AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 થી વધુ રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે આ ફળ! જાણો 5 સૌથી મોટા ફાયદા

નોની ફળ જડીબુટ્ટીઓમાં સમાવિષ્ટ છે. તેને કુદરતી દવાઓનો ભંડાર માનવામાં આવે છે. તેમાં 150 થી વધુ પોષક તત્વો છે જે તમને તમામ મોટા રોગોથી બચાવે છે. ચાલો જાણીએ આ ફળના અમુક ફાયદા વિશે.

100 થી વધુ રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે આ ફળ! જાણો 5 સૌથી મોટા ફાયદા
know 5 big benefits of Noni Fruit
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 7:34 AM
Share

ઔષધિઓની લીસ્ટમાં નોની એક એવું ફળ (Noni Fruit) છે, જેના પાંદડા, દાંડી, ફળ અને રસ બધા જ દવા તરીકે વપરાય છે. એવું માનવામાં આવે છે કે આ ચમત્કારિક ફળ 100 થી વધુ રોગોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. એટલું જ નહીં આ ફળમાંથી 150 થી વધુ પોષક તત્વો મળી આવે છે. માનવામાં આવે છે કે જો તેનું સેવન કરવામાં આવે તો તે કેન્સર જેવા જીવલેણ રોગોને પણ અટકાવી શકે છે. તમને બજારમાં નોનીનો રસ સરળતાથી મળી શકે છે. આ ફળને કુદરતી દવાઓનો ભંડાર કહેવામાં આવે છે. ચાલો જાણીએ આ ફળના (Health benefits of Noni fruit) ફાયદા.

1. આજકાલ, લોકો કોરોના સમયગાળા દરમિયાન રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે ઘણી રીતો અજમાવે છે. આવી સ્થિતિમાં નોની ફળનો જ્યુસ તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. તેના નિયમિત સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત રહે છે. આ રીતે તમારું શરીર રોગો સામે લડવા માટે તૈયાર થઈ જાય છે.

2. નોનીના જ્યુસમાં સ્થૂળતા વિરોધી ગુણધર્મો જોવા મળે છે, તેથી આ તે લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છે જે ઝડપથી વજન ઘટાડવા માંગે છે. સ્થૂળતા ઘટાડવાથી, તમામ રોગો આપોઆપ નિયંત્રિત થાય છે કારણ કે સ્થૂળતાને તમામ રોગોનું કારણ માનવામાં આવે છે.

3. નોની બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. આ સ્થિતિમાં તેનો જ્યુસ પીવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે, સાથે સાથે સામાન્ય લોકોને ડાયાબિટીસના રોગથી બચાવે છે.

4. સંશોધન જણાવે છે કે નોનીમાં બીટા-ગ્લૂકેન્સ અને સંયોજિત લિનોલીક એસિડ હોય છે, જેના કારણે તે પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરને રોકવામાં સક્ષમ છે. વધુમાં, તે કેન્સર સામે પણ રક્ષણ આપે છે.

5. વંધ્યત્વની સમસ્યાને દૂર કરવા માટે નોનીનો રસ પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી પુરુષોમાં નપુંસકતા અને સ્ત્રીઓમાં વંધ્યત્વની સમસ્યા દૂર થઈ શકે છે. તે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવા અને મહિલાઓના પીરિયડની સમસ્યા દૂર કરવા માટે પણ કામ કરે છે.

આ બાબતોને ધ્યાનમાં રાખો

કિડનીના રોગથી પીડાતા લોકોએ નોની જ્યુસ ન પીવો જોઈએ.

જો તમે હાઈ બીપી માટે દવા લો છો, તો તમારે નિષ્ણાતનો અભિપ્રાય લીધા પછી જ નોની જ્યુસ લેવો જોઈએ.

જરૂરિયાત કરતાં વધુ વપરાશ કરવાથી સુગર લેવલ ઓછું થવાનું જોખમ છે. તેથી, નિષ્ણાત દ્વારા નિર્દેશિત માત્રામાં જ તેનું સેવન કરો.

કોઈપણ આડઅસર ટાળવા માટે, આ લેતા પહેલા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો: સારી ઊંઘની રાહમાં નહીં ફેરવવા પડે પડખાં, આજે જ અજમાવી જુઓ ઘરેલુ અને આયુર્વેદિક ઉપાય

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: 40 બાદ ચહેરા પર દેખાવા લાગી છે ઉંમરની અસર? અપનાવો આ 5 ફૂડ અને જુઓ ચમત્કાર

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">