AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ખુલ્લી આંખે સપના જોવાથી ઊંઘ જલ્દી આવે છે, અનિંદ્રાથી પરેશાન રહેતા હોવ તો અજમાવી જુઓ આ ટિપ્સ

ધ્યાન કરવાથી મન શાંત થાય છે અને મનમાં આવતા વિચારો પણ બંધ થઈ શકે છે. એટલા માટે રાત્રે સૂતા પહેલા 10-15 મિનિટ ધ્યાન કરો. તે સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર પણ ઓછું કરે છે, જેનાથી તમને આરામનો અનુભવ થાય છે અને ઝડપથી ઊંઘ આવે છે.

Health: ખુલ્લી આંખે સપના જોવાથી ઊંઘ જલ્દી આવે છે, અનિંદ્રાથી પરેશાન રહેતા હોવ તો અજમાવી જુઓ આ ટિપ્સ
Dreaming with open eyes makes you fall asleep faster, if you are suffering from insomnia, try it.(Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 8:00 AM
Share

અનિદ્રા અથવા ઉંઘ (Sleep ) ન આવવી એ એક એવી સમસ્યા (Problem) છે, જેની સાથે આજના યુગમાં ઘણા લોકો સંઘર્ષ કરી રહ્યા છે. સ્ટ્રેસ (Stress), વિચારવાની આદત, મોડી રાત્રે જમવું, મોડી રાત સુધી મોબાઈલ જોવાની આદત જેવા ઘણા કારણો છે, જેના કારણે લોકોને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.

ઘણી વખત એવું પણ બને છે કે લોકો વહેલા સુવાનો પ્રયત્ન કરે છે પરંતુ, તેઓ વહેલા સૂઈ શકતા નથી. ખૂબ થાકેલા હોવા છતાં અને ઊંઘવાનો પ્રયાસ કરવા છતાં પણ જો તમને સરળતાથી ઊંઘ ન આવતી હોય તો તમે કેટલાક ઉપાયો કરી શકો છો, જેના વિશે અમે અહીં લખી રહ્યા છીએ. ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન લોકો માટે આ ટિપ્સનું પાલન કરવું સરળ નથી, પરંતુ તેને અનુસરવાથી તેમને ઝડપથી ઊંઘ આવવામાં પણ મદદ મળી શકે છે.

ધ્યાન કરો

ધ્યાન કરવાથી મન શાંત થાય છે અને મનમાં આવતા વિચારો પણ બંધ થઈ શકે છે. એટલા માટે રાત્રે સૂતા પહેલા 10-15 મિનિટ ધ્યાન કરો. તે સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર પણ ઓછું કરે છે, જેનાથી તમને આરામનો અનુભવ થાય છે અને ઝડપથી ઊંઘ આવે છે.

ખુલ્લી આંખે સપના જુઓ 

આ વાત અજીબ લાગી શકે છે, પરંતુ જે લોકો રાત્રે ઊંઘતા નથી તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. જ્યારે તમે ઊંઘી શકતા નથી, ત્યારે કંઈક એવી કલ્પના કરો કે તમે ધોધની આસપાસ ફરતા હોવ અને ધોધમાંથી પડતા પાણીનો અવાજ યાદ કરો. આનાથી તમારું મન શાંત થશે અને ઊંઘ પણ આવશે.

ચંપી અને બોડી મસાજ

મસાજ એ એક પદ્ધતિ છે જે તેની ઉપચારાત્મક અસરો માટે જાણીતી છે. જ્યારે માથાની માલિશ કરવાથી મગજની નસોને તણાવથી આરામ મળે છે, શરીરની માલિશ કરવાથી પેશીઓનો તણાવ ઓછો થાય છે, થાક ઓછો થાય છે, બળતરા અને ગરમીથી રાહત મળે છે. પરિણામે, તમે હળવાશ અનુભવો છો અને તમે વહેલા સૂઈ શકો છો.

આ પણ વાંચો : Amla Benefits : આમળાની આ રેસીપીઝ બનાવો, સ્વાદ સાથે આપશે તમારા શરીરને ઘણા ફાયદા

આ પણ વાંચો : ઓનલાઈન ક્લાસના કારણે બાળકોની આંખોમાં દુખાવો થાય છે, તો ફોલો કરો આ બેસ્ટ ટિપ્સ

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">