AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શું તમે ક્યારેય સાંભળ્યું છે ગોળની ચા વિશે? જાણો તેના આ અદ્ભુત ફાયદાઓ

જો તમે મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગતા હો તો ખાંડને બદલે ગોળની ચા લેવાનું શરુ કરી દો. ગોળ ગરમ હોય છે, તેમજ તેની ચાના અનેક ફાયદા છે.

Health Tips: શું તમે ક્યારેય સાંભળ્યું છે ગોળની ચા વિશે? જાણો તેના આ અદ્ભુત ફાયદાઓ
Health Tips know the benefits of drinking jaggery tea
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 7:28 AM
Share

ગોળ (Jaggery) સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક (Health Benefits) માનવામાં આવે છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ અને આયર્ન જેવા તત્વો જોવા મળે છે. જે શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. ગોળ માત્ર ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે ઘણા ઔષધિય ગુણથી પણ ભરપુર છે. જો તમે મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગતા હો, તો પછી ખાંડને બદલે ગોળની ચા લો. તે વજન ઘટાડવામાં અને શરીરને ઘણા ફાયદા (Health Tips) પહોંચાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આજે તમને ગોળની ચા પીવાના ફાયદા જણાવીએ.

ગોળની ચા પીવાના ફાયદા

1. જાડાપણું ઓછું કરવા માટે

જો તમે પણ મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો, અને વજન ઓછું કરવા માંગતા હો તો ખાંડને બદલે ગોળની ચા પીવો. પરંતુ એ પણ ધ્યાનમાં રાખજો કે ઉનાળામાં ગોળનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે.

2. પાચનશક્તિને મજબૂત બનાવવું

પાચનમાં ગોળ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખરેખર, ગોળમાં કુદરતી મીઠાશ હોય છે જેમાં ખાંડની તુલનામાં ઘણા વિટામિન અને ખનિજો જોવા મળે છે. જે પેટની બળતરા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

3. આધાશીશીના દુ: ખાવા માટે

ગોળમાંથી બનાવેલી ચાનું સેવન કરવાથી આધાશીશીની સમસ્યામાંથી રાહત મળે છે. આધાશીશી અથવા માથાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે ખાંડમાંથી બનેલી ચાને બદલે ગોળમાંથી બનાવેલી ચાનું સેવન કરી શકાય છે.

5. ગ્લોઇંગ સ્કીન માટે

ત્વચામાં ખીલની સમસ્યા માટેનું એક મોટું કારણ ખાંડનો વધારે ઉપયોગ કરવો પણ હોઈ શકે છે. પરંતુ તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરીને પિમ્પલ્સ અને ત્વચાની બીજી સમસ્યાથી રાહત મેળવી શકો છો.

આ પણ વાંચો: Women Health : અનિયમિત પીરિયડ્સની સમસ્યાથી રહો છો પરેશાન ? ક્યાંક આ કારણ તો નથી ને જવાબદાર

આ પણ વાંચો: કોરોના વાયરસ બાદ નોરો વાયરસનો ખતરો ! જાણો આ નવા વાયરસના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">