અમદાવાદ-બરૌની વચ્ચે પશ્ચિમ રેલવે દિવાળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે

ગુજરાતમાં રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિયોને દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા મોટા તહેવારોમાં વતન જવા આવવા માટે સરળતા રહે તે માટે રેલવે વિભાગ દર વર્ષે ખાસ ટ્રેન દોડાવે છે. આ વખતે પશ્ચિમ રેલવે દ્વારા પણ કેટલીક વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવાનો નિર્ણય કર્યો છે. 

અમદાવાદ-બરૌની વચ્ચે પશ્ચિમ રેલવે દિવાળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2024 | 6:50 PM

ગુજરાતમાં રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિયોને દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા મોટા તહેવારોમાં વતન જવા આવવા માટે સરળતા રહે તે માટે રેલવે વિભાગ દર વર્ષે ખાસ ટ્રેન દોડાવે છે. આ વખતે પશ્ચિમ રેલવે દ્વારા પણ કેટલીક વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ રેલવેએ આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને બરૌની વચ્ચે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન, વિશેષ ભાડા સાથે દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

• ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ-બરૌની-અમદાવાદ સ્પેશ્યલ (કુલ 12 ટ્રીપ રહેશે)

જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો
ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર
Curry Leaves : દરરોજ મીઠા લીમડાનું પાણી પીવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 03-10-2024
Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા

ટ્રેન નંબર 09413 અમદાવાદ-બરૌની સ્પેશ્યલ 08 ઓક્ટોબર 2024 થી 12 નવેમ્બર 2024 સુધી દર મંગળવારે અમદાવાદથી સાંજે 16:35 કલાકે ઉપડશે અને ગુરુવારે સવારે 04:00 કલાકે બરૌની ખાતે પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09414 બરૌની-અમદાવાદ સ્પેશ્યલ 10 ઓક્ટોબર 2024 થી 14 નવેમ્બર 2024 સુધી દર ગુરુવારે બરૌનીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને શુક્રવારે રાત્રિના 23.15 કલાકે અમદાવાદ ખાતે પહોંચશે.

અમદાવાદ-બરૌનીના માર્ગમાં બંને દિશાઓમાં એટલે કે આવતા અને જતા સમયે આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માનિકપુર, પ્રયાગરાજ, છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, સોનપુર, પાટલીપુત્ર (વાયા શાહપુર પટોરી) અને હાજીપુર સ્ટેશન ખાતે ઉભી રહેશે.

ટ્રેન નંબર 09413નું બુકિંગ, આગામી 05 ઓક્ટોબર, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો કૃપા કરીને ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
"ગેરંટી પિરિયડ પહેલા તૂટેલા રસ્તાઓ જે તે એજન્સી જ રિપેર કરશે"
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
પૂૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં દેખાયા
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
બજરંગદળ અને VHP દ્વારા શરૂ કરાઈ મેરા ભાઈ હેલ્પલાઈન
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરતમાં પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
દાહોદ બાળકી દુષ્કર્મ-હત્યા કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ: હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">