અનિંદ્રા દૂર કરવા આડેધડ ઊંઘની ગોળીઓ લેતા પહેલા સાવધાન!

ઘણા વડીલોને રાત્રે ઊંઘ ન આવતી હોવાથી જાણે-અજાણે ઊંઘની ગોળી (sleeping pills) લેવાની આદત પડી જતી હોય છે. આવા વડીલોએ ચેતી જવાની જરૂર છે.

અનિંદ્રા દૂર કરવા આડેધડ ઊંઘની ગોળીઓ લેતા પહેલા સાવધાન!
ફાઈલ ફોટો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 30, 2021 | 9:04 PM

ઘણા વડીલોને રાત્રે ઊંઘ ન આવતી હોવાથી જાણે-અજાણે ઊંઘની ગોળી (sleeping pills) લેવાની આદત પડી જતી હોય છે. આવા વડીલોએ ચેતી જવાની જરૂર છે. અમેરિકાના બ્રિધમ એન્ડ વિમેન્સ હોસ્પિટલના દાવા મુજબ લાંબા ગાળા સુધી ઊંઘની ગોળીઓ લેવાથી તે બિન અસરકારક નીવડી શકે છે.

સંશોધન મુજબ ઊંઘની ગોળીઓ વધુમાં વધુ છ મહિના સુધી જ અનિદ્રાની સમસ્યા દૂર કરવા માટે કારગર સાબિત થાય છે પછી તેની આદત પડી શકે છે. શક્ય હોય તો લાંબા સમય સુધી આ પ્રકારની દવાઓ લેવાથી બચવું. અમુક લોકો ડોક્ટરની સલાહ વગર પણ લાંબા સમય સુધી આવી દવાઓ લેતાં રહે છે, જે જોખમી સાબિત થઈ શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સરેરાશ 50 વર્ષની 685 મહિલાઓ પર પ્રયોગ

ઊંઘની ગોળી અનિંદ્રાથી પીડિત દર્દીઓ પર કેટલી અસરકારક છે તે જાણવા માટે આ સમસ્યાથી પીડાતી 685 મહિલાઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સરેરાશ 50 વર્ષની મહિલાઓ સામેલ હતી. આ મહિલાઓને ઊંઘ તૂટી જવી અને મોડી રાતે આંખ ખુલી જવાની સમસ્યા હતી. એમાંથી 238 મહિલાઓને ઊંઘની ગોળી અપાઈ અને 447ને દવા ન આપવામાં આવી.

દર ત્રણમાંથી એક દિવસે અનિંદ્રાની ફરિયાદ

રિસર્ચ શરૂઆતમાં દર ત્રણમાંથી એક રાતે મહિલાને અનિંદ્રાની ફરિયાદ જણાઈ. ત્રણમાંથી બે રાતે અચાનક ઊંઘ તૂટી જવાની સમસ્યા થઈ. રિસર્ચર ડોક્ટર ડેનિયલ સોલોમનના મત અનુસાર અનિદ્રાની સમસ્યા સામાન્ય થતી જોવા મળે છે. છેલ્લા બે દાયકામાં ઊંઘની ગોળીઓ લેતા લોકોની સંખ્યામાં મોટાપાયે વધારો થયો છે. દવાની અસર 2થી 12 સપ્તાહ સુધી રહે છે પછી એ બિનઅસરકારક સાબિત થાય છે

.

ઊંઘ ન આવવાના કારણો સમજવાની જરૂર

રિસર્ચ જણાવે છે કે ઊંઘ ન આવે તો તેના માટેનું કારણ શોધવા જોઈએ. મોટેભાગે તેનું કારણ બીમારી હોય છે. તેમાં ડાયાબિટીસ, હાઈબ્લડપ્રેશર, દુ:ખાવો અને ડિપ્રેશન જેવા રોગ સામે છે. આડેધડ ગોળીઓ લેવાને બદલે અનિદ્રાનું કારણ જાણી તેની સારવાર કરાવવી જોઈએ.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">