પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે ઓખા – મુંબઈ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનમાં સુવિધાઓ વિશે મુસાફરોનો પ્રતિભાવ જાણ્યો

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલે 21 ઓગસ્ટ ના ​​રોજ ઓખા-મુંબઈ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચાલુ ટ્રેનમાં તમામ શ્રેણીના મુસાફરો સાથે વાતચીત કરી અને મુસાફરી સંબંધિત સેવાઓનો ફીડબેક લીધા

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે ઓખા - મુંબઈ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનમાં સુવિધાઓ વિશે મુસાફરોનો  પ્રતિભાવ જાણ્યો
Western Railway GM Alok Kansal took feedback from the passengers about the facilities in Okha - Mumbai Superfast Special train
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 23, 2021 | 10:12 PM

AHMEDABAD : પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (જનરલ મેનેજર)આલોક કંસલે ઓખા-મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરો સાથે વાતચીત કરીને ફીડબેક અને સૂચનો લીધા. સાથે જ અમદાવાદ સ્ટેશન પર યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલે 21 ઓગસ્ટ ના ​​રોજ ઓખા-મુંબઈ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચાલુ ટ્રેનમાં તમામ શ્રેણીના મુસાફરો સાથે વાતચીત કરી અને મુસાફરી સંબંધિત સેવાઓનો ફીડબેક લીધા તથા સેવાઓને વધુ સારી બનાવવા માટે મુસાફરો પાસેથી મહત્વપૂર્ણ સૂચનો લીધા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ અંગે મંડળ રેલ પ્રવક્તાએ જાણકારી આપતા જણાવ્યું કે મહાપ્રબંધક આલોક કંસલ દ્વારા મુસાફરો સાથે સ્ટેશનથી ટ્રેન મુસાફરી દરમિયાન કેવા કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે અંગે ચર્ચા કરી તથા મુસાફરો પાસેથી એ પણ જાણકારી લેવામાં આવી કે મુસાફરી દરમિયાન કોચમાં સફાઈ વ્યવસ્થા કેવા પ્રકારની મળી રહે છે અને ટોયલેટ કેટલા સાફ હોય છે. તથા આ દરમિયાન રેલવે કર્મચારીનો વ્યવહાર રેલવે મુસાફરો સાથે કેવા પ્રકારના હોય છે. અને મુસાફરી દરમિયાન કેવા પ્રકારની મુશ્કેલીઓ માટે તત્કાળ કયા મોબાઈલ પર વાત કરવાથી તરત જ કાર્યવાહી કરવામાં આવે છે.

સાથે જ મુસાફરો ને સમજાવવામાં આવ્યું કે હંમેશા સ્ટેશન પરિસરમાં તથા રેલ યાત્રા દરમિયાન ખાવા-પીવાની વસ્તુઓ માટે વેન્ડર પાસેથી બિલ આવશ્યક રૂપે લો કેમ કે રેલવે નિયમો અનુસાર “નો બિલ નો પેમેન્ટ” ને રેલવે પર લાગુ કરવામાં આવ્યું છે.

આલોક કંસલે તમામ કોચમાં સફાઇ વ્યવસ્થા અને ટોયલેટનું નિરીક્ષણ કર્યું, થર્ડ એસી કોચમાં પ્રોપર કુલિંગની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું. તમામ કોચમાં કોઈપણ પ્રકારના વાંદા અને ઉંદર માટે પેસ્ટ કન્ટ્રોલ કડક રીતે લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. જેથી તમામ કોચ ને સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખી શકાય.

મહાપ્રબંધક દ્વારા અમદાવાદ સ્ટેશન પર કરંટ ટિકિટ સિસ્ટમનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું જેથી મુસાફરોને સીધા ટિકિટ લેવામાં કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તથા સમયની પણ બચત થઈ શકે સાથે જ મુસાફરોની સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો અને કોઇપણ પ્રકારની જરૂરિયાત માટે 182 પર તત્કાલ પ્રભાવથી રેલવે સુરક્ષા દળના જવાન સહાયતા માટે બીજા સ્ટેશન પર ઉપસ્થિત રહે છે તેવી માહિતી આપવામાં આવી.

આ નિરીક્ષણ પછી મહાપ્રબંધક દ્વારા અમદાવાદ મંડળના અધિકારીઓને આવશ્યક નિર્દેશ પણ આપવામાં આવ્યા. આ પ્રસંગે અમદાવાદ મંડળના અપર મંડળ રેલ પ્રબંધક અનંત કુમાર, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રવીન્દ્ર શ્રીવાસ્તવ, વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર અભિષેક સિંહ તથા વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત સરફરાઝ અહેમદ સહિત રેલ સેવાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : TAPI : ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો, છેલ્લા બે દિવસમાં બે ફૂટ સપાટી વધી

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">