Health Tips : ફક્ત સ્વાદ માટે જ નહીં, રસોડાના મસાલામાં સમાયો છે અનેક રોગોનો ઈલાજ

ભારતીય રસોડામાં વપરાતા અનેક મસાલો રસોઈનો સ્વાદ વધારવાનું જ કામ નથી કરતા પણ તેમાં અનેક રોગોનો પ્રાકૃતિક ઈલાજ કરવાની પણ ક્ષમતા રહેલી છે. આવો જાણીએ આ મસાલાઓ વિશે.

Health Tips : ફક્ત સ્વાદ માટે જ નહીં, રસોડાના મસાલામાં સમાયો છે અનેક રોગોનો ઈલાજ
Health Tips: Kitchen spices are used to cure many diseases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 7:28 AM

ભારતીય રસોઈમાં (Indian Cooking ) અનેક મસાલાઓનો (Spices ) ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલા સ્વાદમાં વધારો કરવાની સાથે સાથે સ્વાસ્થ્યને સુધારવાનું પણ કામ કરે છે. આ કારણોસર રસોઈમાં માપસર નિયત મસાલાઓનો ઉપયોગ જરૂરી છે. દરેક રસોડામાં મસાલાનો એક ડબ્બો હોય છે જેમાં અલગ અલગ પ્રકારના ભારતીય મસાલાઓનું મિશ્રણ જોવા મળે છે. પણ આ મસાલા ફક્ત રસોઈનો સ્વાદ જ નથી વધારતા. તે વિવિધ પ્રકારે આપણે સ્વાસ્થ્ય સંબંધિત લાંબો પણ કરાવે છે. આજે અમે તમને જણાવીશું આવા મસાલાઓ વિષે જે તમને આરોગ્ય માટે પણ ફાયદો કરાવે છે.

લાલ મરચા લાલ મરચાનો ઉપયોગ આપણે રસોઈમાં તીખાશ વધારવા માટે કરીએ છીએ. પરંતુ લાલ મરચામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. અને શરીરને ગેસ્ટ્રીઇન્ટેસ્ટાઇનલ જેવા અનેક ઇન્ફેક્શનથી બચાવે છે. તે પાચનને વ્યવસ્થિત કરે છે. જો ફૂડ પોઇઝનિંગ થેયેલું હશે તો લાલ મરચાના સેવનથી તમને અચૂકથી રાહત મળશે.

લસણ લસણનો ઉપયોગ પણ મોટાભાગની રસોઈમાં કરવામાં આવે છે. જોકે લસણમાં રહેલું એન્ટીઓક્સીડનેટ અને એન્ટીફન્ગલ તત્વ લસણને એક મજબૂત એન્ટિસેપ્ટિક બનાવે છે. તેનું સેવન કેન્સર તથા અન્ય બીમારીથી પણ બચાવે છે. શરદી રહેતી હોય તો લસણની કળીને ઘીમાં સાંતળીને સ્વેન કરવાથી પણ ફાયદો થાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હળદર દરેકના રસોડામાં આસાનીથી મળી આવતો એક મસાલો છે હળદર. હળદર બળતરા, પાચનતંત્ર, વાયરલ અને ફન્ગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાનો પોતાના ગુણધર્મોથી ઉકેલ લાવે છે તે ત્વચાના રંગને પણ નિખારે છે.

આદુ આદુ માત્ર એક મસાલો જ નથી પરંતુ તે પાચન માટેની દવા છે. જે શરીરને અંદરથી સાફ કરે છે. તેનું સેવન પેટના ઇન્ફેક્શનને સુધારવાનું કામ કરે છે. ઠંડી લાગે તો આદુ અને લસણને મિક્સ કરીને ખાવાથી પણ રાહત મળે છે.

ધાણાજીરું ધાણામાં રહેલા એન્ટિસેપ્ટિક ગુણના લીધે ખીલ, કાળા ધબ્બા, સોજો આવવો અને લાલ ચકામાં જેવી તકલીફો દૂર થાય છે. આ સિવાય કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે, ડાયાબિટીસ અને બ્લ્ડપ્રેશરને કંટ્રોલ કરવા માટે પણ ધાણાજીરું ખુબ જ ફાયદાકારક નીવડે છે. જયારે જીરું પણ પાચન સંબંધિત અનેક પ્રશ્નોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો :

Health Tips : શું તમે પણ એક જ માસ્કનો વારંવાર ઉપયોગ કરો છો, તો આ જરૂર વાંચો

Health Tips : ફક્ત લસણ જ નહીં તેની છાલમાં પણ રહેલા છે આ ફાયદા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">