AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health care: શું તમને પણ પથરીની સમસ્યા છે? જાણો કયા ફળ ખાવા અને કયા ન ખાવા જોઇએ

પથરીની સમસ્યા દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત લોકો એવી વસ્તુઓનું સેવન કરે છે, જે આ સમસ્યાને વધુ વકરી જાય છે. અમે તમને આ સ્થિતિમાં ક્યા ફળ ખાવા જોઈએ અને ક્યા ન ખાવા જોઈએ તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ. તેના વિશે જાણો...

Health care: શું તમને પણ પથરીની સમસ્યા છે? જાણો કયા ફળ ખાવા અને કયા ન ખાવા જોઇએ
Consume these fruits during stone problem
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 9:58 AM
Share

લોકોનું ભોજન એટલું બગડી ગયું છે કે તેમાંથી મોટાભાગના લોકો પથરીની સમસ્યાનો ( Stone problem)સામનો કરી રહ્યા છે. પથરી દરમિયાન પેટમાં દુખાવો એટલો તીવ્ર હોય છે કે ક્યારેક તેને સહન કરવું મુશ્કેલ બની જાય છે. જો પથરીની સમસ્યા પિત્તાશયમાં હોય તો તેને સર્જરી દ્વારા જ બહાર કાઢી શકાય છે. કહેવાય છે કે જો સમયસર આ પિત્તાશયમાંથી પથરી દૂર કરવામાં ન આવે તો તે લીવરમાં ઈન્ફેક્શનનું  ( Liver infection ) કારણ બની શકે છે. આ સંક્રમણને કારણે આંતરડાનું કેન્સર પણ થાય છે, તેથી સમયસર સર્જરી કરાવવી શ્રેષ્ઠ છે. બીજી તરફ જો કિડનીમાં મોટી સાઈઝની સ્ટોન  ( Kidney health )હોય તો તે પણ માત્ર સર્જરી દ્વારા જ દૂર કરી શકાય છે.

જો કે, નાની પથરીને દવાઓ અને કુદરતી વસ્તુઓની મદદથી દૂર કરી શકાય છે. પથરીની સમસ્યા દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત લોકો એવી વસ્તુઓનું સેવન કરે છે, જે આ સમસ્યાને વધારે છે. અમે તમને આ સ્થિતિમાં ક્યા ફળ ખાવા જોઈએ અને ક્યા ન ખાવા જોઈએ તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ. તેના વિશે જાણો…

આ ફળ ખાઓ

પાણી યુક્ત ફળોઃ જો તમે પથરીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો એવા ફળો ખાઓ, જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય. પથરીને દૂર કરવા માટે, ડોકટરો વધુ પાણી પીવાની ભલામણ કરે છે. એવું કહેવાય છે કે જે લોકો ઓછું પાણી પીવે છે તેમને પથરીની સમસ્યા રહે છે. પથરી વખતે તમે તરબૂચ અને નારિયેળ પાણીનું સેવન કરી શકો છો. જો કે તરબૂચના બીજ બિલકુલ ન ખાવા.

ખાટા ફળ: કહેવાય છે કે ખાટા ફળમાં હાજર વિટામિન સી પથરીને ઓગાળી શકે છે. એટલું જ નહીં, તેમાં રહેલું સાઇટ્રિક એસિડ પથરી બનતા પણ અટકાવે છે. તમારે નારંગી, મોસમી, જામફળ અને સાઇટ્રિક એસિડથી ભરપૂર દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. પથરીની સમસ્યાને દૂર કરવા ઉપરાંત આ ફળો સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે.

કેલ્શિયમથી ભરપૂર ફળઃ પથરી હોય તો કેલ્શિયમથી ભરપૂર ફળો જેવા કે કીવી, કાળી દ્રાક્ષ અને અંજીરનું સેવન કરવું જોઈએ. એવું કહેવાય છે કે કેલ્શિયમ પથ્થરની રચનાનું જોખમ ઘટાડે છે. એટલું જ નહીં, તમે અન્ય કેલ્શિયમથી ભરપૂર ખાદ્યપદાર્થોનું પણ સેવન કરી શકો છો.

આ ફળ ન ખાઓ

ઘણી વખત લોકો પથરી થાય ત્યારે એવા ફળો ખાતા હોય છે, જેને પચવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તજજ્ઞોના મતે પથરીની સમસ્યામાં દાડમ, શક્કરિયા, કેરી અને ડ્રાયફ્રુટ્સનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે આ ફળ ખાવાથી પથરીની સમસ્યા વધી શકે છે. આ સિવાય પેકેજ્ડ ફૂડને તમારા આહારનો ભાગ બનાવવાનું ટાળો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Health : સ્વાસ્થ્ય માટે ભલે ગમે તેટલું હોય લાભદાયી, પણ આ સમસ્યા હોય તો ઘી ના સેવનથી બચવાની જરૂર

આ પણ વાંચો-

Eye Care : આંખોની આ બીમારી વિશે જાણકારી રાખવી છે ખુબ જ જરૂરી

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">