AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana Benefits And Side Effects: હૃદયને મજબૂત કરે છે કેળા, જાણો કેળા ખાવાના ફાયદા અને નુકસાન

કેળામાં વિટામિન અને પોષક તત્વો હોય છે. કેળામાં જોવા મળતા કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, C અને B-6, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ, પોટેશિયમ શરીરને સંપૂર્ણ પોષણ પ્રદાન કરે છે.

Banana Benefits And Side Effects: હૃદયને મજબૂત કરે છે કેળા, જાણો કેળા ખાવાના ફાયદા અને નુકસાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 5:34 PM
Share

Ahmedabad: લોકોને સ્વસ્થ રહેવા માટે ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ફળો શરીરને પોષણ આપે છે. ફળોમાં વિટામિન, પ્રોટીન, મિનરલ્સ સહિતના પોષણ ભરપૂર પ્રમાણમાં હોય છે. એવું કહેવાય છે કે રોજ સવારે ખાલી પેટ એક સફરજન ખાવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે, પરંતુ સફરજન સિવાય પણ ઘણા એવા ફળ છે જે ખૂબ જ પૌષ્ટિક હોય છે.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips: રાજીવ દીક્ષિતે કયા લોકો માટે જણાવ્યું ગાયની જગ્યાએ ભેસનું ઘી ખાવુ ફાયદાકારક, વાંચો શું છે ગાય અને ભેંસના ઘી વચ્ચેનો ફરક, જુઓ Video

જો તમે સ્વસ્થ રહેવા માટે ફાયદાકારક આહાર લેવા માંગતા હોવ તો કેળા પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતો દરરોજ એક કેળું ખાવાની ભલામણ કરે છે. કેળામાં વિટામિન અને પોષક તત્વો હોય છે. કેળામાં જોવા મળતા કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, C અને B-6, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ, પોટેશિયમ શરીરને સંપૂર્ણ પોષણ પ્રદાન કરે છે.

આ ઉપરાંત સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જેવી કુદરતી શર્કરા પણ જોવા મળે છે. કેળાને સુપરફૂડ કહી શકાય. પરંતુ કેળાના સેવનના કેટલાક ગેરફાયદા પણ છે. આજે અમે તમને કેળા ખાવાના ફાયદા અને નુકસાન વિશે જણાવીશું.

કેળા ખાવાના ફાયદા

  • કેળામાં પોટેશિયમ હોય છે, વર્કઆઉટ પછી નિયમિતપણે કેળા ખાવાથી ફાયદો થઈ શકે છે.
  • કેળામાં વિટામિન B6 જોવા મળે છે, જે મગજની શક્તિ વધારવામાં ફાયદાકારક છે અને તેનું સેવન યાદશક્તિને તેજ બનાવે છે.
  • કેળા વજનને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.
  • કેળા કબજિયાત અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે.
  • કેળામાં એમિનો એસિડની માત્રા વધુ હોવાને કારણે હોર્મોન્સનું સ્તર યોગ્ય રહે છે અને મૂડ સારો રહે છે. તેનાથી તણાવ ઓછો થાય છે.
  • કેળા હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે.

કેળા ખાવાના ગેરફાયદા

  • કેળામાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે, જેનાથી વજન વધે છે. એટલા માટે જે લોકોનું વજન વધારે છે તેઓએ કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
  • કેળામાં પ્રોટીન ઓછું હોય છે, જેના કારણે તેના સેવનથી માંસપેશીઓ નબળી પડી શકે છે.
  • કેળામાં જોવા મળતા ફ્રુક્ટોઝ પેટમાં ગેસની સમસ્યા પેદા કરી શકે છે.
  • જો તમારી કિડની કામ કરતી નથી તો તમારે કેળાનું સેવન ઓછું કરવું જોઈએ. કેળામાં જોવા મળતું પોટેશિયમ કિડની પર દબાણ લાવે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">