AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરીરમાં કોઈ પણ ભાગે ઇજા થઈ હોય તો શ્વાન કે બિલાડીથી રહેજો દૂર, નહીં તો કાપવા પડશે શરીરના આ અંગ, કારણ જાણવા જુઓ Video

તમે જો પાલતુ પ્રાણી રાખવાના શોખીન છો, તો તમારે એક મહત્વની વાત જાણવી ખૂબ જરૂરી છે. કારણ કે, પાલતુ પ્રાણી જેવા કે શ્વાન , બિલાડી આ તમામના મોંમાં એક કેપનોસાયટોફેગા નામના બેક્ટેરિયા હોય છે. જે મનુષ્યના શરીરમાં જાય તો ગંભીર નુકશાન કરી શકે છે.

શરીરમાં કોઈ પણ ભાગે ઇજા થઈ હોય તો શ્વાન કે બિલાડીથી રહેજો દૂર, નહીં તો કાપવા પડશે શરીરના આ અંગ, કારણ જાણવા જુઓ Video
| Updated on: Aug 14, 2024 | 8:17 PM
Share

પાલતુ પ્રાણી જેવા કે શ્વાન અને બિલાડી હર કોઈને પસંદ હોય છે. કેટલીક વાર લોકો રસ્તે ચાલતા શ્વાન અને બિલાડીને રમાડતા પણ જોવા મળે છે. અને ક્યારેક તેમણે આ શ્વાન કે બિલાડી ચાટતા પણ હોય છે. ત્યારે તમારે એ જાણવું પણ જરૂરી છે કે શું પાલતુ પ્રાણીનું આ રીતે તમને ચાટવું તમારા માટે ગંભીર બની શકે છે કે કેમ અને જો હા તો શું છે કારણ ચાલો જાણીએ.

સામાન્ય રીતે લોકો રસ્તે ચાલતા શ્વાન અને બિલાડીને પ્રેમ કરતાં જોવા મળે છે. આ દરમ્યાન શ્વાન પોતાની જીભ વડે વ્યક્તિને ચાટે છે. ત્યારે તેણી જીભમાં કેપનોસાયટોફેગા નામના બેક્ટેરિયા હોય છે. જે તમારા શરીર માટે ખૂબ ખતરનાક છે.

જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં ઇજા પહોંચી છે અને તે જ જગ્યાએ આ શ્વાન તમને ચાટે છે અને જો તેણી લાળમાં રહેલા કેપનોસાયટોફેગા બેક્ટેરિયા તમારા શરીરમાં પ્રવેશે તો ગંભીર સ્થિતિ સર્જાય શકે છે.

કેપનોસાયટોફેગા એ એક પ્રકારનો બેક્ટેરિયા છે જે સામાન્ય રીતે શ્વાન અને બિલાડીઓના મોંમાં જોવા મળે છે. આ બેક્ટેરિયા દુર્લભ કિસ્સાઓમાં મનુષ્યોને ચેપ લગાવી શકે છે, ખાસ કરીને જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા જો તે અથવા તેણીને પ્રાણીના કરડવાથી અથવા ખંજવાળથી ઇજા થઈ હોય. આ ચેપ ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમ કે સેપ્સિસ (લોહીનું ઝેર) અને અંગને ગંભીર નુકસાન. તેથી, જો શ્વાન અથવા બિલાડી દ્વારા ચાટવા કેકરડવામાં આવે તો તરત જ તબીબી સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

કેપનોસાયટોફેગા ચેપથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જોઈએ

  • કૂતરા કે બિલાડીના સંપર્કમાં આવ્યા બાદ સાબુ અને પાણીથી તરત જ શરીર પરનો ઘા સાફ કરો
  • જો તમને કોઈ પ્રાણી કરડ્યું હોય અથવા ઇજા વાળી જગ્યા પર ચાટ્યું હોય, ખાસ કરીને જો ઘા ઊંડો હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
  • નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પાલતુ પ્રાણીઓ સાથે મર્યાદિત સંપર્ક રાખવો.
  • પશુ સ્વચ્છતા માટે નિયમિત સફાઈ અને પાલતુ પ્રાણીની આરોગ્ય તપાસ કરવી ખૂબ જરૂરી છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">