વરિયાળીનું શરબત : ઉનાળાની ગરમીને ચપટીમાં ભગાડો દૂર, જાણો સિમ્પલ રેસિપી
સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ(Nutritionist ) રૂજુતા દિવેકરે તાજેતરમાં આવા જ એક શરબતની રેસીપી શેર કરી છે, જે ઉનાળાની ઋતુમાં લોકોને થતી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે.
આકરા તડકા અને આકરા ઉનાળાની (Summer ) વચ્ચે જ્યારે એક ગ્લાસ ઠંડું શરબત મળે છે ત્યારે લોકોને ગરમીથી (Heat ) તો રાહત મળે જ છે સાથે સાથે મન અને શરીરને પણ સ્ફૂર્તિ (Energy ) મળે છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે તાજેતરમાં આવા જ એક શરબતની રેસીપી શેર કરી છે, જે ઉનાળાની ઋતુમાં લોકોને થતી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે. રુજુતા દિવેકરે એક વીડિયો પોસ્ટ કરતાં વરિયાળીમાંથી બનેલા આ ખાસ પીણા વિશે વાત કરી. વરિયાળીમાંથી બનેલા આ પીણાનું નામ વરિયાળી શરબત છે.
આ પીણું તમને ઉનાળામાં ઠંડુ રાખશે, વાંચો રેસિપી
રુજુતા દિવેકરે તેની સિરીઝ રેસિપીઝ ઓફ ઈન્ડિયામાં વરિયાળીમાંથી બનેલા આ શરબત વિશે ચર્ચા કરી હતી. તેમના મતે ઉનાળામાં આ શરબતનું સેવન કરવું દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં વાંચો વરિયાળીમાંથી બનાવેલ આ શરબત ઘરે તૈયાર કરવાની સરળ રીત.
વરિયાળીનું શરબત બનાવવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે
1 લિટર ઠંડુ પાણી શેકેલા જીરાનો પાવડર 2 ચમચી વરિયાળી અથવા વરિયાળીના બીજ 1 ટીસ્પૂન ફુદીનાની ચટણી સ્વાદ મુજબ મીઠું એક ચપટી કાળા મરી પાવડર હીંગ લીંબુ સરબત પ્રમાણસર ખાંડ
વરિયાળી શરબત રેસીપી
- વરિયાળીને આખી રાત પલાળી રાખો અને પછી વરિયાળીને ગાળી લો.
- હવે, વરિયાળીને બાકીની બધી વસ્તુઓની સાથે પીસી લો.
- પછી, આ મિશ્રણને ઠંડા પાણીમાં અને ખાંડ સાથે મિક્સ કરો.
- હવે આ શરબતને ગાળીને સર્વ કરો.
વરિયાળીનું શરબત પીવાના ફાયદા
ઉનાળામાં થતી એસિડિટી, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી પાચન તંત્રને લગતી સમસ્યાઓથી રાહત મળે છે. આ શરબત મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે યોનિમાર્ગની શુષ્કતા અને ઊનવા જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે.
જુઓ વિડીયો :
View this post on Instagram
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)