વરિયાળીનું શરબત : ઉનાળાની ગરમીને ચપટીમાં ભગાડો દૂર, જાણો સિમ્પલ રેસિપી

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ(Nutritionist ) રૂજુતા દિવેકરે તાજેતરમાં આવા જ એક શરબતની રેસીપી શેર કરી છે, જે ઉનાળાની ઋતુમાં લોકોને થતી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે.

વરિયાળીનું શરબત : ઉનાળાની ગરમીને ચપટીમાં ભગાડો દૂર, જાણો સિમ્પલ રેસિપી
Healthy Drink in Summer (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 2:21 PM

આકરા તડકા અને આકરા ઉનાળાની (Summer ) વચ્ચે જ્યારે એક ગ્લાસ ઠંડું શરબત મળે છે ત્યારે લોકોને ગરમીથી (Heat ) તો રાહત મળે જ છે સાથે સાથે મન અને શરીરને પણ સ્ફૂર્તિ (Energy ) મળે છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે તાજેતરમાં આવા જ એક શરબતની રેસીપી શેર કરી છે, જે ઉનાળાની ઋતુમાં લોકોને થતી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે. રુજુતા દિવેકરે એક વીડિયો પોસ્ટ કરતાં વરિયાળીમાંથી બનેલા આ ખાસ પીણા વિશે વાત કરી. વરિયાળીમાંથી બનેલા આ પીણાનું નામ વરિયાળી શરબત છે.

આ પીણું તમને ઉનાળામાં ઠંડુ રાખશે, વાંચો રેસિપી

રુજુતા દિવેકરે તેની સિરીઝ રેસિપીઝ ઓફ ઈન્ડિયામાં વરિયાળીમાંથી બનેલા આ શરબત વિશે ચર્ચા કરી હતી. તેમના મતે ઉનાળામાં આ શરબતનું સેવન કરવું દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં વાંચો વરિયાળીમાંથી બનાવેલ આ શરબત ઘરે તૈયાર કરવાની સરળ રીત.

વરિયાળીનું શરબત બનાવવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે

1 લિટર ઠંડુ પાણી શેકેલા જીરાનો પાવડર 2 ચમચી વરિયાળી અથવા વરિયાળીના બીજ 1 ટીસ્પૂન ફુદીનાની ચટણી સ્વાદ મુજબ મીઠું એક ચપટી કાળા મરી પાવડર હીંગ લીંબુ સરબત પ્રમાણસર ખાંડ

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

વરિયાળી શરબત રેસીપી

  • વરિયાળીને આખી રાત પલાળી રાખો અને પછી વરિયાળીને ગાળી લો.
  • હવે, વરિયાળીને બાકીની બધી વસ્તુઓની સાથે  પીસી લો.
  • પછી, આ મિશ્રણને ઠંડા પાણીમાં અને  ખાંડ  સાથે મિક્સ કરો.
  • હવે આ શરબતને ગાળીને સર્વ કરો.

વરિયાળીનું શરબત પીવાના ફાયદા

ઉનાળામાં થતી એસિડિટી, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી પાચન તંત્રને લગતી સમસ્યાઓથી રાહત મળે છે. આ શરબત મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે યોનિમાર્ગની શુષ્કતા અને  ઊનવા  જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે.

જુઓ વિડીયો :

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">