AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga : યોગ કરતી વખતે ક્યારેય પણ ન કરશો આ 4 ભૂલો, મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમે

યોગાભ્યાસ દરમિયાન, ઘણી વખત આપણે ખૂબ જ ભૂલો કરીએ છીએ, જેનો આપણને ખ્યાલ પણ નથી હોતો. પરંતુ આના કારણે આપણા શરીરને ફાયદો થવાને બદલે યોગને નુકસાન થઈ શકે છે. તેના વિશે જાણો.

Yoga : યોગ કરતી વખતે ક્યારેય પણ ન કરશો આ 4 ભૂલો, મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમે
Before Practicing Yoga you should know about its Rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 11:25 PM
Share

યોગાસન (Yoga Practice) એ શરીરને સ્વસ્થ રાખવાની એક સરસ રીત છે. યોગા તમને શારીરિક રીતે ફિટ તો બનાવે જ છે પણ સાથે સાથે તમને માનસિક રીતે તણાવમુક્ત પણ બનાવે છે. નિયમિત યોગાસન કરવાથી સ્નાયુઓ મજબૂત રહે છે. શરીરની ચરબી ઓછી થાય છે, આ સિવાય જીવનશૈલી સંબંધિત રોગો જેમ કે હાઈ બીપી, બ્લડ સુગર લેવલ વગેરે અટકાવવામાં મદદ મળે છે.

મોટાભાગના લોકો યોગના ફાયદા જાણે છે અને તેથી તેનો અભ્યાસ કરવા માટે દરરોજ સમય કાઢે છે. પરંતુ ઘણી વખત યોગ દરમિયાન તેઓ કેટલીક એવી ભૂલો કરે છે, જેનો તેમને ખ્યાલ પણ હોતો નથી. આ ભૂલો તેમની મુશ્કેલીમાં પણ વધારો કરી શકે છે.

યોગાભ્યાસ દરમિયાન આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ

1- શરીરને દબાણ ન કરો

જો તમે નવો નવો યોગાભ્યાસ શરૂ કર્યો છે, તો પછી ક્યારેય તમારા શરીર પર દબાણ ના કરો. એટલે કે યોગ કરવા માટે તરત જ વધુ જોર ના આપો. કારણ કે શરૂઆતમાં સ્નાયુઓમાં જડતા હોય છે. પરંતુ ઘણા લોકો નવા ઉત્સાહમાં ઘણી મહેનત કરે છે. બીજા દિવસે, તેને સ્નાયુઓમાં દુખાવો વગેરે જેવી બધી સમસ્યાઓ થાય છે. તેથી, શરૂઆતના દિવસોમાં, શરીરથી શક્ય હોય તેટલો અભ્યાસ કરો. ધીરે ધીરે, શરીરમાં સુગમતા આવવા માંડે, એમ યોગનો અભ્યાસ પણ સરળ થઈ જશે.

2- એકલા યોગ ન કરો

પ્રશિક્ષક પાસેથી શીખ્યા પછી જ યોગ કરવા જોઈએ. પુસ્તકો વાંચીને કે વિડીયો જોઈને આવું ન કરો નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ઘણી વખત અમુક રોગને કારણે લોકોને અમુક યોગ મુદ્રાઓ કરવાની મનાઈ કરવામાં આવે છે. જો તમે આ બાબતથી વાકેફ નથી, તો તે યોગ મુદ્રાથી તમારી સમસ્યા ઘટાડવાને બદલે તમારી સમસ્યા વધી શકે છે. આ સિવાય જો યોગ ખોટી રીતે કરવામાં આવે તો સ્નાયુઓમાં તાણ આવી શકે છે અથવા અગવડતા અનુભવાય છે. તેથી તાલીમ લીધા પછી જ તેનો અભ્યાસ કરો.

3- વધારે પાણી ન પીવો

યોગાસન દરમિયાન વધારે પાણી ન પીવું કારણ કે જ્યારે તમે યોગ કરો છો ત્યારે તમારા શરીરની ગરમીનું સ્તર ધીમે ધીમે વધે છે. પાણી પીવાથી ગરમી અચાનક ઝડપથી ઘટી જાય છે અને શરદી, ઉધરસની બીમારી, એલર્જી વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જરૂર પડે ત્યારે એક કે બે ઘૂંટ પાણીથી વધુ ન પીવો.

4- તરત જ સ્નાન ન કરો

યોગાસન કર્યા પછી અથવા કોઈપણ પ્રકારની કસરત કર્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. થોડો સમય બેઠા પછી શરીરને ઠંડુ થવા દો, પછી સ્નાન કરો.

આ પણ વાંચો: જોરદાર છે આ ચોકલેટ મેડિટેશન, સ્ટ્રેસ અને ડિપ્રેશનને ભગાડો આ મજેદાર રીતથી

આ પણ વાંચો: શું ડેન્ગ્યુની સારવારમાં બકરીનું દૂધ ‘દવા’ તરીકે કામ કરે છે ? જાણો નિષ્ણાંતો શું કહે છે !

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">