AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના જ્ઞાનશાળા: ડાયાબિટીસથી પીડિત 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોવિડ -19 નું જોખમ બાળકો કરતા વધારે?

કોરોનાને લઈને મહત્વની સ્ટડી બહાર આવી છે. જેમાં કહેવાયું છે કે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને બાળકો અને યુવાનો કરતા કોવિડ -19 નું જોખમ વધારે હોય છે.

કોરોના જ્ઞાનશાળા: ડાયાબિટીસથી પીડિત 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોવિડ -19 નું જોખમ બાળકો કરતા વધારે?
Corona Gyanshala: Adults over 40 year old age with diabetes covid 19 more likely to be hospitalized than children says study
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 10:03 PM
Share

કોવિડ -19 થી પીડિત અને 40 વર્ષથી વધુ ઉંમરના જેમને ટાઇપ -1 ડાયાબિટીસ છે, તેઓની કોરોના પીડિત બાળકોની તુલનામાં હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના સાત ગણી વધારે છે. એક અભ્યાસના પરિણામોમાં આ માહિતી બહાર આવી છે. એન્ડોક્રાઇન સોસાયટીના ‘જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમ’ માં પ્રકાશિત થયેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ‘ડાયાબિટીસના દર્દીઓને કોવિડ -19 સંબંધિત સ્વાસ્થ્ય જટિલતાઓનું જોખમ વધારે છે, ખાસ કરીને જો તેમની ઉંમર 40 વર્ષથી વધુ હોય તો.’

અભ્યાસ મુજબ કોવિડ -19 ધરાવતા બાળકોમાં શ્વસનનાં ગંભીર લક્ષણો હોય છે અને ઘણીવાર લક્ષણો દેખાતા નથી તે ભાગ્યે જ જોવા મળે છે. તેનાથી વિપરીત, પુખ્ત વયના લોકોમાં શ્વાસની ઘણી સમસ્યાઓ છે, જેમાં ડાયાબિટીસના મોટી ઉંમરના દર્દીઓ મૃત્યુ પામે છે (Latest Study on Coronavirus). સાન ડિએગો ખાતે કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડોક્ટર કાર્લા ડેમેટ્રેકો બર્ગેરેને કહ્યું કે, ‘અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને બાળકો અને યુવાનો કરતા કોવિડ -19 નું જોખમ વધારે હોય છે. બાળકો અને યુવાનોમાં હળવા લક્ષણો છે અને ઝડપથી સ્વસ્થ થાય છે.’

767 લોકોના ડેટાનો અભ્યાસ

ડેમેટર્કો-બર્ગ્રેને જણાવ્યું કે, ‘આ તારણો ટાઇપ 1 ડાયાબિટીસ અને કોવિડ -19 (Diabetes and Coronavirus) ધરાવતા વ્યક્તિઓની વય-યોગ્ય સારવાર, રસીકરણ અને ક્લિનિકલ મેનેજમેન્ટની જરૂરિયાત સૂચવે છે. કોરોના વાયરસનું જોખમ ઘટાડવા માટે માસ્ક પહેરવા અને રસીકરણ સહિત જાહેર આરોગ્યની ભલામણોને દરેક દ્વારા અનુસરવાની જરૂર છે.’ સંશોધકોએ સમગ્ર અમેરિકામાં 56 ડાયાબિટીસ ક્લિનિક્સમાંથી કોવિડ -19 અને ટાઇપ -1 ડાયાબિટીસના 767 દર્દીઓનો ડેટા એકત્ર કર્યો અને અભ્યાસ કર્યો. તેમાંથી 54 ટકા 18 વર્ષથી ઓછી ઉંમરના, 32 ટકા 19-40 વર્ષ અને 14 ટકા 40 વર્ષથી વધુ વયના હતા.

હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 40 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં અન્ય ગ્રુપની તુલનામાં COVID-19 સમયે હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના સાત ગણી વધારે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી, જ્યારે 40 થી ઉપરના વય જૂથમાં ત્રણ અને 19-40 વય જૂથના બે મૃત્યુ પામ્યા છે. 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના ડાયાબિટીસ અને COVID-19 ધરાવતા લોકોમાં મૃત્યુ, ડાયાબિટીક કેટોએસિડોસિસ અથવા ગંભીર હાઈપોગ્લાયકેમિઆ જેવા પ્રતિકૂળ પરિણામો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: N95, સર્જિકલ કે કાપડનું માસ્ક? કયું માસ્ક કોરોનાથી બચવા છે શ્રેષ્ઠ? ચાલો જાણીએ રિસર્ચ

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું કેન્સરના દર્દીઓ માટે પણ કોરોના વેક્સિન છે સલામત અને અસરકારક, જાણો રિચર્ચના આંકડા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">