AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Drinks : દિવસભર એનર્જેટિક રહેવા માટે ડાયટમાં સામેલ કરો આ ડ્રિંક્સ, થાક અને તણાવ દૂર થશે

વ્યસ્ત જીવનને કારણે વ્યક્તિને ઘણીવાર તણાવ અને ચિંતાનો સામનો કરવો પડે છે. હાઇડ્રેટેડ અને એનર્જેટિક રહેવા માટે તમે ડાયટમાં કેટલાક હેલ્ધી ડ્રિંક્સનો સમાવેશ કરી શકો છો. આ હેલ્ધી ડ્રિંક્સ તમને દિવસભર ઉર્જાવાન રહેવામાં મદદ કરશે.

Healthy Drinks : દિવસભર એનર્જેટિક રહેવા માટે ડાયટમાં સામેલ કરો આ ડ્રિંક્સ, થાક અને તણાવ દૂર થશે
Healthy Drinks
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 5:14 PM
Share

આ દિવસોમાં વ્યસ્ત જીવનને કારણે વ્યક્તિને ઘણીવાર તણાવ અને ચિંતાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં આપણે ચીડિયાપણું અનુભવીએ છીએ અને ઊર્જાનો અભાવ (Stress and Anxiety) અનુભવીએ છીએ.

જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે હાઇડ્રેટેડ અને એનર્જેટિક રહેવા માટે તમારા ડાયટમાં કેટલાક હેલ્ધી ડ્રિંક્સનો (Healthy Drinks) સમાવેશ કરી શકો છો. આ હેલ્ધી ડ્રિંક્સ તમને દિવસભર ઉર્જાવાન રહેવામાં મદદ કરશે. આવો જાણીએ ક્યા છે ડ્રિંક્સ.

વહેલી સવારે સ્મૂધી સારી ઊંઘ પછી તમારા દિવસની શરૂઆત કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે હેલ્ધી ગ્રીન સ્મૂધીનું સેવન કરવું. લીલા શાકભાજીમાંથી બનેલી આ સ્મૂધીમાં ખાંડ ઓછી હોય છે. તેમાં વધુ ફાઇબર હોય છે. તેનાથી તમે તાજગી અનુભવશો. આ બનાવવા માટે તમારે અડધો એવોકેડો, અનનાસના 2 ટુકડા, 10-12 પાલકના પાન, 1 કેળુ અને અડધો કપ નાળિયેર પાણીની જરૂર પડશે. નિષ્ણાતોના મતે આ ઉર્જા આપનારા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તે આયર્નથી પણ સમૃદ્ધ છે, જે થાક સામે લડવામાં મદદ કરે છે.

નાસ્તો – કોફી અભ્યાસ મુજબ એવું માનવામાં આવે છે કે કોફી ખોરાક ખાવાની ઈચ્છા ઘટાડે છે. તેનાથી એનર્જી લેવલ વધે છે. એક અભ્યાસ મુજબ, તે માત્ર ઉર્જા જ નહીં પણ ધીરજનું સ્તર પણ વધારે છે.

લંચ પહેલા નારિયેળ પાણી ભૂખની તૃષ્ણાને શાંત કરવા માટે તમે લંચ પહેલા નારિયેળ પાણી પી શકો છો. તે પોષક તત્વો, એન્ટીઑકિસડન્ટ અને ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર છે. તે પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત પણ છે, જે શરીરમાં પ્રવાહીના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે અને નર્વસ સિસ્ટમની કામગીરીને નિયંત્રિત કરે છે.

રાત્રિભોજન પછી – ગોલ્ડન મિલ્ક તમે રાત્રિ ભોજન પછી હળદરનું દૂધ પી શકો છો. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારતા પીણામાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે તણાવ ઘટાડવામાં અને સારી ઊંઘમાં મદદ કરે છે.

આ ડ્રિંક્સ તમને ઉર્જાવાન રાખવા માટે ફાયદાકારક છે. શરીર અને ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. તે રાત્રે ઓછી ઊંઘને કારણે થતા થાક અને બેચેનીને દૂર કરવામાં પણ મદદ કરે છે.

નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

આ પણ વાંચો : Periods problem : જો તમને માસિક મોડું કે ઓછું આવવાની સમસ્યા છે તો કામ આવી શકે છે આ ઘરગથ્થુ ઉપચાર

આ પણ વાંચો : Health Tips: જો તમારી પણ સવાર ચા પીધા વગર નથી પડતી, તો આ અહેવાલ ખાસ વાંચો

Follow Us
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
g clip-path="url(#clip0_868_265)">