AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Water : અભિનેત્રી સારા અલી ખાનની સૌંદર્યતાનું રહસ્ય છે નારિયેળ પાણી

નારિયેળ (Coconut ) પાણીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે તે એક શક્તિશાળી પદાર્થ છે. આને પીવાથી કિડનીની પથરી ધીમે-ધીમે બહાર આવવા લાગે છે, તે પણ કુદરતી રીતે.

Coconut Water : અભિનેત્રી સારા અલી ખાનની સૌંદર્યતાનું રહસ્ય છે નારિયેળ પાણી
Sara Ali Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 8:44 AM
Share

અભિનેત્રી સારા અલી ખાન(Sara Ali Khan ) તેના દિવસની શરૂઆત નારિયેળ(Coconut ) પાણીથી કરે છે. લોકો ઘણીવાર નારિયેળ પાણી પીવાના સ્વાસ્થ્ય(Health ) લાભ વિશે ચર્ચા કરે છે. નારિયેળ પાણી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. એટલા માટે સારા અલી ખાન પણ ભૂલ્યા વગર નારિયેળ પાણી પીવે છે અને તેને પીવાની સલાહ પણ આપે છે.

સારા અલી ખાન પોતાની ફિટનેસનું ધ્યાન રાખવા માટે નારિયેળ પાણીનો સહારો લે છે. પરંતુ, આ હેલ્ધી ડ્રિંક તમારા માટે ઘણી રીતે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, નાળિયેર પાણી કુદરતી હોવાને કારણે તમામ ઉંમરના અને લગભગ તમામ પ્રકારના રોગોના દર્દીઓ દ્વારા વપરાશ માટે સલામત માનવામાં આવે છે. તેથી જ, આહારશાસ્ત્રીઓ અને ન્યુટ્રિશનિસ્ટ્સ વારંવાર તેને પીવાની સલાહ આપતા હોય છે.

નાળિયેર પાણી પીવાના સ્વાસ્થ્ય લાભો:

હાઇડ્રેશન

નારિયેળ પાણી તમારા શરીરને તરત જ હાઇડ્રેટ કરે છે અને એનર્જી આપે છે. નારિયેળ પાણી એ ઓછી કેલરીવાળું પીણું છે જે મિનરલ્સથી ભરપૂર છે. ડીહાઈડ્રેશનથી બચવા ઉનાળામાં નારિયેળ પાણીનું સેવન વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે.

હૃદય સ્વસ્થ

નારિયેળ પાણી પીવાથી હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે. સાથે જ તેમાં પોટેશિયમની વધુ માત્રા બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરે છે.

કિડની સ્ટોન

નારિયેળ પાણીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે તે એક હેલ્ધી ડ્રિન્ક છે. આને પીવાથી કિડનીની પથરી ધીમે-ધીમે બહાર આવવા લાગે છે, તે પણ કુદરતી રીતે.

તંદુરસ્ત પીણું

નારિયેળનું પાણી કુદરતી હોવાથી બેક્ટેરિયા મુક્ત છે. એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ પાણી સારું માનવામાં આવે છે. આની સાથે તે પ્રેગ્નેન્સી દરમિયાન એસિડિટી, હાર્ટબર્ન અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો :

Health Care : જો પેઢા કાળા થઇ ગયા હોય તો આ કારણો હોય શકે છે જવાબદાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">