AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla Juice Benefits: રોજ સવારે ખાલી પેટ આમળાનો જ્યુસ પીવો, તમને મળશે આ અદ્ભુત ફાયદા

આમળા (Amla Juice Benefits)માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. સવારે ખાલી પેટે આમળાના રસનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Amla Juice Benefits: રોજ સવારે ખાલી પેટ આમળાનો જ્યુસ પીવો, તમને મળશે આ અદ્ભુત ફાયદા
5 Amazing Health Benefits of Amla Juice
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 12:30 PM
Share

Amla Juice Benefits: આમળાને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તે મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર છે. આ પોષક તત્વો આપણને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. આમળાના રસમાં વિટામિન સી (Vitamin C)ભરપૂર માત્રામાં હોય છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે શરદી-ખાંસી કરતા બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેનાથી આંખોની રોશની સુધરે છે. તેનાથી વાળ મજબૂત બને છે. તે ત્વચાને સ્વસ્થ (Healthy)રાખે છે.  ખાલી પેટ આમળાના રસ (Amla Juice )નું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ ખાલી પેટે આમળાનો રસ પીવાના ફાયદા.

ખાલી પેટ આમળાનો રસ પીવાના 5 સ્વાસ્થ્ય લાભ

વજન ઘટાડવામાં મદદ કરે છે

ખાલી પેટ આમળાનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળશે. આમળાના રસમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેઓ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ચયાપચયમાં સુધારો કરે છે. ચરબી બર્ન કરવાની સાથે, તેઓ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. આમળાના રસમાં ફેટી એસિડ, વિટામિન અને એવા તત્વો હોય છે જે એનર્જી વધારે છે.

શરીરમાંથી ઝેર દૂર કરે છે

ખાલી પેટે આમળાનો રસ પીવાથી શરીરની સિસ્ટમ ડિટોક્સિફાય થાય છે. તે શરીરમાંથી હાનિકારક ઝેર દૂર કરે છે. તેનું સેવન કર્યા પછી, કિડનીની પથરી દૂર કરવામાં સરળતા રહે છે.આમળાનો રસ પેશાબના ચેપને ઘટાડે છે.

આંખોની રોશની માટે ફાયદાકારક

આમળા આંખોની રોશની વધારવામાં ખૂબ જ સારું છે. આમળામાં કેરોટીન હોય છે. તેનાથી આંખોની રોશની સુધરે છે. રોજ આમળાના રસનું સેવન કરવાથી તમારી આંખોની રોશની સારી થશે. આનું સેવન કરવાથી આંખને લગતી સમસ્યાઓ જેવી કે મોતિયા, બળતરા અને આંખોની ભેજથી રાહત મળશે.

એનર્જી વધારે છે

સવારે ખાલી પેટે સૌથી પહેલા આમળાનો રસ પીવાથી આખા દિવસ માટે પુષ્કળ પોષણ અને શક્તિ મળે છે. આમળાનો રસ સવારે એનર્જી બૂસ્ટર અથવા એનર્જી ડ્રિંકનું કામ કરે છે. આ આપણને દિવસભર ફિટ અને એનર્જેટિક રાખે છે. ,

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વિટામિન સી એક વિટામિન છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને મજબૂત કરે છે. સંશોધન અનુસાર, એવું કહેવાય છે કે આમળામાં વિટામિન Cની માત્રા સંતરા કરતાં આઠ ગણી વધારે છે. તે બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શનની સારવારમાં તેમજ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">