AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: જાણો છો, શિયાળામાં તલ-ગોળના લાડુ ખાવાથી શરીર મજબૂત બને છે

શિયાળામાં શરદી, ઉધરસ અને અન્ય રોગના આગમન સાથે, એવા વિકલ્પોની શોધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જે સ્વાદ તો આપે પણ શરીરનું રક્ષણ કરે અને તેને મજબૂત બનાવે.

Health Tips: જાણો છો, શિયાળામાં તલ-ગોળના લાડુ ખાવાથી શરીર મજબૂત બને છે
Health tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 6:45 PM
Share

દેશમાં ઓમિક્રોન(Omicron)ના આગમન સાથે ત્રીજી લહેરની અટકળો પણ વધી છે. બધા જ લોકો પોતાના પરિવારોની સલામતી અને સ્વાસ્થ્ય(Health) બરાબર હોવાની ખાતરી કરવા ઇચ્છતા હોય છે. આપણામાથી મોટા ભાગના લોકો એ હકીકતના પણ જાણકાર છે કે શરીરનું સ્વસ્થ હોવુ પૂરતું નથી. રોગપ્રતિકારક શક્તિ શરીરને હાનિકારક સૂક્ષ્મ જીવો(Micro-organisms)થી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે શિયાળામાં ખવાતી તલ(Sesame) અને ગોળ(jaggery)ના લાડુની વાનગી તમારા સ્વાદને તૃપ્તિ આપવાના સાથે શરીરને મજબુત બનાવવામાં ખૂબ જ મદદ કરશે.

શિયાળા માટે ટોચની વાનગીઓની વાત કરીઓ તો તે પૈકીની બે વસ્તુ તલ અને ગોળ છે. મીઠાના શોખીન લોકોએ તો આ વાનગી વિશે જાણવું જ જોઇએ જેને શિયાળાની વાનગી તરીકે ઓળખવામાં આવે છે. શિયાળામાં આ બંને વસ્તુઓનું સેવન સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાઓ આપે છે.

મકરસંક્રાતિમાં બનાવવાની પરંપરા

તલ અને ગોળના લાડુ શિયાળામાં ખવાતા હોય છે. તે મોટાભાગે દેશના ઉત્તરીય પ્રદેશોમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં મીઠાઈ તરીકે ખાવામાં આવે છે. ગુજરાતમાં પણ મકરસંક્રાંતિના તહેવાર પર તે ખાસ બનાવવામાં આવે છે.

તલ અને ગોળના ફાયદા

તલમાં હાજર તેલ શરીરને ગરમી આપવાનું મુખ્ય કાર્ય કરે છે અને શરીરના આંતરિક તાપમાનને ઘટતું અટકાવે છે. શરીરમાં હાજર ચરબી એટલે કે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.તલમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે, વાળની ​​ગુણવત્તામાં વધારો કરે છે અને ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખે છે.વધુમાં, ગોળ આખા શરીરને સાફ કરે છે, પાચનમાં સુધારો કરે છે અને શરીરને જરૂરી માત્રામાં આયર્ન પૂરું પાડે છે અને એનિમિયાને અટકાવે છે.

ડાયબિટીસના દર્દીઓએ ન લેવુ જોઇએ

જો કે ગોળએ ખાંડનો સારો વિકલ્પ હોવાના સાથે ગળપણવાળુ તત્વ તો છે જ, જેથી તેનું ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ કારણ કે તે સુગર લેવલને બગાડી શકે છે અને વજનમાં પણ વધારો કરી શકે છે.

ગોળનું વધુ પડતું સેવન કરવાથી કબજિયાત અને પેટ ખરાબ થઈ શકે છે. તલનું વધુ પડતું સેવન ખાંડનું સ્તર પણ બગાડી શકે છે અને તેને ઘટાડી શકે છે, તેથી તેના વપરાશની માત્રા પર દેખરેખ રાખવી જરૂરી છે. નહિંતર, તલ-ગોળ આવનારી સિઝન માટે સૌથી પ્રિય સ્વીટ ડીશ છે.

આ પણ વાંચોઃ શું તમે તમારી સંપત્તિ અને જવાબદારીઓનું વિલ બનાવ્યું છે? તમારો વૈભવ પરિવારનો કંકાસ બને તે પહેલા આ દસ્તાવેજ તૈયાર કરો

આ પણ વાંચોઃ Ahmedabad : સિંહોના અકાળે મૃત્યુ કેસમાં રેલવે વિભાગનો હાઈકોર્ટમાં દાવો, ગીર અભ્યારણમાં બ્રોડગેજ રેલવે લાઇનનો પ્લાન પડતો મૂકાયો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">