AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ફક્ત લસણ જ નહીં તેની છાલમાં પણ રહેલા છે આ ફાયદા

રસોડામાં લસણનો ઉપયોગ દરેક કોઈ કરે છે. સ્વાદ વધારવા લસણ મહત્વની ભૂમિકા ભજવે છે. પણ લસણનો ઉપયોગ કર્યા પછી આપણે તેની છાલ કચરાપેટીમાં ફેંકી દેતા હોઈએ છે. પણ આજે અમે તમને બતાવીશું લસણની છાલના ફાયદા. જે વાંચીને હવે તમે પણ લસણની છાલ ફેંકતા પહેલા બે વાર વિચાર કરશો.

Health Tips : ફક્ત લસણ જ નહીં તેની છાલમાં પણ રહેલા છે આ ફાયદા
Health Tips: Not only garlic but also its peel has these benefits
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 9:06 AM
Share

રસોડામાં આપણે સૌ રસોઈનો સ્વાદ વધારવા માટે લસણનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ફક્ત લસણ જ નહીં તેની છાલ (ફોતરા) પણ તેટલી જ ફાયદાકારક છે. લસણના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. જે રસોઈનો સ્વાદ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે લસણની છાલ પણ ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. હા, લસણની છાલ જે આપણે બધા કચરાપેટીમાં ફેંકીએ છીએ, તેમાં એન્ટી-બેક્ટેરિયલ, વાયરલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે. લસણની જેમ, તેની છાલ પણ સુંદરતા માટે અને અન્ય સ્વાસ્થ્ય સંબધી સમસ્યાઓને દૂર કરવા મહત્વનો ભાગ છે. તો ચાલો લસણની છાલના ફાયદાઓ જોઈએ.

પગનો સોજો મટાડે છે:  સોજો ઘટાડવા માટે લસણની છાલ ફાયદાકારક છે. આ માટે તમારે લસણની છાલને પાણીમાં ઉકાળવાની જરૂર છે.પાણી ગરમ થયા પછી, તમારા પગને થોડીવાર આ પાણીમાં ડુબાડો અને થોડી વાર બેસો. આ પગનો સોજો ઘટાડે છે.

શરદીનો ઈલાજ: લસણની છાલ તમને ઠંડીથી બચાવવામાં મદદ કરી શકે છે. આ માટે તમે પાણી લસણની છાલ ઉકાળો. તે પછી, આ પાણી પીવાથી તમારી શરદી અને ખાંસી દૂર થશે.

ત્વચાની ખંજવાળ માટે ઘરેલું ઉપાય: તમે ત્વચાની ખંજવાળ ઘટાડવા માટે લસણની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે લસણની છાલને પાણીમાં ઉકાળો અને આ પાણીને ખંજવાળવાળા વિસ્તારમાં લગાવો.

વાળની સુંદરતા માટે :  લસણની છાલ ઉકાળીને ઠંડા પાણીથી વાળ ધોવાથી વાળનું સ્વાસ્થ્ય સુધરશે. તે વાળ ખરવાનું અને વાળની બીજી સમસ્યાઓ પણ ઘટાડે છે.

કુદરતી ખાતર: લસણની છાલનો ઉપયોગ છોડ માટે કુદરતી ખાતર તરીકે પણ થઈ શકે છે. તેમાં રહેલા પોષક તત્વો જમીનને સમૃદ્ધ બનાવે છે. તે છોડને સ્વસ્થ રાખવામાં ખાસ ભૂમિકા ભજવે છે.

ખોરાકનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરો: કેટલાક ખોરાકમાં લસણની છાલનો ઉપયોગ કરવાથી સ્વાદ પણ સુધરે છે. આ ઉપરાંત, ખોરાકનું પોષણ વધારે છે. અગત્યનું, જો તમે સૂપ, સ્ટોક અને શાકભાજીમાં લસણની છાલનો ઉપયોગ કરો છો, તો ખોરાકનો સ્વાદ સુધરશે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો :

Health Tips : જાણો શા માટે ગાયનું દૂધ કહેવાય છે શ્રેષ્ઠ પીણું ?

Health Tips : પેટની ચરબી ઓછી કરવા આયુર્વેદના આ 9 નુસખા અજમાવી જુઓ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">