Heart Care : શું હૃદયરોગના હુમલાથી બચવા ફક્ત કોલેસ્ટ્રોલ ટેસ્ટ જ પૂરતો છે ?

જો કોઈ વ્યક્તિના પરિવારમાં આ રોગ હોય, તો તે એક પેઢીથી બીજી પેઢીમાં જઈ શકે છે. જે લોકો વધુ ધૂમ્રપાન કરે છે અથવા વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરે છે તેઓને પણ હૃદયરોગનું જોખમ રહેલું છે.

Heart Care : શું હૃદયરોગના હુમલાથી બચવા ફક્ત કોલેસ્ટ્રોલ ટેસ્ટ જ પૂરતો છે ?
Heart Care Tips (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 8:50 AM

એક સમય હતો જ્યારે હૃદય (Heart ) રોગ માત્ર વૃદ્ધોમાં જ જોવા મળતો હતો, પરંતુ ખરાબ જીવનશૈલી (Lifestyle) ખાવાની આદતો અને પછી કોરોના (Corona) મહામારીના કારણે યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. જે લોકો શારીરિક રીતે ફિટ છે તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.  ભૂતકાળમાં, આપણે જોયું કે અભિનેતા સિદ્ધાર્થ શુક્લા, કન્નડ અભિનેતા પુનીત રાજકુમાર, ગાયક કેકે અને કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું. આ તમામ લોકો ફિટ દેખાતા હતા અને નિયમિત કસરત કરતા હતા, પરંતુ તેમ છતાં તેઓનું મૃત્યુ હૃદય રોગના કારણે થયું હતું.

ઘણા સંશોધનો દર્શાવે છે કે છેલ્લા બે વર્ષમાં કોરોનરી હૃદય રોગના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતો હૃદય રોગમાં વધારો થવા પાછળ કોવિડને એક મોટું પરિબળ માને છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, કોવિડને કારણે ઘણા લોકોના હૃદયની ધમનીઓમાં લોહી ગંઠાઈ ગયું છે. આવા હૃદયની કામગીરીમાં સમસ્યા ઉભી થતી હોય છે, તેને તબીબી ભાષામાં થ્રોમ્બોએમ્બોલિઝમ કહે છે. આ સ્થિતિમાં, બ્લોકેજને કારણે, હૃદયને લોહીના પુરવઠામાં અવરોધ આવે છે. જે હાર્ટ એટેક તરફ દોરી જાય છે. આ સમસ્યા એવા લોકોમાં વધુ જોવા મળી રહી છે જેઓ લાંબા સમયથી કોવિડ સામે લડી રહ્યા છે.

નિષ્ણાતોના મતે અડધાથી વધુ લોકો હૃદય રોગના લક્ષણો વિશે જાણતા નથી. જેના કારણે સમયસર રોગની કાળજી લેવામાં આવતી નથી. આવી સ્થિતિમાં ધીમે-ધીમે પરિસ્થિતિ ખતરનાક બનતી જાય છે અને પછી હુમલો આવે છે. આ સિવાય લોકો એવી ભૂલ પણ કરે છે કે તેઓ હૃદય રોગની તપાસ માટે માત્ર કોલેસ્ટ્રોલ ટેસ્ટ પર આધાર રાખે છે, જ્યારે એવું નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોલેસ્ટ્રોલ ન વધે તો પણ હૃદયરોગ થઈ શકે છે

ડો. ચિન્મય ગુપ્તા જણાવે છે કે મોટાભાગના લોકો હૃદય રોગની તપાસ કરવા માટે માત્ર કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવે છે અને જો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર બરાબર હોય તો તેઓ સમજે છે કે હૃદયરોગનું જોખમ નથી, જે ખોટું છે. એવા પણ ઘણા કિસ્સાઓ છે કે જ્યાં શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સામાન્ય છે, પરંતુ તેમ છતાં હૃદયની કોઈપણ ધમનીમાં બ્લોકેજ જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં, હૃદયની તપાસ માટે અન્ય પરીક્ષણો પણ કરવામાં આવે તે જરૂરી છે. આ માટે કોરોનરી સીટી એનજીઓ ટેસ્ટ અને ટ્રેડમિલ ટેસ્ટ ખૂબ જ સારી છે. આની મદદથી, હૃદયની ધમનીમાં કોઈપણ અવરોધ શોધી કાઢવામાં આવે છે, જેથી દર્દીને સમયસર સારવાર મળી શકે અને હૃદયરોગનો હુમલો અટકાવવામાં આવે.

ટ્રાઇગ્લિસરાઇડ્સનું પરીક્ષણ પણ જરૂરી છે

ડો.ગુપ્તા કહે છે કે હૃદયમાં લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ દ્વારા કોલેસ્ટ્રોલનું સ્તર જાણવામાં આવે છે. આ ટેસ્ટ બીજી વસ્તુ વિશે પણ માહિતી આપે છે, જેને ટ્રાઈગ્લિસરાઈડ્સ કહેવાય છે. આ શરીરમાં ચરબીનું પ્રમાણ છે. જો ટ્રિગ્લિસરાઈડ્સ 200 થી વધુ હોય તો તે હૃદય રોગ માટે એક મોટું જોખમ પરિબળ બની શકે છે. આ એટલા માટે છે કારણ કે તેના વધારાને કારણે ધમનીઓ સખત થઈ શકે છે. તેનાથી સ્ટ્રોક, હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

આવી સ્થિતિમાં, તે મહત્વનું છે કે કોલેસ્ટ્રોલ સિવાય, ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તર પર પણ નજર રાખવામાં આવે. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો આ વિશે જાણતા પણ નથી. તેમનું માત્ર કોલેસ્ટ્રોલ જાણીતું છે, જ્યારે એવું પણ છે કે કોલેસ્ટ્રોલ સામાન્ય હોય તો પણ ટ્રાઈગ્લિસરાઈડ્સ વધી શકે છે, જે ભવિષ્યમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે.જો તે 200ની આસપાસ હોય, જેને સારા આહાર અને નિયમિત કસરતથી સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. જો તે 400 થી વધુ હોય, તો ડૉક્ટરની સલાહ લો અને સારવાર શરૂ કરો.

હાર્ટ એટેકના ઘણા કારણો છે

જો વ્યક્તિ ફિટ દેખાતી હોય તો પણ તેને હાર્ટ એટેક આવી શકે છે. કારણ કે હૃદયરોગની ઘટના ઘણી બાબતો પર નિર્ભર કરે છે. જો કોઈ વ્યક્તિના પરિવારમાં આ રોગ હોય, તો તે એક પેઢીથી બીજી પેઢીમાં જઈ શકે છે. જે લોકો વધુ ધૂમ્રપાન કરે છે અથવા વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરે છે તેઓને પણ હૃદયરોગનું જોખમ રહેલું છે.

આજના યુગમાં મેટલ સ્ટ્રેસની સમસ્યા પણ ઘણી વધી ગઈ છે. તેના કારણે હ્રદય રોગ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો આ પરિબળ વ્યક્તિ સાથે સંકળાયેલું હોય, તો તે તેના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે અને ટ્રેડમિલ ટેસ્ટની મદદથી હૃદયની તપાસ કરાવે તે જરૂરી છે. આજના યુગમાં, 35 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોએ દર ત્રણ મહિને ઓછામાં ઓછા એક વખત બોડી ટેસ્ટ કરાવવો જોઈએ. જો અસ્પષ્ટ થાક હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તો ખાસ કરીને હૃદયરોગ માટે ટેસ્ટ કરાવો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">