AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ખાલી પેટ ન કરતા આ કામ અને આ વસ્તુઓનું સેવન, નહીંતર પસ્તાવાનો આવશે વારો

સવારનો સમય દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વનો હોય છે. શાળા એ જતા બાળકો અને ઓફિસ જતા મોટા લોકો ઘણી વાર ઉતાવળમાં એવી ભૂલો કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.

Health Tips : ખાલી પેટ ન કરતા આ કામ અને આ વસ્તુઓનું સેવન, નહીંતર પસ્તાવાનો આવશે વારો
Health tips: this thing you should avoid in empty stomach
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 11:43 PM
Share

આપણી વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણામાંના મોટાભાગના લોકો ઘણી બાબતો પર ધ્યાન આપતા નથી. તે આપણા સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે. ખાસ કરીને મહિલાઓ પોતાના પરિવારની સંભાળ રાખવામાં પોતાની તરફ ધ્યાન આપતી નથી. ઘણી વખત તેઓ સમયસર ખોરાક લેતા નથી, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડે છે. આ સિવાય સવારે કામના સમયને કારણે નાસ્તો છોડીને માત્ર ચા પીવે છે.

જોકે આપણે બધા જાણીએ છીએ કે ખાલી પેટ (Empty Stomach) ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચાલો જાણીએ કે સવારે ખાલી પેટ કઈ વસ્તુઓ ટાળવી જોઈએ. આ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

ખાલી પેટ કોફી ન પીવી

ઘણા લોકો સવારે ઉઠતા જ ચા અથવા કોફી (Coffee) પીવાનું પસંદ કરે છે. પરંતુ આયુર્વેદમાં આ વસ્તુઓ ખાલી પેટ પીવી હાનિકારક માનવામાં આવે છે. કોફી અને ચામાં કેટલાક એસિડિક પદાર્થો હોય છે, જેના કારણે તે અપચોનું કારણ બને છે. આ સિવાય એસિડિટી પણ થઇ શકે છે. જો તમને કોફી કે ચા પીવાની ટેવ હોય તો તે પહેલા બે -ચાર બિસ્કિટ ખાઓ અને પછી કોફી પીઓ.

શું ન લેવું જોઈએ?

આયુર્વેદમાં અમુક વસ્તુઓ ખાવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સવારે ખાલી પેટ દહીં, ટામેટાં, દવાઓ, મીઠાઈઓ, કેળા અને મસાલેદાર વસ્તુઓ ટાળવી જોઈએ. આ બધી વસ્તુઓમાં એસિડની માત્રા વધારે હોય છે, જે ખાલી પેટ ખાવામાં આવે તો સમસ્યા સર્જી શકે છે

લડાઈ – ઝઘડા ટાળો

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ખાલી પેટ કોઈ કામ થતું નથી. આવી સ્થિતિમાં, જો તમે આખો દિવસ કંઈ ખાતા નથી, તો તમને જરૂર કરતાં વધારે ગુસ્સો આવે છે. તમે કોઈ કારણ વગર ગુસ્સે થશો. કદાચ તમે નથી જાણતા કે જો તમે કોઈ વ્યક્તિ સાથે ગુસ્સે છો, તો બ્લડ સુગર ખૂબ ઓછી અથવા વધારે થઇ શકે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ખાલી પેટ ન સૂવું

ઘણા લોકોને સવારે મોડે સુધી સૂવાની ટેવ હોય છે. લાંબા સમય સુધી ખાધા વગર રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેના કારણે તમારું પાચનતંત્ર નબળું પડે છે અને વજન પણ વધે છે.

ખાલી પેટ પર ચ્યુઇંગમ ચાવવી

ઘણા લોકો ખાલી પેટ દિવસ દરમિયાન ચ્યુઇંગમ ચાવે રાખે છે કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી તેઓ તેમનું વજન નિયંત્રિત રહેશે. પરંતુ આ તમારી પાચન તંત્રને નબળી પાડે છે અને આંતરડાની પરેશાની વધારવાનું કામ કરે છે.

આ પણ વાંચો: World Heart Day: મહિલાઓમાં PCOS ની સમસ્યા વધારી શકે છે સ્ટ્રોકનું જોખમ? નવા રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: Health : પનીરથી લઈને ઘી સુધીની આ ડેરી પ્રોડક્ટ છે તમારા ડેઇલી ડાયટમાં ઉમેરવા જેવી

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">