AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના વાયરસ બાદ નોરો વાયરસનો ખતરો ! જાણો આ નવા વાયરસના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો

નોરો વાયરસના સામાન્ય લક્ષણોમાં ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અથવા ઉબકા વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક દર્દીઓમાં તાવ, માથાનો દુખાવો અને શરીરના દુખાવાના લક્ષણો પણ જોવા મળે છે.

કોરોના વાયરસ બાદ નોરો વાયરસનો ખતરો ! જાણો આ નવા વાયરસના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 5:22 PM
Share

Noro Virus : કોરોના બાદ કેરળના વાયનાડમાં નોરો વાયરસની પુષ્ટિ થતા લોકોની ચિંતા વધી છે. અત્યાર સુધીમાં વાયનાડ શહેરમાં નોરો વાયરસના 13 કેસની પુષ્ટિ થઈ છે. આ વાતની પુષ્ટિ કરતા કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે (Vina George) લોકોને આ વાયરસથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ કરી છે.

નોરો વાયરસ શું છે ? તેના લક્ષણો ક્યા છે ? આ વાયરસ શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને કેવી રીતે આ વાયરસથી બચી શકાય ? આ તમામ સવાલ હાલ લોકોને મુંઝવી રહ્યા છે, ત્યારે આજે અમે તમને જણાવીશુ આ નવા વાયરસ વિશે.

નોરો વાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે ?

યુએસ હેલ્થ એજન્સી સીડીસીના જણાવ્યા અનુસાર, આ એક ખતરનાક વાયરસ (Virus) છે. નોરો વાયરસના ઘણા પ્રકારો છે, તેથી વ્યક્તિ તેના સમગ્ર જીવનમાં ઘણી વખત આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે. એકવાર સંક્રમિત થવાનો અર્થ એ નથી કે તમે બીજા પ્રકારના નોરો વાયરસથી સંક્રમિત થશે નહીં. સંક્રમણ બાદ આ વાયરસ સામે શરીરમાં બનેલી રોગપ્રતિકારક શક્તિ (Immunity) કેટલા સમય સુધી રહે છે તેની ચોક્કસ માહિતી હજુ સુધી મળી નથી.

કયા ઉંમરના લોકોને નોરો વાયરસનું સૌથી વધુ જોખમ ?

CDC ના જણાવ્યા અનુસાર, નોરો વાયરસ તમામ ઉંમરના લોકોને ચેપ (Noro Virus Infection) લગાવી શકે છે. તેથી તેના કોઈપણ લક્ષણોને અવગણશો નહીં. નોરો વાયરસથી સંક્રમિત દર્દીમાં તેના લાખો રજકણો હાજર હોય છે, પરંતુ વાયરસના અમુક કણો જ વ્યક્તિના બીમાર થવાનું કારણ બને છે.

નોરો વાયરસના લક્ષણો

નોરો વાયરસ ચેપ જઠરાંત્રિય રોગનું કારણ બને છે. જો સરળ ભાષામાં સમજીએ તો ઈન્ફેક્શન બાદ પેટના રોગને (Stomach) લગતા લક્ષણો જોવા મળે છે. સૌથી સામાન્ય લક્ષણોમાં ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો અથવા ઉબકા તેમજ અમુક દર્દીઓમાં તાવ, માથાનો દુખાવો અને શરીરના દુખાવાના લક્ષણો પણ જોવા મળે છે.

આ વાયરસથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?

આ વાયરસને રોકવા માટે કેરળના આરોગ્ય મંત્રાલયે (Health Department) એક માર્ગદર્શિકા બહાર પાડી છે. ગાઈડલાઈન મુજબ સંક્રમિત લોકોને ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ ઉકાળેલું પાણી પીવુ, જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથને સાબુથી સારી રીતે ધોઈ લો. આ સિવાય પ્રાણીઓના સંપર્કથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, કોરોના કરતા વધુ મૃત્યુ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાથી થયા, 60 લોકોએ જીવ ગુમાવ્યા

આ પણ વાંચો: ગુજરાત સરકારનું આરોગ્ય ક્ષેત્રે વધુ એક પગલું, રાજ્યમાં આજથી નિરામય ગુજરાત આરોગ્ય યોજનાની શરૂઆત થઇ

Follow Us
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">