AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: શું તમે કોથમીર ખાવાના આ ફાયદા વિશે જાણો છો?

કોથમીર (Coriander)ને કોઈ પણ વાનગીમાં ટેસ્ટ અને ફ્લેવર લાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તમને જણાવીએ કે કોથમીરએ ફક્ત સ્વાદમાં જ વધારો નથી કરતી પરંતુ તે એક ઔષધીય છોડ છે, જેમાં ઘણા ગુણો જોવા મળે છે.

Health: શું તમે કોથમીર ખાવાના આ ફાયદા વિશે જાણો છો?
કોથમીર
Parul Mahadik
| Edited By: | Updated on: May 30, 2021 | 7:50 PM
Share

કોથમીર (Coriander)ને કોઈ પણ વાનગીમાં ટેસ્ટ અને ફ્લેવર લાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તમને જણાવીએ કે કોથમીરએ ફક્ત સ્વાદમાં જ વધારો નથી કરતી પરંતુ તે એક ઔષધીય છોડ છે, જેમાં ઘણા ગુણો જોવા મળે છે. કોથમીરની ચટણી સાથે પકોડા ખાવાની મજા જ બમણી છે. કોથમીરમાં વિટામીન એ, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

વિટામિન એ અને સી ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો અથવા તો ડાયાબિટીસથી પીડિત છો તો કોથમીરનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોથમીરના સેવનથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં તે આંખ માટે પણ ખૂબ લાભકારક છે. કોથમીરના સેવનથી આંખની રોશની વધારી શકાય છે.

કોથમીર ખાવાના ફાયદા

કબજિયાત (Constipation)

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો ભોજનમાં કોથમીરનો સમાવેશ કરો. તે પેટની સમસ્યાઓને દૂર કરીને પાચન શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના તાજા પાંદડાને છાશમાં નાખીને પીવાથી કબજિયાત અને ઉલટીમાં આરામ મળી શકે છે.

ડાયાબિટીસ (Diabetes)

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કોથમીર ફાયદા ઘણા છે. તે સુગર લેવલને કંટ્રોલ કરે છે. કોથમીરના નિયમિત સેવન કરવાથી બ્લડમાં ઈન્સ્યુલિનની માત્રાને કંટ્રોલ કરી શકાય છે.

કોલેસ્ટ્રોલ (Cholesterol)

કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ કોથમીર મદદ કરે છે. કોથમીરમાં ઘણા એવા તત્વો જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કોથમીર જ નહીં પરંતુ તેના બીજ પણ ખુબ ફાયદાકારક છે. કોથમીરમાં વિટામિન-એ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને એ આંખો માટે સારું માનવામાં આવે છે. રોજ કોથમીરનું સેવન કરવાથી આંખની રોશની વધારી શકાય છે.

યુરિન (Urine)

ગરમીમાં પાણી ઓછું પીવાથી પેશાબની સમસ્યાઓ વધી શકે છે. તેવામાં કોથમીરના પાંદડા, ચટણી અથવા તો સુકી કોથમીરનો ઉપયોગ કોઈપણ રીતે કરીને યુરિન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">