Health Benefits : ધાણા, જીરું અને વરિયાળીના પાણીના સેવન થકી શરીરને મળશે આ ફાયદાઓ

જીરું, વરિયાળી અને ધાણાથી પણ રોગપ્રતિકારક શક્તિ (Immunity )વધારી શકો છો. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, જીરું, ધાણા અને વરિયાળીનું પાણી પીવો. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Health Benefits : ધાણા, જીરું અને વરિયાળીના પાણીના સેવન થકી શરીરને મળશે આ ફાયદાઓ
Healthy Drink for immunity (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 9:03 AM

વર્કઆઉટ (Workout ) કે એક્સરસાઇઝ સિવાય લોકો વજન (Weight ) ઘટાડવા માટે ડાયટ (Diet )પ્લા ન પણ ફોલો કરે છે. વજન ઘટાડવાની આ દિનચર્યા સિવાય, લોકો કેટલીક એવી ટ્રિક્સ પણ અજમાવે છે, જે વજન ઘટાડવા ઉપરાંત સ્વસ્થ રહેવામાં મદદરૂપ થાય છે. મોટાભાગના લોકો ડિટોક્સ ડ્રિંકનું સેવન કરે છે તેનાથી ફાયદા થાય છે. ડિટોક્સ ડ્રિંક્સ બનાવવા માટે ઘણા પ્રકારના ઉત્પાદનો બજારમાં મળશે, પરંતુ તે ઘરમાં હાજર કેટલીક વસ્તુઓથી તૈયાર કરી શકાય છે. આયુર્વેદિક ટિપ્સમાં દેશી વસ્તુઓમાંથી બનેલા ડિટોક્સ ડ્રિંકનું સેવન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. આ ડ્રિંક્સ પેટનું સ્વાસ્થ્ય સારું રાખે છે, જ્યારે તે ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદરૂપ થાય છે.

જો કે ઘરમાં એવી ઘણી વસ્તુઓ છે, જેમાંથી તમે ડિટોક્સ ડ્રિંક બનાવી શકો છો, પરંતુ અમે તમને જીરું, ધાણા અને વરિયાળી મિક્સ કરીને બનાવેલા પાણીના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ત્રણ ઘટકો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જાણો જીરું, ધાણા અને વરિયાળીનું પાણી પીવાના ફાયદાઓ વિશે

પાચન તંત્રમાં સુધારો

વજન ઘટાડતા પહેલા, યોગ્ય પાચનતંત્ર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીરું, ધાણા અને વરિયાળીનું પાણી પાચનતંત્રની તંદુરસ્તી સુધારે છે અને લાંબા સમય સુધી સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. આ પાણીના બેવડા ફાયદા મેળવવા માટે, દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો. ધ્યાનમાં રાખો કે જીરું, ધાણા અને વરિયાળીનો ઉકાળો મર્યાદિત માત્રામાં જ લેવો જોઈએ. આ પાણીને વધુ પ્રમાણમાં પીવું ઝડપથી વજન ઘટાડવા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

રોગપ્રતિકારક શક્તિ

કોરોનાના આ યુગમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઔષધીય ગુણોથી ભરપૂર ઉકાળો ખાવામાં આવતો હતો. જડીબુટ્ટીઓ ઉપરાંત, તમે જીરું, વરિયાળી અને ધાણાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, જીરું, ધાણા અને વરિયાળીનું પાણી પીવો. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને નિષ્ણાતોના મતે આ ઉકાળામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે.

ત્વચા સમસ્યા

ઉનાળામાં ત્વચાની સુંદરતા ગાયબ થવાનો ભય રહે છે અને તમે તેને ખોરાક દ્વારા પણ જાળવી શકો છો. જીરું, ધાણા અને વરિયાળીનું પાણી ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. વરિયાળી વડે ત્વચાને ઠીક કરીને તેને સ્વસ્થ રાખી શકાય છે. વરિયાળી આપણા હોર્મોન્સને સંતુલિત કરે છે, સાથે જ તે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે વરિયાળી કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Plastic Use : જો તમારા ઘરમાં પણ પ્લાસ્ટિકનો વધુ પડતો વપરાશ થઇ રહ્યો હોય તો આ આર્ટિકલ જરૂર વાંચજો

Broccoli : વિટામિન K થી ભરપૂર આ શાકભાજીના રસનું સેવન શરીરને આપશે ઘણા સ્વાસ્થ્ય લાભો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">