AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women and Health: શું તમને પણ પીરિયડ્સ દરમિયાન ફોલ્લીઓ થાય છે, આ રીતે સમસ્યાનો ઉપાય મેળવો

પીરિયડ્સ દરમિયાન ઘણી સ્ત્રીઓને ફોલ્લીઓની સમસ્યા થતી હોય છે, જેના કારણે તેમના માટે ચાલવું, ઉઠવું અને બેસવું મુશ્કેલ બને છે. તમે અહીં જણાવેલી કેટલીક પદ્ધતિઓ અજમાવીને આ સમસ્યાથી બચી શકો છો.

Women and Health: શું તમને પણ પીરિયડ્સ દરમિયાન ફોલ્લીઓ થાય છે, આ રીતે સમસ્યાનો ઉપાય મેળવો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 3:28 PM
Share

પીરિયડ્સ (Periods) દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. પગ અને પીઠમાં દુખાવો ઉપરાંત (Back Pain) પેટના નીચેના ભાગમાં ખેંચાણ થાય છે. ઘણી સ્ત્રીઓને મૂડ સ્વિંગ, ઉલ્ટી વગેરે જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ઉનાળાની ઋતુમાં પેડના ઉપયોગને કારણે ઘણી મહિલાઓને ફોલ્લીઓની (Rashes) સમસ્યાનો સામનો કરવો પડે છે. પીરિયડ્સ દરમિયાન થતી આ ફોલ્લીઓને કારણે ચાલવામાં પણ તકલીફ થાય છે. આવી સ્થિતિમાં મહિલાઓએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, નહીં તો ચેપનું જોખમ વધી જાય છે. કેટલીક સાવચેતી રાખીને ફોલ્લીઓની આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

4 કલાક પછી પેડ બદલો

ઘણી વખત મહિલાઓ કામમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેઓ કલાકો સુધી પોતાનું પેડ બદલતી નથી. આવી સ્થિતિમાં ફોલ્લીઓ સાથે ચેપની સંભાવના ઘણી વધી જાય છે. તેથી, હંમેશા 4 કલાકની અંદર પેડ બદલો. આ સિવાય માત્ર હળવા, નરમ અને સારી ગુણવત્તાવાળા પેડનો ઉપયોગ કરો.

સ્વચ્છતા જાળવવી

પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. જો શક્ય હોય તો પ્રાઈવેટ એરિયાને ત્રણથી ચાર વાર હૂંફાળા પાણીથી સાફ કરો. આ સમય દરમિયાન ડેટોલ અથવા કોસ્મેટિક સાબુ અથવા ક્રીમનો ઉપયોગ કરશો નહીં. તજજ્ઞના જણાવ્યા મુજબ માત્ર હૂંફાળા પાણીથી જ પ્રાઈવેટ એરિયાને સાફ કરો. તેનાથી બેક્ટેરિયાથી છુટકારો મળશે, જે ફોલ્લીઓ અને ચેપનું કારણ બને છે.

પાવડર વાપરો

સામાન્ય રીતે ફોલ્લીઓની સમસ્યા મોટે ભાગે ભેજને કારણે હોય છે. ભેજ ટાળવા માટે પેડ બદલતી વખતે તે વિસ્તારને હૂંફાળા પાણીથી સાફ કરો અને ટીશ્યુ પેપર વડે ભીનાશ દૂર કરો. આ પછી એન્ટિફંગલ અથવા એન્ટીબેક્ટેરિયલ પાવડરનો ઉપયોગ કરો. તજજ્ઞની સલાહથી પાવડર ખરીદો. આ સિવાય પીરિયડ્સ દરમિયાન કોટનના ઈનરવેરનો ઉપયોગ કરો. સિન્થેટિક ઈનરવેર તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

લીમડાનું પાણી

ફોલ્લીઓની સમસ્યાને દૂર કરવા અને આ સમસ્યાથી બચવા માટે તમે લીમડાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. લીમડામાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આ માટે લીમડાના પાનને પાણીમાં નાખીને ઉકાળો. ઠંડુ થયા બાદ આ પાણીથી પ્રાઈવેટ એરિયાને સાફ કરો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો- Pregnancy Care : શું ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓએ બે વ્યક્તિનો આહાર લેવાની જરૂર છે ?

આ પણ વાંચો- Health: ઓમિક્રોન સામે લડવા માટે આ 4 આદતોને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">