AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વજન ઘટાડવા માટે મૂળાની ભાજીનો રસ છે ખૂબ જ ફાયદાકારક, અનેક રોગો સામે પણ આપે છે રક્ષણ

મૂળાની ભાજીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ક્લોરિન, સોડિયમ, આયર્ન, મેગ્નેશિયમ તેમજ વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

વજન ઘટાડવા માટે મૂળાની ભાજીનો રસ છે ખૂબ જ ફાયદાકારક, અનેક રોગો સામે પણ આપે છે રક્ષણ
Radish leaves
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 1:59 PM
Share

શિયાળો(Winter) આવે એટલે જુદા જુદા પ્રકારની ભાજી(Vegetables) મળવાનું શરુ થઇ છે. આ બધી જ ભાજી સ્વાસ્થ્ય(Health) માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાસ કરીને મૂળાની ભાજી ખાવાથી આપણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકીએ છીએ.

શિયાળાની ઋતુમાં લોકો મૂળા ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. જો કે ઘણી વખત કેટલાક લોકો મૂળા ખરીદતી વખતે તેના પાન એટલે કે ભાજી લેતા નથી, કદાચ ભૂલથી પાન આવી જાય તો તેને ફેંકી દે છે પરંતુ મૂળાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

મૂળાની ભાજીમાં અનેક પોષક તત્વો મૂળાની ભાજીનો રસ બનાવીને પી શકાય છે. મૂળાની ભાજીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ક્લોરિન, સોડિયમ, આયર્ન, મેગ્નેશિયમ તેમજ વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

મૂળાની ભાજીનો રસ અને તેના ફાયદા

1. પાચન

મૂળાના પાનમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળી આવે છે. જે દરેક વ્યક્તિના પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. મૂળાની ભાજીમાંથી બનેલો રસ પીવાથી પાચન શક્તિ સારી થાય છે.

2. મેદસ્વીપણું

જો તમે શિયાળામાં વજન ઓછું કરવા માંગો છો તો મૂળાની ભાજીનો રસ દરેક માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હા, તમે મૂળાના પાનમાંથી બનાવેલો રસ પીશો તો સરળતાથી વજન ઘટાડી શકો છો. મૂળાની ભાજીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

3. લો બ્લડ પ્રેશર

જો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો લો બ્લડ પ્રેશરના દરેક દર્દી માટે મૂળાના પાનનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મૂળાના પાનમાં સારી માત્રામાં સોડિયમ હોય છે, જે શરીરમાં મીઠાની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે.

મૂળાની ભાજીમાંથી રસ બનાવવાની રીત મૂળાના ભાજીમાંથી રસ બનાવવા માટે સૌ પ્રથમ મૂળાના પાનને ચોખ્ખા પાણીથી 2-3 વાર સારી રીતે ધોઈ લેવા. ત્યારપછી તેના નાના-નાના ટુકડા કરી લેવા અને ત્યારબાદ પાંદડાને મિક્સરમાં પીસી લેવા. પછી તેમાં સ્વાદ અનુસાર કાળું મીઠું, એક ચપટી કાળા મરીનો પાવડર અને લીંબુનો રસ ઉમેરવો. હવે મૂળાની ભાજીનો આ રસ તૈયાર છે. આ રસ સવારે પીવાથી ખૂબ જ ફાયદાકારક રહે છે.

આ પણ વાંચો : Bank Holidays: બેંકને લગતા તમામ કામ ઝડપથી પતાવી દો, ડિસેમ્બરમાં આટલા દિવસો બેંક રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટ સામે સતર્કતા, 11 દેશોના પ્રવાસીઓનો એરપોર્ટ પર ફરજિયાત RTPCR ટેસ્ટ કરાશે

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">