Health: રોજ રાત્રે ઊંઘતા પહેલા આ એક ચીજનું કરો સેવન આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ જશે ગાયબ

જો તમને વારંવાર તમારી પીઠમાં દુખાવો થતો હોય અથવા સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો અજમાનું સેવન તમારા માટે ઉપયોગી છે. દરરોજ રાત્રે સૂતા પહેલા થોડા અજમાના દાણા શેકીને હુંફાળા પાણી સાથે લો.

Health: રોજ રાત્રે ઊંઘતા પહેલા આ એક ચીજનું કરો સેવન આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ જશે ગાયબ
Ajwain benefits for Health (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 8:30 AM

અજવાઈન એટલે કે અજમો (Carrom Seeds) દરેક ઘરના રસોડામાં હાજર હોય છે. તેનો ઉપયોગ પરોઠા, પુરીઓથી લઈને શાકભાજી (Vegetables) અને અન્ય વાનગીઓમાં થાય છે. તે ખાવાને સ્વાદિષ્ટ તો બનાવે જ છે, પરંતુ તે સ્વાસ્થ્યની (Health) દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આયુર્વેદમાં અજવાઈનનો ઉપયોગ તમામ રોગોથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન ઉપરાંત આવા અનેક ઔષધીય તત્ત્વો હાજર છે, તેથી તે ઘણી બધી સમસ્યાઓમાં રાહત આપવામાં ઉપયોગી છે. પેટની સમસ્યાઓ માટે તેને રામબાણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ રોજ રાત્રે સૂતા પહેલા અજમાંનું સેવન કરે તો ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે.

પાચન સમસ્યાઓ

જો કોઈ વ્યક્તિને પાચન, રોજેરોજ ગેસ, એસિડિટી, ખાટા ઓડકાર વગેરે સંબંધિત સમસ્યાઓ હોય તો તેણે રાત્રે સૂતા પહેલા અજમો ખાવો જોઈએ. આ માટે રાત્રે અજમાને શેકી અને ચાવ્યા પછી ખાઓ અને ઉપરથી હૂંફાળું પાણી પીવો. તેનાથી થોડા દિવસોમાં રાહત મળવા લાગશે. કબજિયાતની સમસ્યા પણ આ ઉપાયથી દૂર કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પીઠના દુખાવામાં રાહત

જો તમને વારંવાર તમારી પીઠમાં દુખાવો થતો હોય અથવા સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો અજમાનું સેવન તમારા માટે ઉપયોગી છે. દરરોજ રાત્રે સૂતા પહેલા થોડા અજમાના દાણા શેકીને હુંફાળા પાણી સાથે લો. આ સિવાય તમે તેને પાણીમાં ઉકાળીને તેનું પાણી ગાળીને ચુસ્કીઓ સાથે પી શકો છો. દરરોજ રાત્રે આમ કરવાથી તમને થોડા દિવસોમાં દર્દમાં ઘણો ફરક જોવા મળશે.

અનિદ્રાની સમસ્યા

આજકાલ ઊંઘ ન આવવાની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે. જો તમને પણ આ સમસ્યા છે તો સૂતા પહેલા તેને લેવાથી તમને રાહત મળી શકે છે. તેનાથી મગજ સારું થાય છે અને સારી ઊંઘ આવે છે.

આ પણ વાંચો : Lifestyle : ઘરમાં બીજું બાળક આવે ત્યારે તમે પહેલા બાળક સાથે ભેદભાવ તો નથી કરી રહ્યા ને ?

આ પણ વાંચો : Constipation relief tips: બાળકોને કબજિયાતની સમસ્યા છે તો અજમાવો આ ઘરેલું ઉપચાર

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">