AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Tips: શું તમને પણ ઉંધ નથી આવતી? અનિંદ્રાની સમસ્યા હોય તો ખાલી આટલું ન કરતા

Sleeping Tips: ઉંમર વધવાની સાથે-સાથે ઊંઘમાં પણ બદલાવ આવે છે. ઘણા લોકોને રાતના સમયમાં ઊંઘ ઓછી આવે છે અને બપોરે બહુ જ ઊંઘ આવે છે.

Sleeping Tips: શું તમને પણ ઉંધ નથી આવતી? અનિંદ્રાની સમસ્યા હોય તો ખાલી આટલું ન કરતા
અનિંદ્રાની સમસ્યા
Charmi Katira
| Edited By: | Updated on: Mar 30, 2021 | 11:56 AM
Share

Sleeping Tips: ઉંમર વધવાની સાથે-સાથે ઊંઘમાં પણ બદલાવ આવે છે. ઘણા લોકોને રાતના સમયમાં ઊંઘ ઓછી આવે છે અને બપોરે બહુ જ ઊંઘ આવે છે. 65 વર્ષથી વધુ ઉંમરના મહિલાઓ અને પુરુષોનો અનિંદ્રાની સમસ્યાનો વધુ સામનો કરવો પડતો હોય છે. વૃદ્ધાવસ્થામાં નિંદ્રામાં થનારી મુશ્કેલી પાછળ ઘણા કારણો છે. આવો જાણીએ એ વિષે.

દવાઓને કારણે : હાઈ બ્લડ પ્રેશર, પાર્કિન્સન રોગ, હ્રદયરોગ અને થાઇરોઇડની સમસ્યા સામાન્ય છે. આ તમામ રોગો ઊંઘને ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. જો તમે આ રોગો માટે કોઈ દવા લો છો, તો પછી તે તમારી ઊંઘ પર પણ અસર કરી શકે છે. જો તમને દવાઓને લીધે નિંદ્રા નથી આવતી, તો તમારા ડોક્ટરને તેના વિશે કહો.

મેનોપોઝ : આધેડ વયની સ્ત્રીઓને મેનોપોઝમાંથી પસાર થવું પડે છે. આ સમય દરમિયાન શરીર ધીમે ધીમે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન્સ બનાવવાનું બંધ કરે છે. જેને કારણે રાતે ઊંઘ નથી આવતી. આ સમય દરમિયાન ખૂબ જ ગરમી અને પરસેવો થાય છે. તમારા ડોક્ટર હોર્મોન્સને સંતુલિત કરવા માટે કોઈ દવા લખી શકે છે, જે તમને રાહત આપશે.

વારંવાર બાથરૂમ જવાને કારણે : જો તમને રાત્રે અને વારંવાર બાથરૂમમાં જવાની જરૂર પડે છે તો પછી તમે નોક્ચુરિયાની સમસ્યાથી પીડાઈ શકો છો. આ સમસ્યા ઉંમર સાથે વધે છે. ડાયાબિટીઝ, હૃદયની નિષ્ફળતા, કોઈપણ ચેપ, બળતરા અથવા મૂત્રાશયની અન્ય સમસ્યાઓના કારણે પણ નોકટુરિયા એક સમસ્યા છે. કેફીન અને આલ્કોહોલનું સેવન બંધ કરો.

દર્દ થવું: સંધિવા, કમરની સમસ્યાઓ, પાચનની સમસ્યાઓ, ડાયાબિટીઝ અને વય સંબંધિત અન્ય બીમારીઓથી આખી રાત શરીરમાં દુખાવો થાય છે. જેના કારણે રાત્રે ઊંઘ નથી આવતી. તેને શારીરિક ઉપચાર દ્વારા આરામ મળી શકે છે. જો તમારું દર્દ વધી જાય છે કે રાત્રે સૂઈ શકતા નથી. તો ચોક્કસપણે તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

ન્યૂરોલોજીકલ બીમારી : ન્યુરોલોજીકલ રોગ મગજ પર સીધી અસર કરે છે. પાર્કિન્સન રોગ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સામાન્ય છે. જેમાં શરીરના ભાગોમાં કંપન મહેસુસ થાય છે. આ સિવાય અલ્ઝાઇમરને લીધે વ્યક્તિને યોગ્ય સમયે નિંદ્રા નથી આવતી. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">