AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના જ્ઞાનશાળા: શું કેન્સરના દર્દીઓ માટે પણ કોરોના વેક્સિન છે સલામત અને અસરકારક, જાણો રિચર્ચના આંકડા

કોરોના જ્ઞાનશાળા: કોરોના વેક્સિનને લઈને લોકોના મનમાં ખુબ પ્રશ્નો ઉભા થતા હોય છે. એમાંથી એક પ્રશ્ન હતો કે શું કેન્સરના દર્દીઓ માટે આ વેક્સિન સલામત છે? જાણો શું કહે છે રિસર્ચ.

કોરોના જ્ઞાનશાળા: શું કેન્સરના દર્દીઓ માટે પણ કોરોના વેક્સિન છે સલામત અને અસરકારક, જાણો રિચર્ચના આંકડા
Corona Gyanshala: Is Corona Vaccine Safe and Effective for Cancer Patients
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 10:17 PM
Share

Corona Vaccine for Cancer Patients: કોરોનાની ત્રીજી તરંગની સંભાવનાઓ વચ્ચે વિશ્વભરના દેશોમાં રસીકરણ અભિયાન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. લોકોને આગળ આવવા અને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં અમુક સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવતા લોકોને રસી લેવામાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી હતી, પરંતુ હવે 18 વર્ષથી ઉપરના એટલે કે બાળકો સિવાય દરેક વર્ગ માટે રસીકરણ ચાલી રહ્યું છે.

એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિડ રસી કેન્સરના દર્દીઓ માટે પણ સંપૂર્ણપણે સલામત અને અસરકારક છે. આ દિશામાં કાર્યરત સંશોધકોએ મંગળવારે જણાવ્યું હતું કે કેન્સરગ્રસ્ત લોકોમાં કોવિડ -19 રસીની કોઈ પણ આડઅસર નથી. વેક્સિનની યોગ્ય, રક્ષણાત્મક રોગપ્રતિકારક પ્રતિક્રિયા જોવા મળી છે.

બૂસ્ટર ડોઝ સલામતીમાં વધારો કરી શકે છે

યુરોપિયન સોસાયટી ફોર મેડિકલ ઓન્કોલોજી (ESMO) ના વાર્ષિક પરિષદમાં વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ઓનલાઇન રજૂ કરાયેલા પુરાવા સૂચવે છે કે ત્રીજો ‘બૂસ્ટર’ ડોઝ કેન્સરના દર્દીઓમાં સલામતીના સ્તરમાં વધુ વધારો કરી શકે છે.

તાજેતરમાં જ આ પ્રકારનો અભ્યાસ બહાર આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકોમાં પણ રસીના બંને ડોઝના થોડા મહિના પછી એન્ટિબોડીઝ ઘટી રહી છે અથવા અદૃશ્ય થઈ રહી છે. દરમિયાન, એવી સંભાવના છે કે સામાન્ય લોકો માટે પણ બૂસ્ટર ડોઝની મંજૂરી આપવામાં આવે.

કેન્સરના દર્દીઓએ ટ્રાયલમાં ભાગ લીધો ન હતો

તમને જણાવી દઈએ કે કેન્સરના દર્દીઓને કોરોનાની રસીનો ઉપયોગ કરવા અને તેને અધિકૃત કરવા માટે હાથ ધરવામાં આવેલા ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. શું આ સંવેદનશીલ વસ્તી માટે રસીઓ સુરક્ષિત છે કે કેમ અને તેઓ કોવિડ -19 ના ગંભીર સ્વરૂપો સામે પૂરતી સુરક્ષા પૂરી પાડે છે કે કેમ? વિવિધ કેન્સર વિરોધી દવાઓ દ્વારા રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે? એવા પ્રશ્નો અત્યાર સુધી ઉકેલવામાં આવ્યા ન હતા.

5 વિવિધ સંશોધન અભ્યાસ

પ્રથમ અભ્યાસમાં કોવિડ -19 સામે રસીકરણ દ્વારા આપવામાં આવતી સુરક્ષા પર કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપીની સંભવિત અસરની શોધ કરવામાં આવી હતી. સંશોધકોએ મોર્ડનાની બે ડોઝની રસી પ્રત્યેના તેમના પ્રતિભાવોને માપવા માટે ચાર અલગ અલગ અભ્યાસ સમૂહમાં નેધરલેન્ડની અનેક હોસ્પિટલોમાંથી 791 દર્દીઓને નોંધાવ્યા હતા.

સંશોધનના આવ્યા સારા પરિણામો

સહભાગીઓમાં બિન-કેન્સરગ્રસ્ત વ્યક્તિઓ, ઇમ્યુનોથેરાપી સાથે સારવાર કરાયેલા કેન્સરના દર્દીઓ, કીમોથેરાપીથી સારવાર લેતા દર્દીઓ અને કેમો-ઇમ્યુનોથેરાપી સંયોજન સાથે સારવાર કરાયેલા દર્દીઓ સામેલ હતા. બીજા ડોઝના 28 દિવસ પછી, કીમોથેરાપી મેળવનારા 84 ટકા દર્દીઓ, કેમો-ઇમ્યુનોથેરાપી મેળવનારા 89 ટકા દર્દીઓ અને ઇમ્યુનોથેરાપી મેળવનારા 93 ટકા દર્દીઓમાં એન્ટિબોડીઝનું પૂરતું સ્તર જોવા મળ્યું.

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: બાળકોમાં ઈમ્યુનિટી કઈ રીતે વધારવી? તમારા ઘરનો જ આ ખોરાક છે ઈમ્યુનિટી બૂસ્ટર

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: ડેલ્ટા વેરિઅન્ટની અસર ઘટાડવા માટે બૂસ્ટર ડોઝની આવશ્યકતા કેટલી?

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">