Health : આ કારણોથી થાય છે કિડનીને નુકશાન, કિડનીને સ્વસ્થ્ય રાખવા ડાયેટમાં સામેલ કરો આ ફૂડ

લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. કાચું લસણ ખાવાથી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે. કેન્સર થવાની શક્યતાઓ ઘટી શકે છે. નિષ્ણાતો કિડનીની બિમારીથી પીડિત લોકોને ખોરાકમાં સોડિયમની થોડી માત્રા સામેલ કરવાની સલાહ આપે છે.

Health : આ કારણોથી થાય છે કિડનીને નુકશાન, કિડનીને સ્વસ્થ્ય રાખવા ડાયેટમાં સામેલ કરો આ ફૂડ
Food for healthy kidney
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 8:48 AM

કિડનીનું (Kidney )કાર્ય શરીરમાંથી કચરો અથવા ઝેર દૂર કરવાનું છે. પેશાબ (Urine )ઉત્પન્ન કરે છે. તે હોર્મોન્સ સ્ત્રાવ કરે છે જે બ્લડ પ્રેશરને(Blood Pressure ) સરળતાથી જાળવી રાખે છે. કિડની શરીરનું એક નાનું પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, જે સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે. કીડની એટલે કે કીડની અનેક કાર્યો કરે છે. તે શરીરમાં પ્રવાહીને સંતુલિત કરે છે.

વિશ્વની લગભગ 10 ટકા વસ્તીમાં કિડનીના રોગો સામાન્ય છે. કિડનીમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે જેમ કે કિડની ઈન્ફેક્શન, કિડની સ્ટોન, કિડની કેન્સર વગેરે. જો તમે કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો આહારમાં એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવાનું શરૂ કરો. અમે તમને એવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જે કીડનીને લાંબા આયુષ્ય માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

કિડનીને નુકશાન કરતા પરિબળો કિડનીને ઘણી રીતે નુકસાન થઈ શકે છે. જે લોકોને ડાયાબિટીસની સાથે સાથે હાઈ બ્લડ પ્રેશર પણ છે, તેમણે આ બંને સમસ્યાઓને નિયંત્રણમાં રાખવી જોઈએ, કારણ કે આ બંને બીમારીઓ કિડનીને અસર કરે છે, જેના કારણે તમે કિડનીની બીમારીનો ભોગ બની શકો છો. આ સિવાય સ્થૂળતા, ધૂમ્રપાન, વૃદ્ધત્વ વગેરે પણ કિડનીના રોગનું જોખમ વધારે છે. જો તમારું શુગર લેવલ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં નથી, તો કિડનીની રક્ત ધમનીઓને નુકસાન થઈ શકે છે, જે કિડનીના કાર્યને પણ અસર કરી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જો તમને કિડનીની બીમારી હોય તો આ પોષક તત્વોનું સેવન ન કરો જો તમને ક્રોનિક કિડની ડિસીઝ છે, તો તમારે તમારા આહારમાં સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરેનું બહુ ઓછું સેવન કરવું જોઈએ.

કિડની સ્વસ્થ રાખવા માટે ખોરાક 1. કિડનીને સ્વસ્થ રાખવા માટે તમારે કોબીજ ખાવું જોઈએ. કોબીજમાં વિટામિન સી, કે, ફોલેટ વગેરે જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. તેમાં ફાઈબર અને બળતરા વિરોધી તત્વો હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખી શકે છે.

2. બ્લુબેરી કિડની માટે પણ એક સ્વસ્થ ફળ છે. ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ, બ્લૂબેરીમાં એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખવાની સાથે હૃદય રોગ, ડાયાબિટીસ અને કેટલાક કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. બ્લૂબેરીમાં ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ ખૂબ જ ઓછું હોય છે, તેથી તેને તમારા આહારમાં સામેલ કરો.

3. જો તમે ઈંડા નથી ખાતા તો ચોક્કસ ખાઓ. ઈંડાની જરદી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ તેમાં ફોસ્ફરસનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આ સ્થિતિમાં, સફેદ ભાગ જ ખાઓ. ખાસ કરીને જેમને કીડની સંબંધિત કોઈ બીમારી છે તો તેમણે ડાયટમાં ઈંડાનો સફેદ ભાગ જ સામેલ કરવો જોઈએ.

4 લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. કાચું લસણ ખાવાથી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે. કેન્સર થવાની શક્યતાઓ ઘટી શકે છે. નિષ્ણાતો કિડનીની બિમારીથી પીડિત લોકોને ખોરાકમાં સોડિયમની થોડી માત્રા સામેલ કરવાની સલાહ આપે છે. લસણમાં સોડિયમ ઓછું હોય છે. મીઠાનો સ્વાદ ખાવામાં ઉમેરવાથી પણ અનુભવાય છે.

આ પણ વાંચો: Family Health: તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે આ પાંચ ટિપ્સ જે તમામ સભ્યોને રાખશે ફિટ

આ પણ વાંચો: Health: સ્વસ્થ શરીર માટે દાળ અને કઠોળનું પાણી પીવું કેમ કહેવાયું છે શ્રેષ્ઠ?

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">