AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: ડાઘ, આંખના કુંડાળા, દાઝેલાના ડાઘ થશે દૂર, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલું ઉપાય

જ્યારે સવારની લાળનું પીએચ પરીક્ષણ કર્યું તો તે 8.4 હોવાનું બહાર આવ્યું. જેના કારણે એ સાબિત થાય છે કે સવારે બનેલી લાળમાં અનેક ઔષધીય ગુણો હોય છે.

Rajiv Dixit Health Tips: ડાઘ, આંખના કુંડાળા, દાઝેલાના ડાઘ થશે દૂર, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલું ઉપાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 7:00 AM
Share

Ahmedabad: રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. રાત્રે સુતા પછી જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યારે આપણા મોંમાં લાળનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને જો આપણે પાણી પીશું તો આ લાળ અંદર જશે.

એટલા માટે ક્યારેય સવારે ઉઠીને તમારા દાંત ન ધોશો અને કોગળા પણ ન કરો. કારણ કે આમ કરવાથી લાળ થૂંકવી પડે છે અને સવારની લાળ ખૂબ આલ્કલાઇન હોય છે. તે શરીરમાં જઈને ઘણા ફાયદા આપે છે. તે શરીરમાં જશે અને પેટના તમામ રોગોનો અંત આવશે.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips: શરદી, ઉધરસ, કાકડા સહિત ગળાની દરેક સમસ્યા થશે દૂર, રાજીવ દીક્ષિતે જણાવ્યા ગળાની સમસ્યાઓના ઘરગથ્થુ ઉપચાર, જુઓ Video

લાળમાં અનેક ઔષધીય ગુણો હોય છે

રાજીવ દીક્ષિતે જણાવ્યું કે જ્યારે કે મે જ્યારે સવારની લાળનું પીએચ પરીક્ષણ કર્યું તો તે 8.4 હોવાનું બહાર આવ્યું. જેના કારણે એ સાબિત થાય છે કે સવારે બનેલી લાળમાં અનેક ઔષધીય ગુણો હોય છે.

ઘણા લોકોની આંખો નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. તેમને રાજીવ દીક્ષિતે જણાવ્યું કે જો આંખોની નીચેના ડાર્ક સર્કલ ઠીક ન થઈ રહ્યા હોય તો સવારની લાળને ડાર્ક સર્કલ વાળી જગ્યાએ લગાવો અને હળવો મસાજ કરો, થોડા દિવસોમાં તે ઠીક થઈ જશે.

આમ કરવાથી તેમના ચહેરાના ડાઘ પણ દૂર થઈ જશે

જો કોઈની આંખો નબળી છે અને તે તેના ચશ્મા કાઢવા માંગે છે, તો તેની આંખોમાં કાજલની જેમ સવારની લાળ લગાવો. તમારે ચશ્માની જરૂર પડશે નહિં. જો તમને શરીરમાં ક્યાંક ઈજા થઈ હોય અને તે ઝડપથી ઠીક ન થઈ રહી હોય તો ત્યાં પણ આ લાળ લગાવો. તમને તેની અસર બહુ જલ્દી જોવા મળશે. જો કોઈને પિમ્પલ્સ અથવા બ્લેકહેડ્સ, ખીલ થાય છે અથવા તેનો ચહેરો ખૂબ જ ખરાબ દેખાવા લાગે છે, તો તેણે તેના ચહેરા પર સવારની લાળ લગાવવી જોઈએ. આમ કરવાથી તેમના ચહેરાના ડાઘ પણ દૂર થઈ જશે.

6-7 મહિનામાં તેના ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા

રાજીવ દીક્ષિતે જણાવ્યું કે એકવાર તેમની પાસે એક દર્દી આવ્યો જેનો હાથ ગરમ દૂધથી દાઝી ગયો હતો. તેનો ઘા મટી ગયો પણ ડાઘ હજી પણ દેખાતો હતો અને તે દર્દીએ કોઈપણ રીતે તે ડાઘ દૂર કરવો પડે તેમ હતો. કારણ કે તે છોકરી હતી અને તેના લગ્ન થવાના હતા. તેના પરિવારજનોને ચિંતા હતી કે સાસરિયાઓએ જોશે તો શું થશે. તો રાજીવ દીક્ષિતે છોકરીને લાળ લગાવવાની સલાહ આપી. તે છોકરી દરરોજ લાળ લગાવવા લાગી અને 6-7 મહિનામાં તેના ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા.

શું તમે ક્યારેય એવું જોયું છે કે જ્યારે પણ પ્રાણીઓને ઈજા થાય છે, ત્યારે તેઓ તે ભાગને ચાટવા લાગે છે અને તેને ચાટવાથી મટાડી દે છે, તો પ્રાણીઓની જેવું જ મનુષ્યોનું છે, પ્રાણીઓની લાળ પણ એલ્કેલાન છે અને તેને ચાટવાથી તે ઘાનો ઉપચાર કરે છે. ગાય પોતાના બચ્ચાને ચાટવાથી તેના તમામ રોગો મટાડે છે, માનવી પણ કરી શકે છે, તેને માત્ર થોડા સંવેદનશીલ બનવાની જરૂર છે.

અમેરિકાથી લાળનું પેકેટ આયાત કરે છે

રાજીવ દીક્ષિતના બે પેશન્ટ છે જેઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે, તેમના બચવાના ચાન્સ નહિવત્ છે કારણ કે તેમની લાળ ગ્રંથીઓ સંપૂર્ણપણે નાશ પામી છે. લાળ ન હોવાને કારણે જતા નથી, તેથી તે કરોડપતિઓ મને કંઈક કહેવાનું કહે છે. હું કહું છું, જો તમારી પાસે વધુ પૈસા છે, તો અમેરિકાથી લાળનું પેકેટ આયાત કરો, આવા લાળના પેકેટ અમેરિકામાં ઉપલબ્ધ છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">