AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Water : અભિનેત્રી સારા અલી ખાનની સૌંદર્યતાનું રહસ્ય છે નારિયેળ પાણી

નારિયેળ (Coconut ) પાણીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે તે એક શક્તિશાળી પદાર્થ છે. આને પીવાથી કિડનીની પથરી ધીમે-ધીમે બહાર આવવા લાગે છે, તે પણ કુદરતી રીતે.

Coconut Water : અભિનેત્રી સારા અલી ખાનની સૌંદર્યતાનું રહસ્ય છે નારિયેળ પાણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 8:44 AM
Share

અભિનેત્રી સારા અલી ખાન(Sara Ali Khan ) તેના દિવસની શરૂઆત નારિયેળ(Coconut ) પાણીથી કરે છે. લોકો ઘણીવાર નારિયેળ પાણી પીવાના સ્વાસ્થ્ય(Health ) લાભ વિશે ચર્ચા કરે છે. નારિયેળ પાણી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. એટલા માટે સારા અલી ખાન પણ ભૂલ્યા વગર નારિયેળ પાણી પીવે છે અને તેને પીવાની સલાહ પણ આપે છે.

સારા અલી ખાન પોતાની ફિટનેસનું ધ્યાન રાખવા માટે નારિયેળ પાણીનો સહારો લે છે. પરંતુ, આ હેલ્ધી ડ્રિંક તમારા માટે ઘણી રીતે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, નાળિયેર પાણી કુદરતી હોવાને કારણે તમામ ઉંમરના અને લગભગ તમામ પ્રકારના રોગોના દર્દીઓ દ્વારા વપરાશ માટે સલામત માનવામાં આવે છે. તેથી જ, આહારશાસ્ત્રીઓ અને ન્યુટ્રિશનિસ્ટ્સ વારંવાર તેને પીવાની સલાહ આપતા હોય છે.

નાળિયેર પાણી પીવાના સ્વાસ્થ્ય લાભો:

હાઇડ્રેશન

નારિયેળ પાણી તમારા શરીરને તરત જ હાઇડ્રેટ કરે છે અને એનર્જી આપે છે. નારિયેળ પાણી એ ઓછી કેલરીવાળું પીણું છે જે મિનરલ્સથી ભરપૂર છે. ડીહાઈડ્રેશનથી બચવા ઉનાળામાં નારિયેળ પાણીનું સેવન વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે.

હૃદય સ્વસ્થ

નારિયેળ પાણી પીવાથી હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે. સાથે જ તેમાં પોટેશિયમની વધુ માત્રા બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરે છે.

કિડની સ્ટોન

નારિયેળ પાણીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે તે એક હેલ્ધી ડ્રિન્ક છે. આને પીવાથી કિડનીની પથરી ધીમે-ધીમે બહાર આવવા લાગે છે, તે પણ કુદરતી રીતે.

તંદુરસ્ત પીણું

નારિયેળનું પાણી કુદરતી હોવાથી બેક્ટેરિયા મુક્ત છે. એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ પાણી સારું માનવામાં આવે છે. આની સાથે તે પ્રેગ્નેન્સી દરમિયાન એસિડિટી, હાર્ટબર્ન અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો :

Health Care : જો પેઢા કાળા થઇ ગયા હોય તો આ કારણો હોય શકે છે જવાબદાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">