જો જાણી ગયા અનુલોમ-વિલોમ પ્રાણાયામના આ 5 ચમત્કારી ફાયદા, તો તમે પણ શરુ કરી દેશો આજથી જ!

અનુલોમ-વિલોમ નાડી શોધન પ્રાણાયામનો એક પ્રકાર છે. તેને દૈનિક કરવાથી ખુબ જ અસરકારક પરિણામ આવે છે. અને ઘણીબધી સમસ્યાઓમાં રાહત મળે છે. અહીં જાણો આ પ્રાણાયામના 5 મોટા ફાયદાઓ વિશે.

જો જાણી ગયા અનુલોમ-વિલોમ પ્રાણાયામના આ 5 ચમત્કારી ફાયદા, તો તમે પણ શરુ કરી દેશો આજથી જ!
Know the amazing five benefits of Anulom Vilom Pranayama
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 7:21 AM

અનુલોમ-વિલોમ નાડી શોધન પ્રાણાયામના મુખ્ય પ્રકારોમાંથી એક છે. ઘણા આયુર્વેદ નિષ્ણાતો માને છે કે માત્ર આ પ્રાણાયામ કરવાથી, ઘણા ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. જો આ પ્રાણાયામ દરરોજ સવારે અને સાંજે 15 મિનિટ સુધી કરવામાં આવે તો તે શરીરની તમામ નાડીઓને શુદ્ધ કરે છે, સાથે સાથે શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે. અનુલોમ-વિલોમ કરવાથી મન પણ ફ્રેશ થાય છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ આ પ્રાણાયામના 5 ફાયદા.

1. ફેફસાંને મજબૂત બનાવે છે

અનુલોમ-વિલોમ તમારા ફેફસાંને સૌથી વધુ અસર કરે છે. તે ફેફસામાં ફસાયેલા ઝેરી ગેસને દૂર કરવાનું કામ કરે છે અને તેને સ્વસ્થ બનાવે છે. આ સિવાય તે ફેફસાને મજબૂત બનાવે છે અને તેની તાકાત વધારે છે. જે લોકોના ફેફસાં ધૂમ્રપાન કર્યા પછી નબળા થઈ ગયા છે, જો તેઓ ધૂમ્રપાન છોડ્યા પછી આ પ્રાણાયામનો અભ્યાસ કરે છે, તો તેઓ તેમના ફેફસાંને ફરીથી ઘણી હદ સુધી સુધારી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

2. ઓક્સિજનના પ્રવાહમાં સુધારો કરે છે

દરરોજ આ પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ સિવાય, તે શરીરમાં હાજર 72 હજાર નાડીઓને શુદ્ધ કરીને અને તેમાં જીવ પુરવાનું કામ કરે છે. શરીરના તમામ કોષોને નવી ઉર્જા આપે છે. આમ કરવાથી હાઈ બીપીની સમસ્યા કંટ્રોલ થાય છે અને હાર્ટ સ્વસ્થ થાય છે.

3. શ્વાસની તકલીફમાં રાહત આપે છે

જે લોકોને શ્વાસોચ્છવાસની કોઈ બીમારી હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય, અથવા જે લોકો જોર જોરથી શ્વાસ લેતા હોય તેમણે જરૂર અનુલોમ-વિલોમ કરવો જોઈએ. આમ કરવાથી, શ્વાસ લેવાની પ્રક્રિયા બરાબર થાય છે અને ફેફસાં યોગ્ય રીતે ઓક્સિજન ભરી શકે છે.

4. તણાવ દૂર કરવામાં મદદરૂપ

અનુલોમ-વિલોમ દૈનિકકરવાથી મગજમાં સારું રક્ત પરિભ્રમણ થાય છે અને ઓક્સિજનનો પ્રવાહ વધુ સારો થાય છે. આ ક્રિયા મૂડ ફ્રેશ કરે છે. તણાવ અને ટેન્શન જેવી કોઈ સમસ્યા રહેતી નથી. આનાથી ચીડિયાપણું, ગભરાટ, ઊંઘ ન આવવી, ડિપ્રેશન અને શરીરમાં નબળાઈ જેવી સમસ્યાઓ નિયંત્રિત થાય છે.

5. વિચારવાની શક્તિ વધે છે

અનુલોમ-વિલોમ કરવાથી તમારા મગજનો જમણો અને ડાબો ભાગ સંતુલિત થાય છે. વ્યક્તિ માટે વિચારવું અને સમજવું સરળ બને છે અને કાર્યક્ષમતા વધે છે. આ સિવાય એકાગ્રતા વધે છે.

આ પણ વાંચો: Weight Loss: કાકડીનું પાણી વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે, જાણો તેને બનાવવાની રીત

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો: Health Tips : આ રોગોથી પીડાતા લોકોએ જામફળનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">