શું તમે પણ વધુ પ્રમાણમાં સેવન કરો છો આદુવાળી ચાનું? આ ચસ્કો પડી શકે છે ભારે, જાણો સાઈડ ઈફેક્ટ

તમને પણ આદુની ચા પીવાનો ખુબ ચસ્કો હશે. પરંતુ શું તમે જાણો છો વધુ પડતા આદુના સેવનથી ઘણી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ચાલો જાણીએ તેના વિશે.

શું તમે પણ વધુ પ્રમાણમાં સેવન કરો છો આદુવાળી ચાનું? આ ચસ્કો પડી શકે છે ભારે, જાણો સાઈડ ઈફેક્ટ
Side effects of Ginger and Ginger Tea
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 7:56 AM

ચોમાસાની ઋતુ અને ચાની મજા બંનેની વાત જ અલગ છે. મોટાભાગે આપણને સૌને ચા પીવી ખુબ ગમે એમાં પણ ઘણા લોકો આદુની મસાલા ચાના ખુબ મોટા રસિયા હોય છે. આદુ એક ખૂબ વધુ વપરાતો મસાલો છે. જે આપણા રસોડામાં ચોક્કસ જોવા મળે છે. આદુનો ઉપયોગ ચામાં સૌથી વધુ થાય છે. આ સિવાય, તે અન્ય ઘણી ખાદ્ય ચીજોમાં પણ વપરાય છે. આદુમાં ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે, જે આપણને ઉત્તમ સ્વાદની સાથે સાથે અન્ય ઘણા ફાયદા પણ આપે છે.

તમને જણાવી દઈએ કે આદુમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન બી 3 અને બી 6, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત, આદુ તેના ઘણા ઔષધીય ગુણોને કારણે મનુષ્યો માટે વરદાન છે. આદુના ફાયદાઓ વિશે આપણે બધા જાણીએ છીએ પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. જી હા, વધારે પ્રમાણમાં આદુ ખાવાથી આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સગર્ભા સ્ત્રીઓને આદુથી યોગ્ય અંતર રાખવાની સલાહ આપવામાં આવે છે.

એક દિવસમાં કેટલું આદુ લેવું જોઈએ

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

આપણે બધા જાણીએ છીએ કે આદુ ગરમ છે. તેથી, તેનો વધુ પડતો વપરાશ આપણા માટે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ આદુથી થતા નુકસાન વિશે. નિષ્ણાતોના મતે એક દિવસમાં 5 થી 6 ગ્રામ આદુ આપણા માટે પૂરતું છે. જો આપણે તેનાથી વધુ આદુનું સેવન કરીએ છીએ તો તે નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. વધારે પ્રમાણમાં આદુનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય આદુનું વધુ પડતું સેવન આપણા માટે બીજી ઘણી રીતે નુકસાનકારક છે.

વધુ આદુથી થાય છે આ સમસ્યાઓ

વધુ આદુવાળી ચા પીવાથી છાતી અને પેટમાં બળતરા થાય છે. જો તમને રાત્રે સૂતા પહેલા નિયમિત રીતે આદુની ચા પીવાની ટેવ હોય તો તમારે તરત જ ચેતી જવું જોઈએ. લાંબા સમય સુધી રાત્રે આદુની ચા પીવાથી ઊંઘ ના આવવાની સમસ્યા થઈ શકે છે. જો સમયસર આ સમસ્યા પર નિયંત્રિત ન લાવવામાં આવે, તો પછી સમસ્યા વધી શકે છે. આ સાથે પુરતી ઊંઘ ના આવવાથી સાથે ઘણી સમસ્યાઓ આવે છે.

આદુ બ્લડ સુગર ઘટાડે છે, જો તમારું બ્લડ સુગર પહેલેથી ઓછું છે તો તમારે આદુની ચા ન પીવી જોઈએ કારણ કે તે તમારા માટે હાનિકારક હોઈ શકે છે. લો બ્લડ પ્રેશરવાળા લોકોએ વધારે પડતી આદુવાળી ચા ન પીવી જોઈએ. આદુની ચા પેટમાં ગયા બાદ એસિડ વધારે છે. જો તમે વધારે પડતી ચા પીતા હો, તો તમને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે.

આ પણ વાંચો: 100 થી વધુ રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે આ ફળ! જાણો 5 સૌથી મોટા ફાયદા

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: સારી ઊંઘની રાહમાં નહીં ફેરવવા પડે પડખાં, આજે જ અજમાવી જુઓ ઘરેલુ અને આયુર્વેદિક ઉપાય

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">