Fitness Tips: દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાના છે અકલ્પનીય ફાયદા, જાણો સાયકલિંગ વિશે મહત્વની વાતો

Fitness Tips: સાયકલિંગ એક સારી કસરત છે. સાઈકલિંગ કરવાથી તમને કંટાળો પણ નહીં આવે, સાથે સાથે તમે બધી સમસ્યાઓથી બચી શકો છો.

Fitness Tips: દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાના છે અકલ્પનીય ફાયદા, જાણો સાયકલિંગ વિશે મહત્વની વાતો
Benefits of cycling
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:40 AM

Fitness Tips: કેટલાક લોકોને રોજ વહેલી સવારે ઉઠીને કસરત (Exercise) કરવામાં તકલીફ પડે છે. તો કેટલાક લોકોને તે કંટાળાજનક લાગે છે. જો તમારી સાથે પણ આવું કંઇક થાય છે, તો તમારે દરરોજ લગભગ 30 મિનિટ સાઇકલિંગ કરવું જોઈએ. સાયકલિંગ (cycling) સ્વયં જ એક સારી કસરત છે. આ કરવાથી તમને કંટાળો નહીં આવે ઉપરાંત સાથે તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. ચાલો તમને જણાવીએ સાયકલ ચલાવવાના (Benefits of cycling) તમામ ફાયદા.

1. દરરોજ 30 થી 45 મિનિટ સાઇકલ ચલાવવાથી ટાઇપ -2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે. જે લોકોને ડાયાબિટીસ છે, તેમનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

2. સાયકલ ચલાવતી વખતે તમારા પગને સારી કસરત મળે છે. આ પગના સ્નાયુઓને મજબૂત થાય છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

3. તમામ સંશોધનોમાં એ વાત પણ સામે આવી છે કે રોજ 30 મિનિટ સુધી સાઇકલ ચલાવવાની આદત દ્વારા બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

4. કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાતો વેગ પકડી રહી છે અને લોકો આ માટે તમામ પ્રકારની વસ્તુઓ લઈ રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે દૈનિક સાઈકલિંગ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

5. સાઇકલ ચલાવીને પણ વજનને નિયંત્રિત કરી શકો છો. સાયકલ ચલાવવાથી કેલરી બર્ન થાય છે. સંશોધન મુજબ, જો તમે છ મહિના સુધી સતત સાઇકલ ચલાવો છો, તો તમે તમારા વજનના 12 ટકા સુધી ઉતારી શકો છો. પરંતુ તેની સાથે આહારનું પણ સંતુલન રાખવું જરૂરી છે.

6. સાઈકલ ચલાવવાથી તણાવ પણ ઓછો થાય છે અને મૂડ ફ્રેશ થાય છે. આ સિવાય સાયકલ ચલાવવાથી તમારી યાદશક્તિ પણ મજબૂત થાય છે.

સાઈકલ ચલાવવા કયો સમય યોગ્ય છે?

હકીકતમાં તમે ગમે ત્યારે સાઇકલિંગ કરી શકો છો. પરંતુ જો તમે તેનાથી સ્વાસ્થ્ય લાભ લેવા માંગતા હો, તો તે શ્રેષ્ઠ છે કે તમે સવારે સાયકલ ચલાવો. તે વધુ સારા પરિણામો આપે છે.

કોને સાઈકલ ન ચલાવવી જોઈએ?

ઘૂંટણની સમસ્યાથી પીડાતા લોકોએ સાઈકલ ચલાવવી જોઈએ નહીં કારણ કે સાઈકલ ચલાવવાથી સમસ્યા વધી શકે છે.

અસ્થમાના દર્દીઓએ લાંબા સમય સુધી સાઈકલ ન ચલાવવી જોઈએ નહીંતર તેમને શ્વાસની તકલીફ થઈ શકે છે. તેમને પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને બાદમાં તેની સૂચનાઓ અનુસાર સાઇકલિંગ કરવું.

જે લોકોને એપીલેપ્ટીક સીઝર્સ (જકડાઈ જવાની બિમારી) છે, તે લોકોએ પણ ડોક્ટરની સલાહ વગર સાઈકલ ચલાવવાનું ટાળવું જોઈએ કારણ કે સાઈકલ ચલાવતી વખતે જો તમે જકડાઈ જાઓ છો તો અકસ્માત થઈ શકે છે.

આ પણ વાંચો: વજન ઘટાડવા માટે મૂળાની ભાજીનો રસ છે ખૂબ જ ફાયદાકારક, અનેક રોગો સામે પણ આપે છે રક્ષણ

આ પણ વાંચો: Health Tips : ડેન્ગ્યુમાંથી સાજા થયા બાદ પણ શરીરમાં રહે છે આ સમસ્યાઓ, જેની અવગણના કરવી પડી શકે છે ભારે

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">