મુંબઈની હોસ્પિટલમાં ડૉક્ટર અને નર્સ જ બની રહ્યાં છે કોરોના વાઈરસના શિકાર
ભારતમાં સતત કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એમા ખાસ મહારાષ્ટ્રમાં આંકડાઓ તીવ્ર ગતિથી વધી રહ્યાં છે. અહીં એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ દર્દીઓની સારવાર કરનારા ડૉક્ટર્સ અને નર્સ મોટી સંખ્યામાં શિકાર બની રહ્યા છે. આ વાઇરસના મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં અત્યાર સુધી 26 નર્સ અને ૩ ડૉક્ટર કોરોના વાઇરસ સંક્રમિત […]
ભારતમાં સતત કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એમા ખાસ મહારાષ્ટ્રમાં આંકડાઓ તીવ્ર ગતિથી વધી રહ્યાં છે. અહીં એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ દર્દીઓની સારવાર કરનારા ડૉક્ટર્સ અને નર્સ મોટી સંખ્યામાં શિકાર બની રહ્યા છે. આ વાઇરસના મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં અત્યાર સુધી 26 નર્સ અને ૩ ડૉક્ટર કોરોના વાઇરસ સંક્રમિત થયા છે. મુંબઇ સેન્ટ્રલ વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલને પ્રશાસન દ્વારા પૂરી રીતે સીલ કરી દેવાઇ છે. ઓપીડી અને ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે,
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
BMC દ્વારા આ હૉસ્પિટલને કન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરી દેવાઈ છે અને હૉસ્પિટલને આદેશ અપાયો છે કે જ્યાર સુધી અહીંં તમામ કોરોના પોઝીટીવ કેસ બે વખત ટેસ્ટમાં નેગેટીવ ના આવે ત્યાર સુધી આ હોસ્પિટલ રીતે સીલ રહેશે. ત્યારે બીજી બાજુ મુંબઇના પેડર રોડ સ્થિત જસલોક હોસ્પિટલમાં પણ આવીજ સ્થિતિ છે. અહીં કુલ 10 સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે. જેમાં 6 નર્સનો સમાવેશ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહારાષ્ટ્રમાં હાલ 781કોરોના દર્દીઓ સામે આવ્યા છે. તેમાંથી 458 કેસ માત્ર મુંબઈ શહેરના જ છે. કોરોના વાઇરસથી રાજ્યમાં અત્યાર સુધી 45 લોકોના મોત થયા છે જેમાંથી ૩૦ મોત મુંબઈના છે. આમ દર્દીઓને સારવાર કરનારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને નર્સને કોરોનાનું સંક્રમણ ચિંતા વધારનારું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]