તમે સરગવાના (Drumstick) ફાયદા વિશે ઘણું સાંભળ્યું હશે. તે બધી વાનગીઓમાં ઘણી વખત વપરાયેલો હશે પરંતુ શું તમે જાણો છો કે, સરગવાના પાંદડા (Drumstick Leaves) પણ પોષક તત્વોનો ખજાનો છે. કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ જેવા તત્વો ઉપરાંત, તેના પાંદડામાં 40થી વધુ પ્રકારના એન્ટીઑકિસડન્ટો મળી આવે છે. તમે તેને સરગવા (Drumstick Vegetable)ના લીલા પાંદડાનું શાક બનાવીને ખાઈ શકો છો. આ સિવાય પાંદડાને સૂકવીને તેનો પાવડર બનાવીને ખાઈ શકાય છે. આયુર્વેદમાં (Ayurveda) આ પાનનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં થાય છે.
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેઓએ સરગવાના પાન જરૂર ખાવા જોઈએ. તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ સરળતાથી વધારે છે. આના કારણે રોગપ્રતિકારક કોષોની કાર્યક્ષમતા ખૂબ સારી થાય છે અને તમારું શરીર તમામ વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત થાય છે.
એવું કહેવાય છે કે જો તમને કિડની સ્ટોનની સમસ્યા હોય તો તમારે સરગવાના પાન જરૂર ખાવા જોઈએ. તેઓ પથરીને તોડવામાં અને પેશાબ દ્વારા તેને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ સાથે તે તમને કિડનીની પથરીની સમસ્યાથી પણ બચાવે છે.
સરગવાના પાંદડામાં સારી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આવી સ્થિતિમાં તે હૃદયના દર્દીઓ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલ વધે છે. તેની સાથે આ પાંદડા તમારા બીપીને પણ કંટ્રોલ કરે છે. આ રીતે તમારું હૃદય સ્વસ્થ રહે છે.
જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમના માટે પણ સરગવાના પાન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના પાંદડામાં એન્ટિ ડાયાબિટીક અને એન્ટીિઓક્સિડેન્ટ ગુણ હોય છે. આવી સ્થિતિમાં તેઓ શરીરમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.
આયુર્વેદમાં પેટની સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કારણ કે મોટાભાગના રોગોનું મૂળ પેટ છે. જો તમારું પેટ વારંવાર અસ્વસ્થ રહે છે, તો સરગવાના પાંદડા મદદરૂપ થઈ શકે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે. ઉપરાંત આંતરડામાં જમા થયેલા કોઈપણ હાનિકારક પદાર્થો સરળતાથી દૂર થઈ જાય છે.
આ પણ વાંચો: Health Benifits Drumsticks : સરગવો સ્વાસ્થય માટે ફાયદાકારક, જાણો સરગવો ખાવાના ફાયદાઓ
આ પણ વાંચો: Drumstick: સરગવાના પાનથી મળે છે ડાયાબિટીસથી છુટકારો, અનેક બીમારીમાં છે રામબાણ