વધારે પડતા સેનિટાઈઝરનો ઉપયોગ ત્વચા માટે છે હાનિકારક, વધુ ઉપયોગ કરતાં હોય તો ચેતજો

એ વાત તો તમે પણ સ્વીકારશો કે છેલ્લા સાત મહિના કરતા વધારે સમય થઈ ગયો છે અને કોરોનાની મહામારી સામે લડવા અને ઈન્ફેક્શનથી બચવા આપણે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. ખાસ કરીને માસ્કની સાથે સાથે હાલના સમયમાં લોકો હેન્ડ સેનિટાઈઝરનો સૌથી મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. સેનિટાઈઝર જાણે આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું […]

વધારે પડતા સેનિટાઈઝરનો ઉપયોગ ત્વચા માટે છે હાનિકારક, વધુ ઉપયોગ કરતાં હોય તો ચેતજો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:22 PM

એ વાત તો તમે પણ સ્વીકારશો કે છેલ્લા સાત મહિના કરતા વધારે સમય થઈ ગયો છે અને કોરોનાની મહામારી સામે લડવા અને ઈન્ફેક્શનથી બચવા આપણે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. ખાસ કરીને માસ્કની સાથે સાથે હાલના સમયમાં લોકો હેન્ડ સેનિટાઈઝરનો સૌથી મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. સેનિટાઈઝર જાણે આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે પણ તેનો વધારે પડતો ઉપયોગ સ્કીન માટે સમસ્યા ઉભી કરી શકે છે.

Vadhare padta sanitizer no upyog tavcha mate che hanikarak vadhu upyog karta hoy to chetjo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સેનિટાઈઝરના વધુ પડતા ઉપયોગથી આ સમસ્યાઓ ઉભી થઈ શકે:

1). જ્યાં સાબુ અને પાણી વડે હાથ ધોવાની સગવડ ન હોય ત્યાં સેનિટાઈઝરના ઉપયોગ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી. કોરોના વાઈરસ સામે લડવા માટે આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝર કારગર સાબિત થાય છે. તેના કારણે પણ લોકો તેનો ઉપયોગ વધારે કરતા થયા છે પણ તેનાથી ત્વચામાં બળતરા અને લાલાશ થઈ શકે છે.

2). સ્વાસ્થ્ય મંત્રાલયે પણ સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ ટાળવા લોકોને જણાવ્યું છે. વધારે ઉપયોગ કરનારના હાથમાં બળતરા અને લાલાશ ઉપરાંત ક્રેક પડવા જેવી અને તેમાંથી લોહી નીકળવા જેવી સમસ્યા પણ ઉભી થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Vadhare padta sanitizer no upyog tavcha mate che hanikarak vadhu upyog karta hoy to chetjo

3). તેના વધુ પડતા ઉપયોગથી હાથના સારા બેક્ટેરિયા પણ નાશ પામે છે અને ત્વચાનું રક્ષણ કરતા આવા બેક્ટેરિયા નાશ થવાથી છેવટે નુકસાન આપણને જ થાય છે.

4). Sanitizer Gel અને લિકવિડ બંને રીતે મળે છે. લિકવિડ સેનીટાઈઝર 15 સેકન્ડમાં વાઈરસનો નાશ કરે છે, જ્યારે Gel સેનિટાઈઝર 30 સેકન્ડમાં વાઈરસનો નાશ કરે છે.

5). સેનિટાઈઝરનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરો. કોઈ વ્યક્તિની ત્વચા વધારે સંવેદનશીલ હોય તો તેને વધારે નુક્શાનકર્તા થઈ શકે છે. તેનાથી ત્વચાના નેચરલ ઓઈલ નાશ પામે છે અને ત્વચા ખરબચડી થઈ જાય છે.

6). તેનો ઉપયોગ કર્યા પછી હાથમાં સારી કંપનીની ક્રીમ કે લોશન લગાવવાનું રાખો. જેથી તે ત્વચાની નરમાશ જાળવી રાખશે.

7). જો ઘરમાં જ હોવ તો સેનિટાઈઝરના ઉપયોગ કરવાને બદલે સાબુ અને પાણીનો જ ઉપયોગ કરો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">