરમિયાન ધ્યાનમાં રાખો કે તમારું પેટ ખાલી હોય , જો કે કેટલાક લોકો સાંજે જમી લેતા હોય છે. આવા લોકો સવારે વોક કરી શકે છે. જો તમે ખાધું હોય, તો તમારે જમ્યા પછી ઓછામાં ઓછું એક કલાક ચાલવું જોઈએ.

ડાયાબિટીસને નિયંત્રિત કરવાના ઉપાય

તુલસીના પાનનો ઉપયોગ કરીને ડાયાબિટીસને નિયંત્રિત કરો

તુલસીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. આ સિવાય તેમાં ઘણા એવા તત્વો જોવા મળે છે જે સ્વાદુપિંડના બીટા કોષોને ઇન્સ્યુલિન પ્રત્યે સક્રિય બનાવે છે. આ કોષો ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારે છે. સવારે ઉઠીને ખાલી પેટે બેથી ત્રણ તુલસીના પાન ચાવો. તમે ઈચ્છો તો તુલસીનો રસ પણ પી શકો છો. તેનાથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે.

તજ પાવડર લેવાથી પણ ખૂબ જ ફાયદો થાય છે

તજ એ ભારતીય ભોજનમાં વપરાતો મુખ્ય મસાલો છે. તજના ઉપયોગથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે. તે લોહીમાં ખાંડના સ્તરને ઘટાડવા અને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેના નિયમિત સેવનથી સ્થૂળતા પણ ઓછી કરી શકાય છે. તજને પીસીને બારીક પાવડર બનાવો અને તેને નવશેકા પાણી સાથે લો. જથ્થા પર વિશેષ ધ્યાન આપો. આ પાવડરનું વધુ પડતું સેવન કરવું જોખમી બની શકે છે.

ગ્રીન ટી પીવી પણ ફાયદાકારક છે

ગ્રીન ટીમાં પોલીફેનોલ્સનું પ્રમાણ વધુ હોય છે. તે એક સક્રિય એન્ટીઑકિસડન્ટ છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. દરરોજ સવારે અને સાંજે ગ્રીન ટી પીવાથી ફાયદો થશે.

સરગવાના પાનનો રસ પણ ફાયદાકારક છે

સરગવાના પાનનો રસ પણ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ખૂબ જ અસરકારક છે. સરગવાના પાનને પીસીને નિચોવીને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. તેનાથી શુગર લેવલ વધશે નહીં.

જાંબુના બીજનું સેવન કરવું

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ જાંબુના બીજ ફાયદાકારક છે. જામુનના બીજને સારી રીતે સૂકવી લો. સુકાઈ ગયા પછી તેને પીસીને પાવડર બનાવી લો. જામુનના બીજને સવારે ખાલી પેટે હુંફાળા પાણી સાથે લો. આ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">