Health Tips : શું તમે પણ એક જ માસ્કનો વારંવાર ઉપયોગ કરો છો, તો આ જરૂર વાંચો

આજે માસ્કનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે. પણ કેટલીક વાર વ્યક્તિ આ માસ્ક બદલવાની આળસ કરે છે અને જેના પરિણામે તે એક જ માસ્કનો ઉપયોગ વારંવાર કરે છે. આવું કરવું હાનિકારક થઇ શકે છે.

Health Tips : શું તમે પણ એક જ માસ્કનો વારંવાર ઉપયોગ કરો છો, તો આ જરૂર વાંચો
રચનાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 5:03 PM

શું તમને એકને એક માસ્ક વારંવાર વાપરવાની આદત છે ? કોટન માસ્કને ધોયા વગર જ તેનો ફરીથી ઉપયોગ કરો છો ? જોકે હવે તેવું ન કરતા કારણ કે સ્વચ્છ, ધોયા વગરના માસ્કનો ઉપયોગ તમને વધુ જોખમમાં મૂકી શકે છે. તેથી માસ્કને પહેરતા પહેલા માસ્ક કેટલું સ્વચ્છ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

બિન-આરોગ્યપ્રદ માસ્કનો ઉપયોગ આરોગ્ય પર શું અસર કરે છે? તે અંગેની માહિતી અમે તમને આપીશું. જ્યારે આપણે સવારથી સાંજ સુધી માસ્ક પહેરીએ છીએ, ત્યારે આપણે આપણા શ્વાસમાંથી પરસેવો અને બેક્ટેરિયા દ્વારા મોં માં અટવાઈ જવાની શક્યતા વધારે છે. આમ, કોટન માસ્ક સાફ કર્યા પછી અને તેને ધોયા બાદ જ તેનો ફરીથી ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. એ જ રીતે, સિંગલ યુઝ એન્ડ થ્રો માસ્કનો વારંવાર ઉપયોગ કરવો પણ જોખમી છે.

કેટલાક લોકો જે લાંબા સમય સુધી માસ્ક પહેરે છે તેઓ ત્વચાની એલર્જીથી પીડાય છે. મોં ​​અને નાકની આસપાસ ખીલ પણ ઉદ્ભવી શકે છે. આખા દિવસ માસ્ક પહેરવાથી ત્વચામાં સોજો અને એલર્જી થઈ શકે છે. પરસેવા વાળા માસ્કને ધોયા વગર તેનો ફરીથી ઉપયોગ કરવાથી ત્વચાની સમસ્યા પણ થઈ શકે છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

નિષ્ણાતો ચેતવણી આપે છે કે એક માસ્કનો વારંવાર ઉપયોગ ચેપનું જોખમ વધારી શકે છે. માસ્કમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસ ત્યારે જ નાશ પામે છે જ્યારે તેને ધોવામાં આવે છે. વધુ મહત્વની વાત એ છે કે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો તમે સ્વચ્છ માસ્ક ન પહેરો તો કાળી ફૂગ એટલે કે બ્લેક ફંગસ ફેલાવાની શક્યતા વધારે છે.

ભારતમાં કોરોના વાયરસ બાદ હવે ડેલ્ટા વાયરસના કેસોની સંખ્યા હવે વધી રહી છે. નિષ્ણાતો માને છે કે કોરોના માર્ગદર્શિકાઓનું યોગ્ય રીતે પાલન ન કરવાનું આ મુખ્ય કારણ છે. એવું ન કહી શકાય કે માસ્ક પહેરવાથી કોરોનાને નિયંત્રિત કરી શકાય છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, માસ્ક પહેરવું એ કોરોનાથી પોતાને બચાવવાનો એક જ રસ્તો છે.

જે લોકોએ રસી લઇ લીધી છે તેઓએ પણ એવા વહેમમાં રહેવાની જરૂર નથી કે તેમને કોરોના વાયરસ નહીં થાય. કોરોનાની ત્રીજી લહેરનો ખતરો દેશ પર છે. ત્યારે જરૂરી છે કે માસ્કનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો અને હંમેશા સ્વચ્છ માસ્ક પહેરવાનો જ આગ્રહ રાખો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Corona: શું આંખો દ્વારા પણ શરીરમાં પ્રવેશ કરે છે કોરોના? જો હા, તો શું છે તેના લક્ષણો?

આ પણ વાંચો : Health Tips : ફક્ત લસણ જ નહીં તેની છાલમાં પણ રહેલા છે આ ફાયદા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">