AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કયા સમયે સ્નાન કરવાના સૌથી વધુ ફાયદા મળે છે? કયા સમયે સ્નાન ન કરવું જોઈએ?

Best Time To Take Bath: તમે જાણો છો કે સ્નાન કરવું તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે દિવસના કયા સમયે સ્નાન કરવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

કયા સમયે સ્નાન કરવાના સૌથી વધુ ફાયદા મળે છે? કયા સમયે સ્નાન ન કરવું જોઈએ?
Do you Know best time to take bath in day and why evening bath is best for your health
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 10:52 PM
Share

સ્નાન (Bath) એ આપણી દિનચર્યાનો મહત્વનો ભાગ છે અને તે સ્વાસ્થ્ય (Health) માટે સૌથી મહત્વની બાબત છે. પરંતુ શું તમે જાણો છો કે સ્નાન કરવાથી શું ફાયદા થાય છે? સ્નાન કરવાની સાથે સાથે એ પણ મહત્વનું છે કે કયા સમયે સ્નાન કરવું વધુ યોગ્ય છે. દિવસ દરમિયાન કોઈપણ સમયે સ્નાન કરવું સારું છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી. જો તમે યોગ્ય સમયે સ્નાન કરો છો, તો પછી તમે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખી રહ્યા છો, સાથે સાથે કેટલાક સમય એવા પણ આવે છે જ્યારે નહાવું યોગ્ય નથી.

આવી સ્થિતિમાં ચાલો જાણીએ છીએ કે કયા સમયે સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે સમયે સ્નાન શા માટે કરવું જોઈએ. આ સિવાય, એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે તમારે કયા સમયે નહાવાની અવગણના કરવી જોઈએ.

કયા સમયે સ્નાન કરવું જોઈએ?

આ જાણીને તમને વિચિત્ર લાગશે, પરંતુ એ વાત સાચી છે કે સવારની સરખામણીમાં સાંજે સ્નાન સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. ઘણા અહેવાલો અનુસાર, જો તમે રાત્રે સ્નાન કરી રહ્યા હોવ તો તમે એકદમ યોગ્ય કરી રહ્યા છો. ખરેખર, રાત્રે સ્નાન તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને, ઉનાળામાં અથવા વરસાદની ઋતુમાં આ ખૂબ જ ફાયદાકારક છે.

ખરેખર, લાંબા સમય સુધી બહાર રહેવાના કારણે, દિવસ દરમિયાન તમારી ત્વચા પર ઘણી બધી માટી, પરસેવો વગેરે ચોંટી જાય છે અને તેના કારણે થતા રોગોથી બચવા માટે સાંજે સ્નાન કરવું એ એક સારી આદત છે. તેથી સૂતા પહેલા તમારા શરીરને સારી રીતે સાફ કરવું જરૂરી છે. પરંતુ, એવું નથી કે સવારે સ્નાન કરવું ખોટું છે.

સાંજે સ્નાન કરવાથી શું ફાયદા થાય છે?

સાંજે સ્નાન કરવાથી તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. રાત્રે સ્નાન કરવાથી ગરમીને કારણે શરીરનું તાપમાન વધવાથી બ્લડ પ્રેશર બરાબર રહે છે. આ સાથે, તે ગાઢ ઊંઘમાં પણ મદદ કરે છે અને તમે તણાવને દૂર રાખી શકો છો. તે તમારા મન, ત્વચા અને શરીર માટે ઘણું ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, રાત્રે સ્નાન કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.

કયા સમયે સ્નાન ન કરવું જોઈએ?

આયુર્વેદ અનુસાર સ્નાન સંબંધિત ઘણા નિયમો છે. એવું કહેવાય છે કે જો તમે જમ્યા પછી તરત જ સ્નાન કરવા જાવ છો તો સમજી લો કે આ તમારી ખરાબ આદત છે. આયુર્વેદ અનુસાર ભોજન કર્યા પછી કેટલાક સમય (1 થી બે કલાક) સુધી સ્નાન ન કરવું જોઈએ. આ સિવાય, દિવસ માં આવા ઘણા સમય હોય છે જેમાં સ્નાન કરવાનું ટાળવું જોઈએ. જો તમે સૂવા જઇ રહ્યા છો, તો તે પહેલા જ સ્નાન કરવાનું ટાળો અને જો તમને લાંબો શાવર લેવાની ટેવ હોય તો તમારે આ બિલકુલ ન કરવું જોઈએ. ઊંઘ અને સ્નાન વચ્ચે અંતર રાખવું જોઈએ.

ઉપરાંત, જો તમે પહેલાથી જ દિવસમાં એક કે બે વાર સ્નાન કરી લીધું હોય, તો તમારે વારંવાર શાવર લેવાની જરૂર નથી. ઘણા લોકો હળવી ગરમી બાદ જ સ્નાન કરવા જાય છે, જે ખોટું છે. દિવસમાં એક કે બે વાર સ્નાન તમારા માટે પૂરતું છે.

આ પણ વાંચો: દૂધ નથી પીતા? તો આહારમાં રાગીનો કરો સમાવેશ, જાણો તેના 5 અમુલ્ય ફાયદા

આ પણ વાંચો: Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલ ફૂડ ખાધા પછી જરૂર કરો આ 6 કામ, નહીંતર થઈ શકે છે મોટી સમસ્યાઓ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">