આજકાલ મોટાભાગના લોકો ખરાબ જીવનશૈલી (Lifestyle)ના કારણે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો જોવામાં આવે તો આજકાલ મોટાભાગના લોકો વ્યસ્ત જીવન જીવી રહ્યા છે. આ વ્યસ્ત જીવનમાં ઓફિસ અને ઘરના દબાણને કારણે જીવનશૈલી બગડી રહી છે. ખરાબ જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય (Health) પર ઘણી ખરાબ અસર થાય છે. આવી સ્થિતિમાં વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકોને તેમના સ્વાસ્થ્ય અને આહાર (Diet) પર ધ્યાન આપવાનો સમય નથી મળતો અને તેઓ ખરાબ દિનચર્યા જીવવા લાગે છે.
ઘણીવાર એવું જોવા મળે છે કે સવારે ઉઠતાની સાથે જ વ્યક્તિને ઓફિસ પહોંચવાની ઉતાવળ હોય છે અથવા સમયસર શાળા-કોલેજ પહોંચવું પડે છે. આટલી દોડાદોડીમાં લોકો ખાવાપીવામાં પૂરેપૂરું ધ્યાન આપી શકતા નથી. તેથી આ નવા વર્ષથી તમારા સ્વાસ્થ્યની કાળજી લેવાનો સંકલ્પ કરો. સવારના સમયે તમે ઘણા સ્વાસ્થ્યપ્રદ ફેરફારો કરીને તમારા સ્વાસ્થ્યને યોગ્ય રાખી શકો છો. અમે તમને જણાવીએ છીએ કે આ નવા વર્ષથી તમે સવારના નાસ્તામાં કયા સ્વાસ્થ્યવર્ધક ફેરફારો કરી શકો છો.
પૌંવા એક લોકપ્રિય વાનગી છે. નાસ્તા માટે ઝડપી વાનગી તૈયાર કરવા માટે પૌંવા બનાવવા ખૂબ જ સરળ છે. આ વાનગી પૌંવા અને મગફળીથી બનાવી શકાય છે. તમે તેમાં ડુંગળી, બટાકા અને લીલા વટાણા પણ ઉમેરી શકો છો.
મસાલા ઓટ્સ એક એવો ખોરાક છે, જેનાથી તમે તમારું પેટ પૌષ્ટિક રીતે ભરી શકો છો. મસાલા ઓટ્સ બનાવવા માટે તમારે ઓટ્સ, કેટલીક શાકભાજી અને મુઠ્ઠીભર મસાલાની જરૂર પડશે. આ ઓટ્સ 15 મિનિટથી ઓછા સમયમાં તૈયાર થઈ જશે. આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી.
અનાદિ કાળથી અંકુરિત ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરને શક્તિ મળે છે અને શરીર સક્રિય પણ રહે છે. ખાસ વાત એ છે કે તે વજન ઘટાડવામાં પણ અસરકારક છે. જો તમે તેને બાળકોને પીરસવા માગતા હોવ તો તમે તેને બાફીને અથવા ડુંગળીના મસાલામાં મિક્સ કરીને આપી શકો છો. તેનો સ્વાદ બમણો થઈ જશે.
જો તમે નોન-વેજ ખાઓ છો તો નાસ્તામાં ઈંડા ચોક્કસ સામેલ કરો. તેમાં શરીર માટે જરૂરી પ્રોટીન અને ઓમેગા-3 વિટામિન ઘણા હોય છે. ખાસ વાત એ છે કે બાળકોને પણ તે ખૂબ જ ગમે છે. એવું માનવામાં આવે છે કે ઈંડા વજન ઘટાડવામાં પણ મદદગાર છે.
આ પણ વાંચોઃ Health: કાજુ ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન, જાણો શું છે કારણ
આ પણ વાંચોઃ Health: કિડનીને હંમેશા સ્વસ્થ અને રોગોથી દૂર રાખવા ઈચ્છો છો? આ 5 વસ્તુઓથી રહો દૂર